હિંમત છે તો ‘મણિપુર ફાઈલ્સ’ બનાવો, વિવેક અગ્નિહોત્રીએ આવો જવાબ આપી હાથ ખંખેર્યા

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને નવુ રૂપ આપી OTT પર રીલિઝ કરવાની તૈયારીમાં છે. પણ આ ફિલ્મ વેબ સીરિઝના રૂપમાં રીલિઝ કરશે. જેનું નામ ધ કશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ છે. શુક્રવારે તેનું ટ્રેલર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. તેની વચ્ચે લોકો ફિલ્મ નિર્માતાને મણિપુર પર પણ ફિલ્મ બનાવવા કહી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર એક યૂઝરને જવાબ આપ્યો. જેમાં તેણે ડિરેક્ટરને ધ કશ્મીર ફાઈલ્સ અને ધ તાશકંદ ફાઇલ્સની સફળતા પછી ધ મણિપુર ફાઇલ્સ બનાવવા કહી રહ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરમાં થયેલી હિંસાને લઇ પોસ્ટ કર્યું હતું. ત્યારે એક યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કહી દીધી.

ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડની વાત કરતા નિર્માતાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશે વાત કરે છે. વિવેકે ટ્વીટ કરી, ભારતીય ન્યાયપાલિકા કાશ્મીરી હિંદુ નરસંહારની અદેખાઈ કરી રહી છે. હજુ પણ આપણા બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈએ અનુસાર કાશ્મીરી હિંદુઓના અધિકાર અને તેમની રક્ષા કરવામાં અસફળ સાબિત થયા છે.

યૂઝરે મણિપુર ફાઈલ્સ બનાવવાની વાત કરી

આ પોસ્ટ પર એક યૂઝરે રિએક્શન આપ્યું છે. તેમણે લખ્યું, સમય વ્યર્થ ન કરો, જાઓ અને એક ફિલ્મ મણિપુર ફાઈલ્સ પર બનાવો. જો ખરેખર તારી અંદર ખેરખર કશુ કરવાની તાકાત છે. આ ટ્વીટનો જવાબ આપતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે, શું બધા વિષયો પર તે જ ફિલ્મ બનાવશે, તો ઈન્ડસ્ટ્રીના બાકીના ફિલ્મ નિર્માતાઓ શું કરશે. આભાર તમારો કે તમે મારા પર વિશ્વાસ દેખાડ્યો. પણ બધી ફિલ્મો મારી પાસેથી જ બનાવડાવશો કે શું. તારી ઈન્ડિયા ટીમમાં કોઈ ફિલ્મમેકર નથી કે શું.

શું થયું મણિપુરમાં

પાછલા બે મહિનાથી મણિપુરમાં હિંસા ચાલી રહી છે. રાજ્યમાં 3 મેના રોજ કુકી સમુદાય અને મેતઈ સમુદાયની વચ્ચે જાતિના આરક્ષણને લઇ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 150થી વધારે લોકોએ આ વિવાદને લીધે જીવ ગુમાવ્યો છે તો 50 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.