સતીષ કૌશિક કેસઃ ફાર્મહાઉસના માલિકની પત્નીએ કહ્યું 15 કરોડ માટે તેના પતિએ જ...

બોલિવુડ એક્ટર અને ફિલ્મ ડિરેક્ટર સતીશ કૌશિકના મોતના કેસમાં નવા નવા ટ્વીસ્ટ આવી રહ્યા છે. સતીશ કૌશિકના મિત્રની પત્નીએ પોતાના જ પતિ પર સતીશ કૌશિકની હત્યાની આશંકા વ્યક્ત કરતા ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ માટે દિલ્હી પોલીસ કમિશરને ચિઠ્ઠી લખી છે અને તેની કોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ દિલ્હીના ઉપરાજ્યપાલને પણ મોકલી છે. મોત અગાઉ સતીશ કૌશિક દિલ્હીમાં પોતાના મિત્ર વિકાસ માલૂના ફાર્મ હાઉસની પાર્ટીમાં સામેલ થયા હતા. 

સાન્વીએ સતીશ કૌશિકના શંકાસ્પદ મોત માટે પોતાના જ પતિ પર શંકા વ્યક્ત કરતા આ કેસની તપાસ માટે દિલ્હી પોલીસના કમિશનર સંજય અરોડાને ચિઠ્ઠી લખી છે. સાન્વીએ આ ફરિયાદ E-mail દ્વારા કરી છે. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલૂની પત્ની સાન્વી માલૂએ જણાવ્યું કે, સતીશ કૌશિક મારા પતિના મિત્ર હતા અને તેઓ મોટા ભાગે ભારત અને દુબઈમાં અમારા ઘરે પણ આવતા હતા. વિકાસ માલૂએ લગભગ 3 વર્ષ અગાઉ સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા રોકાણ માટે ઉધાર લીધા હતા, તેને હવે તે પાછો આપી રહ્યો નહોતો.

એ જ પૈસાઓની લેવડ-દેવડને લઈને તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં રોજ દુબઈમાં એ બંને વચ્ચે પૈસાઓને લઈને ઝઘડો પણ થયો હતો. ઝઘડા દરમિયાન તે પણ ત્યાં ઉપસ્થિત હતી. વિકાસે ત્યારે તેમને ભારત જઈને પૈસા પરત કરવાની વાત કહી હતી. સાન્વીએ જણાવ્યું કે, ઝઘડાવાળી રાત્રે  બેડરૂમમાં જ્યારે તેણે પતિ વિકાસને પૂછ્યું કે, ‘આ સતીશજી કયા પૈસા માગી રહ્યા હતા. તો વિકાસે કહ્યું હતું કે, ‘આ ઠરકીએ 15 કરોડ રૂપિયા આપી રાખ્યા છે, જે કોરોનામાં ડૂબી ગયા.

તેણે કહ્યું કે, પછી મેં તેને પૂછ્યું કે, હવે શું થશે? તો તેણે કહ્યું કે, સાલો ઠરકી છે, કોઈ દિવસે રશિયન બોલાવીને બ્લૂ પીલ્સનો ઓવર ડોઝ આપી દઇશું, તો આમ જ મરી જશે. તેને કોણ પૈસા પરત કરી રહ્યું છે. મારો પતિ વિકાસનું અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ જેમ કે કોકિન, MDMA, JBH, ગાંજો, બ્લૂ પીલ્સ, પિન્ક પીલ્સ નશાની દવાઓનું મોટું કનેક્શન છે જેનો ઉપયોગ તે દિલ્હીના બધા ફર્મ ફાઉસોની પાર્ટીઓમાં કરે છે. હું જ્યારે તેને પૂછતી હતી તો આ ડ્રગ્સ અને પીલ્સ શા માટે આવ્યા છે તો તે મને કહેતો હતો ‘તું નહીં સમજે.’

સાન્વીએ આરોપ લગાવ્યો કે, ઑગસ્ટ 2022માં પણ સતીશ કૌશીકે ફરીથી પોતાના 15 કરોડ રૂપિયા પાછા માગ્યા તો વિકાસ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો ‘તને કહી દીધું છે કે નુકસાન થઈ ગયું છે, પરંતુ તને ભારત જઈને આપી દઇશ અને વધારે બોલબોલ ન કર. તે 15 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે, તું કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરી શકે. શાંતિ રાખ, એ સાંભળીને સતીશ કૌશિક ત્યાંથી ઊઠીને જતા રહ્યા અને વિકાસને બોલ્યા ‘તે મને 15 કરોડ રૂપિયાની પ્રોમિસરી નોટિસ આપી છે. એ જ રાત્રે વિકાસે મને કહ્યું હતું કે, સતીશ કૌશિકની જલદી વ્યવસ્થા કરવી પડશે નહીં તો ચૂપ નહીં રહે.

સાન્વીનું કહેવું છે કે, હવે વિકાસની કહેલી વાત સાચી થઈ ગઈ છે. એવામાં સતીશ કૌશિકના મોતના કેસની સઘન તપાસ થવી જોઈએ. સાન્વીએ આ કેસમાં સાક્ષી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સાન્વીએ કહ્યું કે, વિકાસ માલૂના રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધ છે જે તેને કાયદાકીય શંકજામાં ફસતા બચાવે છે. એટલું જ નહીં વિકાસના દાઉદ ઈબ્રાહીમ સાથે પણ સંબંધ છે અને દુબઈની પાર્ટીમાં તેનો દીકરો અનસ પણ સામેલ થયો હતો. વિકાસ એક રીઢો ગુનેગાર છે અને તેના પર ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાં તે જેલ પણ જઈ ચૂક્યો છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.