કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ પર આ એક્શન લેવાયું

અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રણૌતને થોડા દિવસ પહેલા એરપોર્ટ પર થપ્પડ મારી દેનારી CISFની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય તેના પતિનું પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. કંગનાને એરપોર્ટ પર થપ્પડ માર્યા બાદ કોન્સ્ટેબલની સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે તે નોકરી પર પરત ફરી છે પણ તેનું બેંગ્લોર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે.

CISFની મહિલા જવાન કોણ છે?

હિમાચલ પ્રદેશના મંડી બેઠક પરથી ભાજપની સીટ પર સાસંદ બનેલી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર કડવો અનુભવ થયો. ડ્યુટી પર તૈનાત CISFની મહિલા જવાને કંગનાને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

કંગના દિલ્હી જઇ રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર CISFની મહિલા જવાન કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌર 2009થી CISFમાં સામેલ છે અને 2021થી ચંદીગઢ એરપોર્ટ પર ફરજ બજાવે છે. કુલવિંદરનો પતિ પણ CISFમાં છે અને કુલવિંદરનો ભાઇ શેરસિંહ ખેડુત નેતા છે.

થપ્પડ મારવાના કારણ અંગે કુલવિંદરે કહ્યુ કે,ખેડુત આંદોલન વખતે કંગનાએ નિવેદન આપ્યું હતું કે, 100-200 રૂપિયામાં મહિલાઓ ખેડુત આંદોલનમાં પ્રદર્શન માટે બેસી જાય છે. એ પ્રદર્શનમાં મારી માતા પણ હતી. આ વાતથી મને ગુસ્સો હતો.

 

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.