- Gujarat
- ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્ય...
ઉદ્યોગસાહસિક નિરવ શાહની દૂરંદેશી પહેલે એન્જિનિયર્ડ વૃવન ડિસ્પ્લેના વિઝનને રિયાલિટીમાં પરિવર્તિત કર્યો
સુરત: ડિસ્પ્લે અને જાહેરાત માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત PVC ફ્લેક્સને બદલે હવે એક નવું અને વધુ ટકાઉ વિકલ્પ બજારમાં આવી રહ્યો છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં કાર્યરત AAS TECH કંપનીએ "એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લે સબસ્ટ્રેટ" નામની નવી ટેક્નોલોજી વિકસાવી છે. આ નવી ટેક્નોલોજી પાછળ AAS TECHના માલિક અને ઉદ્યોગસાહસિક નિરવ શાહનું વિઝન અને નેતૃત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત અવિનાશ કોઠારી, ગૌરવ શારદા અને પિયુષ સતાસિયા તેમની સાથે જોડાઇને આ ટેકનોલોજીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
એન્જિનિયર્ડ વૂવન ડિસ્પ્લેને સામાન્ય ભાષામાં કહીએ તો "ફેબ્રિક ફ્લેક્સ બેનર" તરીકે ઉપયોગમાં આવી શકે છે. જે નવી પેઢીની વૂવન ટેક્સટાઇલ પ્લેટફોર્મ છે, જે પરંપરાગત પીવીસી ફ્લેક્સ અને બેનર મટિરિયલનો મજબૂત વિકલ્પ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફેબ્રિકની ડિઝાઇન આ પ્રોડક્ટ અવિનાશ કોઠારી (CA ગોલ્ડ મેડાલિસ્ટ, MBA - IIM Lucknow, માસ્ટર્સ - ESCP Business School, CFA, US), ગૌરવ શારદા (B.Tech કમ્પ્યુટર સાયન્સ, MBA IIT Bombay) અને પિયુષ સતાસિયા (B.E. Instruments & Control) આ ત્રણેયના સહયોગ અને સંયુક્ત મહેનતથી શક્ય છે.
તેમની અલગ-અલગ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને નિષ્ણાતીનું સંકલન થવાને કારણે કંપની Kaledio Fabric આ પ્રોડક્ટ સફળતાપૂર્વક વિકસાવી શકી છે. વખતે નિષણાંત તરીકે સુમિતપાલ સિંઘે પણ ફાળો આપ્યો હતો.
હાલમાં જે પીવીસી ફ્લેક્સ બેનર આપણે રસ્તાઓ, દુકાનો અને ઇવેન્ટમાં જોઇએ છીએ, તે લાંબા સમય સુધી ટકતા નથી. સૂર્યપ્રકાશથી તેનો રંગ ફીકો પડી જાય છે, ગરમીમાં તે તૂટી શકે છે અને પવનથી ફાટી શકે છે. ઉપરાંત, તે પર્યાવરણ માટે પણ હાનિકારક માનવામાં આવે છે. AAS TECH કંપનીનો દાવો છે કે તેમની નવી ફેબ્રિક આધારિત ટેક્નોલોજી આ તમામ સમસ્યાઓનું સમાધાન આપી શકે છે.
નિરવ શાહ ડીપ સ્ટ્રેટેજિસ્ટ અને ન્યૂ એરા આંત્રપ્રિન્યોર છે
નિરવ શાહ એક દુરંદેશી ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ માત્ર બિઝનેસમેન નથી, પરંતુ એક "ડીપ સ્ટ્રેટેજિસ્ટ" તરીકે જટિલ પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરીને લાંબા ગાળાની યોજના બનાવવામાં નિષ્ણાંત છે. માર્કેટ ટ્રેન્ડ, ડેટા એનાલિસિસ અને ભવિષ્યના ઉદ્યોગ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને તેઓ કંપનીને નવી દિશામાં આગળ ધપાવે છે. ન્યૂ એરા આંત્રપ્રિન્યોર તરીકે તેઓ નવી ટેક્નોલોજી, ઇનોવેશન અને બદલાતા માર્કેટ ડાયનેમિક્સને ઝડપી રીતે સ્વીકારીને તેને સફળ બિઝનેસ મોડેલમાં ફેરવે છે.
