ગાંધીનગરમાં ગરબા પર પથ્થર ફેંકવાનીની ઘટના બાદ 190 દુકાનો પર બૂલડોઝર ફેરવી દેવાયું

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલી ઘટના બાદ પ્રશાસન અને પોલીસતંત્ર એક્શન મોડમાં છે. ગરબા દરમિયાન પથ્થર*મારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આ*ગ ચાંપવા જેવી ગંભીર ઘટના બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે (9 ઓક્ટોબર) વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચા-પાકા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

bahiyal2
divyabhaskar.co.in

પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં લગભગ 190 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને બાંધકામના પુરાવા રજૂ કરવા માટે 2 દિવસની સમયમર્યાદા આપવામાં આવી હતી. આ સમયમર્યાદા બુધવારે સાંજે પૂરી થઈ ગઈ. આ દરમિયાન, એક પણ દબાણકારે માર્ગ અને મકાન વિભાગ, દહેગામ કે રાજધાની આયોજન સબ-ડિવિઝનના નાયબ કાર્યકારી ઇજનેરને બાંધકામના પુરાવા રજૂ કર્યા નહોતા. જેથી કડક પોલીસ સુરક્ષા હેઠળ આજે સવારે ડિમોલિશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

બહિયલ ગામમાં ડિમોલિશન અભિયાન ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ‘કુલ 186 વ્યાવસાયિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડિમોલિશન અભિયાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SDM, પંચાયત અધિકારી અને 300 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત છે. અમે થોડા દિવસો અગાઉ પથ્થરમારાની ઘટનામાં સંડોવાયેલા લોકોની વ્યાવસાયિક સંપત્તિઓની ઓળખ કરી છે અને આજે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાયપુર-ઘામીજ કરોલી રોડ પર કુલ 190 દબાણકારોમાંથી 135 અને હાથીજન-બહિયાલ રોડ પર 51 દબાણકારોને નોટિસ ફટકારવામાં કરવામાં આવી છે. અધિકારીઓ બુલડોઝરનો ઉપયોગ કરીને દબાણ હટાવી રહ્યા છે. હિંસક ઘટનાની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ. કાર્યવાહી કરતા 83 નામાંકિત વ્યક્તિઓ સામે અને 200 ટોળાના સામે કેસ દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદોની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

bahiyal1
divyabhaskar.co.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઈ લવ મુહમ્મદ લખેલા બેનરો લગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આવા જ બેનરો પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગર નજીક બહિયાલ ગામના એક હિન્દુ યુવકે આ સોશિયલ મીડિયા પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. ત્યારબાદ, બહિયાલના મુસ્લિમ યુવક ગુસ્સે ભરાયા અને તોડફોડ કરી અને યુવકની દુકાન અને નજીકની દુકાનોમાં આ*ગ લગાવી દીધી હતી. ત્યારબાદ તેઓ જ્યાં ગરબા રમાઈ નવરાત્રી ગરબા રમાઈ રહ્યા હતા ત્યાં ગયા અને પથ્થર*મારો કર્યો. ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું.

બહિયલ ગામ લગભગ 16-17 હજારની વસતિ ધરાવતું ગામ છે, જેમાં 70 ટકાથી પણ વધુ લોકો મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. જ્યારે બાકીની 30 ટકા જેટલા લોકો હિન્દુ સમુદાયના છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનુ સજ્જાદહુસૈન ચૌહાણે અગમ્ય કારણોસરપોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. સરપંચના આ અચાનક નિર્ણયથી ગામ નોંધારી સ્થિતિમાં મુકાઈ ગયું છે અને રાજનીતિક તેમજ સામાજિક ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.