સુરતમાં વસંત પંચમીના અવસરે મહિલાઓ પાસે કરાવાયો ડાન્સ

ગઇકાલે દેશભરમાં વસંત પંચમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી. આ દિવસે મા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ સુરતમાં વસંત પંચમીના અવસરને લજવતો કિસ્સો સામે આવ્યો છે.  સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના પવિત્ર અવસર પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તિને બદલે અશ્લીલતા પીરસવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

vasant-panchami2

આનંદ પાર્ક સોસાયટીમાં મા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાહેર મંચ પર મહિલાઓ પાસે ગંદો ડાન્સ કરાડાવી વસંત પંચમીના પવિત્ર ઉત્સવને અપવિત્ર કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાં હાજર રહેલા વડીલો અને મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા. કહેવાય છે કે બાળકોના કુમળા છોડ જેવા હોય છે, તેમને જેમ વાળો તેમ વળે. બાળકોને બાળપણમાં જેવા સંસ્કારો મળે, મોટા થઈને બાળકો એવું જ આચરણ કરતા હોય છે ત્યારે વસંત પંચમી જેવા મા સરસ્વતીના ઉત્સવ પર ભક્તિને બદલે ગંદા ડાન્સ પીરસવામાં આવતા બાળકો પર માઠી અસર પડી શકે છે.

vasant-panchami1
divyabhaskar.co.in

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેથી સુરત શહેરમાં આ આયોજનને લઈ ચર્ચાઓ જાગી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે? સાથે જ એવી માંગ પણ કરવામાં આવી રહી છે કે, જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ. ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.

About The Author

Related Posts

Top News

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.