કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ પર આ એક્શન લેવાયું

અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતને થોડા દિવસ પહેલા એરપોર્ટ પર થપ્પડ મારી દેનારી CISFની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય તેના પતિનું પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. કંગનાને એરપોર્ટ પર થપ્પડ માર્યા બાદ કોન્સ્ટેબલની સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે તે નોકરી પર પરત ફરી છે પણ તેનું બેંગ્લોર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

CISFની મહિલા જવાન કોણ છે?

હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપની સીટ પર સાસંદ બનેલી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર કડવો અનુભવ થયો. ડ્યુટી પર તૈનાત CISFની મહિલા જવાને કંગનાને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

કંગના દિલ્હી જઇ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા જવાન કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌર 2009થી CISFમાં સામેલ છે અને 2021થી ચંદીગઢ એરપોર્ટ પર ફરજ બજાવે છે. કુલવિંદરનો પતિ પણ CISFમાં છે અને કુલવિંદરનો ભાઇ શેરસિંહ ખેડુત નેતા છે.

થપ્પડ મારવાના કારણ અંગે કુલવિંદરે કહ્યુ કે,ખેડુત આંદોલન વખતે કંગનાએ નિવેદન આપ્યું હતું કે, 100-200 રૂપિયામાં મહિલાઓ ખેડુત આંદોલનમાં પ્રદર્શન માટે બેસી જાય છે. એ પ્રદર્શનમાં મારી માતા પણ હતી. આ વાતથી મને ગુસ્સો હતો.

 

Related Posts

Top News

‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

અમેરિકન અબજપતિ અને ટેસ્લાના CEO એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારત આવ્યા છે. સોમવારે તેમણે સનાતન ધર્મની પ્રશંસા કરતા તેને...
Business 
‘શાનદાર નેતા છે PM મોદી, જો દુનિયા શિવને ફોલો કરે તો..’ એલન મસ્કના પિતાએ સનાતન ધર્મની કરી પ્રશંસા

યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે રાજ્ય પોલીસ દળમાં અનેક જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવીરોને 20 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો. CM ...
National 
યોગી સરકાર આ લોકોને નોકરીની ભરતીમાં 20 ટકા અનામત આપશે, ઉંમરમાં પણ 3 વર્ષની છૂટ મળશે

'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

બેસ્ટ સેલિંગ પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક અને પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર નવી...
Business 
'ઈતિહાસના સૌથી મોટા કડાકાનો સમય આવી ગયો છે, શેરબજાર-બોન્ડ માર્કેટ ક્રેશ..' કિયોસાકીની નવી ચેતવણી!

સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પર 19 જૂને મતદાન અને 23 જૂને પરિણામની ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે, પરંતુ...
Politics 
સુરતના કતારગામમાં 66 હજાર મતે વિધાનસભા હારેલા ગોપાલ ઇટાલિયાનો વિસાવદરમાં ગજ વાગશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.