AM/NS Indiaનું સુરતમાં વિશાળ સ્તરે મૅન્ગ્રોવ વાવેતરની સાથે ગ્રીન કવરનું વિસ્તરણ

હજીરા-સુરત, ગુજરાત | ફેબ્રુઆરી 19, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ સુરત જિલ્લાના ડભારી બીચ ખાતે મૅન્ગ્રોવ વાવેતર અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણિય સ્થિરતા જાળવવા માટે AM/NS ઈન્ડિયાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલ દરિયાકાંઠે મૅન્ગ્રોવના રોપા વાવીને શરૂ કરવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હવામાન પરિવર્તન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ વાવેતર અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠે ગ્રીન કવર વધારવાનો છે, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવું અને હવામાન પરિવર્તનના પ્રભાવોને ઘટાડવો છે. આ પહેલને આગળ વધારતાં, 100 હેક્ટર દરિયાકાંઠા વિસ્તારમાં 2.5 લાખ મેન્ગ્રોવના રોપાની વાવણી કરવામાં આવશે, જે લાંબા ગાળાના પર્યાવરણિય સંરક્ષણ અને તેની પુનઃસ્થાપન માટે યોગદાન આપશે. હાલ પ્રોજેક્ટ નર્સરી વિકાસના તબક્કામાં છે, જેથી મોટા પાયે વાવેતર માટે સ્વસ્થ અને મજબૂત રોપા ઉપલબ્ધ થઈ શકે.

3

આ પહેલ કંપનીના અગાઉના કાંઠાનું પુનઃસ્થાપન કાર્યનો વિસ્તૃત ભાગ છે. અગાઉ AM/NS India દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં 900 હેક્ટર વિસ્તારમાં 23 લાખ મૅન્ગ્રોવનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું, જેના કારણે કુદરતી કાંઠાનું રક્ષણ કરવાનું કાર્ય વધુ મજબૂતીથી થઈ રહ્યું છે. આ ઉપરાંત, અતિપ્રકોપી હવામાન પરિસ્થિતિઓ સામે સ્થિરતા વધી છે.

મૅન્ગ્રોવ વાવેતરથી નોંધપાત્ર “બ્લૂ કાર્બન” સંગ્રહ ક્ષમતા ઊભી થશે, જે લાંબા ગાળામાં હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી શકશે. સાથે જ આ પહેલ દરિયાકાંઠે ભેજાળ જમીનોની પુનઃસ્થાપન, માછલી પ્રજનન ક્ષેત્રોના વિકાસ, માટી અને જળ પ્રણાલીની સ્થિરતા તેમજ દરિયાકાંઠાના જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં યોગદાન આપશે. આ પર્યાવરણિય લાભો દરિયાકાંઠા પર આધારિત સ્થાનિક જીવનોપાર્જનને પણ મજબૂત બનાવશે.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડભારી અને પિંજરત ગામોના સ્થાનિક આગેવાનો, સ્વયંસેવકો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી કંપનીની સહભાગી અને સર્વસમાવેશક ટકાઉ વિકાસ દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે.

પર્યાવરણ પુનઃસ્થાપનને સમુદાય સહભાગિતાથી જોડતાં AM/NS India પોતાની પર્યાવરણ અને CSR પ્રતિબદ્ધતાઓને વધુ મજબૂત બનાવે છે. “Smarter Steels, Brighter Futures” ના ધ્યેય સાથે કંપની ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ સુરક્ષા વચ્ચે સંતુલન જાળવી હરિત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

About The Author

Related Posts

Top News

શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ...
Sports 
શિખર ધવનને ધમકાવીને પૈસા લીધા... કોર્ટે આયેશાને વ્યાજ સહિત 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આપ્યો આદેશ

અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

બુધવારે શેરબજાર જોરદાર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે, પરંતુ તેમ છતા રેલવે સંબંધિત કંપની IRFCનો સ્ટોક ખૂલતાની...
Business 
અચાનક ધડામ થયો રેલવેનો આ સ્ટોક, સરકાર કંપનીમાં વેચી રહી પોતાની ભાગીદારી

રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ભારત અને શ્રિલંકામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2026માં જ્યારે ટીમ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ તૈયારીઓ અને...
Sports 
રિંકૂ સિંહ ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પરત ફર્યો, અચાનક એવું શું થયું કે ઝિમ્બાબ્વે સામે રમવાનું મુશ્કેલ બન્યું

ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં હર્ષ સંઘવીનું નામ આજે વિશ્વાસ અને કાર્યક્ષમ વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે. યુવા વયે ધારાસભ્ય...
Opinion 
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.