ફિલ્મ જોઈ સેહવાગે કહ્યુ- આદિપુરુષ જોઈને ખબર પડી કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દર સેહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. વિરેન્દર સેહવાગ મોટા ભાગે પોતાના ટ્વીટ માટે ચર્ચામાં બન્યા રહે છે. જમણા હાથના પૂર્વ બેટ્સમેન વિરેન્દર સેહવાગ હવે આદિપુરુષ ફિલ્મ પર કરેલી પોતાની એક ટ્વીટને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ રીલિઝ થયાનું એક અઠવાડિયુ થઈ ગયું છે. રામાયણ ઉપર બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનને મુખ્ય ભૂમિકા ભજવી છે. રીલિઝ થયા બાદ જ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર પોતાન ડાયલોગ અને પાત્રોને લઈને ખૂબ ટ્રોલ થઈ રહી છે અને ઘણી જગ્યાએ તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

ફેન્સ રામાયણની ખોટી વ્યાખ્યા, હોલિવુડ ફિલ્મોના સીન કોપી કરવા અને રામાયણના ઐતિહાસિક ભૂમિકાની વેશભૂષાને લઈને ફિલ્મની મજાક બનાવી રહ્યા છે. હવે વિરેન્દર સેહવાગે પણ ફિલ્મ જોયા બાદ તેના પર કટાક્ષ કરતા ટ્વીટ કરી છે. તેણે પ્રભાસની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીના ડાયલોગ સાથે આદિપુરુષ બાબતે પોતાના વિચાર શેર કર્યા છે. વિરેન્દર સેહવાગે મજાકમાં પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘આદિપુરુષ જોઈને ખબર પડી કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો.’

વિરેન્દર સેહવાગ વાત કરીએ તો તે છેલ્લી વખત માર્ચમાં લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં રમતો નજરે પડ્યો હતો. ટૂર્નામેન્ટમાં રમેલી 2 મેચમાં તેના બેટથી 42 રન નીકળ્યા હતા. ગત દિવસોમાં સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થઈ રહી હતી કે વિરેન્દર સેહવાગ ભારતીય ટીમના આગામી ચીફ સિલેક્ટર બની શકે છે. જો કે વિરેન્દર સેહવાગે આ વાતને પૂરી રીતે ખોટી બતાવી હતી અને કહ્યું હતું કે બોર્ડ તરફથી તેની સાથે આ મુદ્દાને લઈને કોઈ પ્રકારની કોઈ ચર્ચા થઈ નથી.

રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. જો કે, કમાણીની બાબતે આ ફિલ્મ અત્યાર સુધી આશા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ફિલ્મનું કલેક્શન રોજ ઘટી રહ્યું છે. પહેલા વિકેન્ડમાં સોલિડ કમાણી કરનારી આદિપુરુષ બીજા વિકેન્ડમાં ફૂસ્સ સાબિત થઈ. ફિલ્મે 10 દિવસમાં 274.55 કરોડનો બિઝનેસ કર્યો છે. આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, તો રવિવારે 6 કરોડ રૂપિયાનું. શનિવારની તુલનામાં સામાન્ય ગ્રોથ કલેક્શનમાં નજરે પડ્યું, પરંતુ તેનાથી ખુશ નહીં થઈ શકાય.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.