ગેનીબેન ઠાકોરને ફટકો, બનાસકાંઠા કોંગ્રેસના આ નેતાએ પાર્ટી છોડી, ભાજપમાં જોડાશે

બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે ગેનીબેન ઠાકોર પર દાવ રમ્યો છે અને તેમની લોકસભા 2024ની ટિકિટ આપવામાં આવેલી છે.જ્યારે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.ગેનીબેન ઠાકરો પ્રચાર પણ શરૂ કરી દીધો છે એ દરમિયાન તેમને મોટો ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા ડી. ડી. રાજપુતે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે અને એકાદ- બે દિવસમાં તેઓ ભાજપમાં જોડાઇ જશે.

બનાસકાંઠા કોંગ્રેસના પીઢ નેતા અને થરાદ રાજપુત સમાજના પ્રમુખ ડીડી  રાજપુતે કોંગ્રેસને રામ રામ કરી દેતા અને ભાજપમાં જોડાવવાની જાહેરાત કરવાને કારણે ગેનીબેન ઠાકોરને મોટો ફટકો પડી શકે છે. ડીડી રાજપુત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા.

જાણવા મળેલી માહિતી પ્રમાણ બનાસકાંઠાના વાવ-થરાદના કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપુતે રાજીનામું આપતા પહેલાં પોતોના સમર્થકો સાથે ફાર્મ હાઉસ પર એક બેઠક કરી હતી અને એ પછી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સંભવત 31 માર્ચે રાજપુત ભાજપામાં જોડાઇ જશે.

ડીડી રાજપુતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલેલા રાજીનામામાં લખ્યું છે કે હું ડીડી રાજપુત, થરાદ, જિલ્લો બનાસકાંઠા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે અને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.

રાજપુતે મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કર્યો હતો એ વાતથી હું નારાજ હતો અને એટલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું.

ભાજપે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જે ભરતીમેળો શરૂ કર્યો હતો, તેમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિતના મોટા મોટા નેતાઓએ કોંગ્રેસને રામ રામ કરીને કેસરિયો ધારણ કરી લીધો છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી ચૂંટણી જીત્યા હતા. ગેનીબેન એક બોલકા નેતા છે અને તેમણે પ્રજાની વચ્ચે જઇને લોકોના કામ કરેલા છે. કોંગ્રેસે આ વખતે ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ આપી છે. ભાજપે નવા ચહેરા તરીકે ડો. રેખાબેન ચૌધરીને ઉતાર્યા છે. બનાસકાંઠા પર બે મહિલાઓ સામ સામે ચૂંટણી લડવાની છે.

કોંગ્રેસના જ લોકો એવું કહી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઇ રહ્યા છે છતા કોંગ્રેસનું હાઇકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરવા તરફ કોઇ ધ્યાન આપતું નથી.

About The Author

Related Posts

Top News

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
Opinion 
સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

Opinion

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ
ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
Copyright (c) Khabarchhe All Rights Reserved.