ભરૂચ બેઠક લોકસભાના ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કેમ ટેન્શનમાં આવી ગયા?

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકના AAP- કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા કેમ ટેન્શનમાં આવી ગયા છે? જાણવા મળેલી વિગત મુજબ ભાજપ એક પછી એક ઝટકા આપી રહ્યું છે જેને કારણે ચૈતર વસાવાની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભરૂચ લોકસભા બેઠક અત્યારે વર્ચસ્વનો જંગ બની ગઇ છે. ચૈતર વસાવાને ગઠબંધનાના ઉમેદવાર જાહેર કરાયા પછી ભાજપે સૌથી મોટો ઝટકો એ આપ્યો કે આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ મંત્રી નારણ રાઠવાને ભાજપમાં લઇ લીધા. રાઠવા કાર્યકરોની મોટી ફોઝ સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા. એ પછી ભરૂચની બેઠક પરથી ભાજપની ટિકીટ પર 6 વખત સાંસદ રહેલા મનસુખ વસાવાની ટિકીટ કપાશે તેવી શક્યતા હતી, પરંતુ ભાજપે પહેલી જ યાદીમાં ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવાનું નામ જાહેર કરી દીધું, એ ચૈતર વસાવા માટે બીજો ઝટકો હતો.

ત્રીજો ઝટકો ભાજપે એ આપ્યો છે કે ગુજરાત વિધાનસભા 2022માં આમ આદમી પાર્ટી BTPના ગઠબંધનામાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ ચૂંટણી પહેલાં જ BTPએ ગઠબંધન તોડી નાંખ્યું હતું. હવે BTPના નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે, આ ચૈતર વસાવા માટે મોટો ઝટકો છે, કારણકે મહેશ વસાવાને કારણે AAPના આદિવાસી વોટ કપાશે.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.