ફેબ્રિક ફ્લેક્સ બેનરમાં ડિઝાઈન સીધી જ વણાટ દરમિયાન તૈયાર કરી શકાય છે
આ ખાસ ફેબ્રિક એવી રીતે બનાવવામાં આવે છે કે ડિઝાઇન સીધી જ વણાટ દરમિયાન તૈયાર કરી શકાય છે. એટલે કે, પ્રિન્ટિંગ કર્યા વગર પણ બેનર પર લખાણ અથવા ડિઝાઇન બનાવી શકાય છે. જો જરૂર હોય તો તેના પર ડિજિટલ પ્રિન્ટિંગ, સ્ક્રીન પ્રિન્ટિંગ અથવા અન્ય રીતે ડિઝાઇન પણ કરી શકાય છે. એટલે એક જ મટિરિયલ ઘણા પ્રકારના કામ માટે ઉપયોગી બને છે.
કંપની જણાવે છે કે AAS એલાઇનમેન્ટ અને મોશન-કન્ટ્રોલ એન્જિનિયરિંગ સિદ્ધાંતોના ઉપયોગથી યાર્ન એલાઇનમેન્ટ એક્યુરેસી, યુનિફોર્મ ટેન્શન ડિસ્ટ્રિબ્યુશન અને ડાઇમેન્શનલ સ્ટેબિલિટી સુનિશ્ચિત થાય છે. જેના કારણે લાર્જ-ફોર્મેટ ડિસ્પ્લેમાં ડિસ્ટોર્શન ઘટે છે અને સ્પષ્ટ વિઝયુઅલ ગુણવત્તા મળે છે. જેના કારણે તે ખેંચાય નહીં અને બેનર લગાવ્યા પછી લખાણ વાંકુ ન પડે. મોટા સાઇઝના બેનરમાં પણ ડિઝાઇન સ્પષ્ટ અને સીધી રહે છે.
આ ટેક્નોલોજીથી બનેલા બેનર ફાયર સેફ્ટી બ્લેન્કેટ, વેલ્ડિંગ કર્ટન અને હીટથી સુરક્ષા માટેના કવરમાં પણ ઉપયોગી બની શકે છે
આ મટિરિયલ ગરમીમાં તૂટી જતું નથી, તેના પર પવનનો દબાણ ઓછો અસર કરે છે અને લાંબા સમય સુધી તેની મજબૂતી જાળવે છે. આ નવી ફેબ્રિક ફ્લેક્સ બેનર ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે અને રિસાયકલ પણ થઈ શકે છે. કંપની અનુસાર, આ ટેક્નોલોજીથી બનાવેલા બેનર ફાયર સેફ્ટી બ્લેન્કેટ, વેલ્ડિંગ કર્ટન અને હીટથી સુરક્ષા માટેના કવર જેવા કામોમાં પણ ઉપયોગી બની શકે છે.
ઉદ્યોગના જાણકારો માને છે કે જો આ નવી ટેક્નોલોજી વ્યાપક પ્રમાણમાં અપનાવવામાં આવે તો PVC આધારિત બેનરનો ઉપયોગ ઘટી શકે છે અને વધુ મજબૂત અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે. AAS TECH દ્વારા આ નવી ટેકનોલોજી માટે પેટન્ટ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે.
કસ્ટમર સેન્ટિક એપ્રોચ
નિરવ શાહનો બિઝનેસ ફિલોસોફી ગ્રાહક કેન્દ્રિત છે. તેઓ ગ્રાહકોની જરૂરિયાતો સમજીને તેમની સમસ્યાઓનો ઉકેલ આપે તેવા પ્રોડક્ટ વિકસાવે છે. AAS TECHની આ નવી ટેક્નોલોજી પણ ગ્રાહકોને વધુ ટકાઉ, મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવો વિકલ્પ આપવા માટે તૈયાર કરવામાં આવી છે.
ટેક્નિકલ જ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ, 90થી વધુ દેશોમાં 360થી વધુ પેટન્ટ મેળવી છે
નિરવ શાહ પાસે મિકેનિકલ એન્જિનિયરિંગથી લઈ આધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી સુધીનું ઊંડું ટેક્નિકલ જ્ઞાન છે. તેઓ ફિઝિકલ મોલ્ડ અને ડાય-કાસ્ટિંગ જેવા વિશેષ ક્ષેત્રોમાં નિષ્ણાત માનવામાં આવે છે. એમની ટેકનોલોજીકલ પ્રસિદ્ધીઓને કારણે લોકો નિરવ શાહને હાલના યુગના આઇન્સ્ટાઇન પણ માને છે. તેમનો વૈજ્ઞાનિક અને વિશ્લેષણાત્મક અભિગમ સમસ્યાઓને વ્યવસ્થિત રીતે ઉકેલવામાં મદદરૂપ બને છે, જેના કારણે નવી ટેક્નોલોજી વિકાસમાં ગુણવત્તા અને કાર્યક્ષમતા જાળવવામાં સફળતા મળી છે. હાલ સુધીમાં તેઓએ 90થી વધુ દેશોમાં 360થી વધુ પેટન્ટ મેળવી લીધી છે.

