કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ પર આ એક્શન લેવાયું

અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતને થોડા દિવસ પહેલા એરપોર્ટ પર થપ્પડ મારી દેનારી CISFની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય તેના પતિનું પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. કંગનાને એરપોર્ટ પર થપ્પડ માર્યા બાદ કોન્સ્ટેબલની સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે તે નોકરી પર પરત ફરી છે પણ તેનું બેંગ્લોર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

CISFની મહિલા જવાન કોણ છે?

હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપની સીટ પર સાસંદ બનેલી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર કડવો અનુભવ થયો. ડ્યુટી પર તૈનાત CISFની મહિલા જવાને કંગનાને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

કંગના દિલ્હી જઇ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા જવાન કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌર 2009થી CISFમાં સામેલ છે અને 2021થી ચંદીગઢ એરપોર્ટ પર ફરજ બજાવે છે. કુલવિંદરનો પતિ પણ CISFમાં છે અને કુલવિંદરનો ભાઇ શેરસિંહ ખેડુત નેતા છે.

થપ્પડ મારવાના કારણ અંગે કુલવિંદરે કહ્યુ કે,ખેડુત આંદોલન વખતે કંગનાએ નિવેદન આપ્યું હતું કે, 100-200 રૂપિયામાં મહિલાઓ ખેડુત આંદોલનમાં પ્રદર્શન માટે બેસી જાય છે. એ પ્રદર્શનમાં મારી માતા પણ હતી. આ વાતથી મને ગુસ્સો હતો.

 

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.