ગેનીબેન ઠાકોરને ફટકો, બનાસકાંઠા કોંગ્રેસના આ નેતાએ પાર્ટી છોડી, ભાજપમાં જોડાશે

બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર દાવ રમ્યો છે અને તેમની લોકસભા 2024ની ટિકિટ આપવામાં આવેલી છે.જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.ગેનીબેન ઠાકરો પ્રચાર પણ શરૂ કરી દીધો છે એ દરમિયાન તેમને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ડી. ડી. રાજપુતે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે અને એકાદ- બે દિવસમાં તેઓ ભાજપમાં જોડાઇ જશે.

બનાસકાંઠા કોંગ્રેસના પીઢ નેતા અને થરાદ રાજપુત સમાજના પ્રમુખ ડીડી  રાજપુતે કોંગ્રેસને રામ રામ કરી દેતા અને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરવાને કારણે ગેનીબેન ઠાકોરને મોટો ફટકો પડી શકે છે. ડીડી રાજપુત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.

જાણવા મળેલી માહિતી પ્રમાણ બનાસકાંઠાના વાવ-થરાદના કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપુતે રાજીનામું આપતા પહેલાં પોતોના સમર્થકો સાથે ફાર્મ હાઉસ પર એક બેઠક કરી હતી અને એ પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સંભવત 31 માર્ચે રાજપુત ભાજપામાં જોડાઇ જશે.

ડીડી રાજપુતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલેલા રાજીનામામાં લખ્યું છે કે હું ડીડી રાજપુત, થરાદ, જિલ્લો બનાસકાંઠા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.

રાજપુતે મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કર્યો હતો એ વાતથી હું નારાજ હતો અને એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું.

ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જે ભરતીમેળો શરૂ કર્યો હતો, તેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિતના મોટા મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરીને કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી ચૂંટણી જીત્યા હતા. ગેનીબેન એક બોલકા નેતા છે અને તેમણે પ્રજાની વચ્ચે જઇને લોકોના કામ કરેલા છે. કોંગ્રેસે આ વખતે ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ આપી છે. ભાજપે નવા ચહેરા તરીકે ડો. રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે. બનાસકાંઠા પર બે મહિલાઓ સામ સામે ચૂંટણી લડવાની છે.

કોંગ્રેસના જ લોકો એવું કહી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઇ રહ્યા છે છતા કોંગ્રેસનું હાઇકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવા તરફ કોઇ ધ્યાન આપતું નથી.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.