AAPના ધારાસભ્યની ચેલેન્જ BJPના મનસુખ વસાવાએ સ્વીકારી લીધી કહ્યુ, કાલે આવીશ

On

એક પત્રથી શરૂ થયેલા આરોપ પ્રત્યારોપ પછી ગુજરાતના આદિવાસી રાજકારણમાં હવે વાત સીધી ચેલેન્જ પર પહોંચી ગઇ છે.AAPના ધારાસભ્યના ડિબેટ પડકાર પર ભાજપના સાંસદે પલટવાર કરીને સ્થાન અને સમય પણ નક્કી કરી દીધો છે. ભાજપના નેતાએ કહ્યું કે, તેઓ કોઇ પણ મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

ગુજરાતમાં આમ તો અત્યારે કોઇ ચૂંટણી નથી પરંતુ નર્મદા ભ્રષ્ટાચારના મુદ્દા પર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાઇ ગયું છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સાંસદને જાહેરમાં ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો. હવે ચૈતર વસાવાના પડકારને ભાજપના નેતા મનસુખ વસાવાએ સ્વીકાર કરી લીધો છે.

ચૈતર વસાવાનો આરોપ છે કે ભાજપ સાંસદે AAP, BJP અને કોંગ્રેસના નેતાઓ પર હપ્તાખોરી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો પત્ર લખ્યો છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાના પત્રને કારણે મારી અને અન્ય નેતાઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. AAPના ધારાસભ્યએ કહ્યું કે તેમણે પત્રમાં મને ગદ્દાર તરીકે સંબોધન કર્યું છે. જો મનસુખ વસાવા જાહેરમાં આ સાબિત ન કરે તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો કેસ દાખલ કરીશ એવી ચિમકી ચૈતર વસાવાએ આપી હતી. આવું કહીને ચૈતર વસાવાએ ડિબેટ માટે મનસુખ વસાવાને ચેલેન્જ મોકલી હતી.

ચૈતર વસાવાના આ પડાકરને મનસુખ વસાવાએ સ્વીકાર કરીને પહેલા સમય અને જગ્યા બતાવવાની વાત કરી હતી. હવે મનસુખ વસાવાએ જાતે જ સમય અન સ્થળ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે.મનસુખ વસાવા ગુજરાતની ભરૂચ લોકસભા સીટ પરથી સાંસદ છે અને તેમની ગણતરી ભાજપના દિગ્ગજ આદિવાસી નેતાઓમાં થાય છે. મનસુખ વસાવા ભરૂચની સીટ છઠ્ઠી વખત જીતી રહ્યા છે.

ચૈતર વસાવા જે પત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે તેના વિશે મનસુખ વસાવાએ કહ્યું છે કે, તેમણે આવો કોઇ પત્ર લખ્યો જ નથી.મનસુખ વસાવાએ આરોપ લગાવતા કહ્યુ કે રાજકીય લાભ લેવા માટે ચૈતર વસાવા આવું બધું કરી રહ્યા છે.

મનસુખ વસાવાએ 1 એપ્રિલે, રાજપીપળામાં ગાંધી ચોક પાસે ડિબેટ માટે ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આની પર ચૈતર વસાવા શું પ્રતિક્રિયા આપે છે. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં કાર્યકારી અધ્યક્ષની જવાબદારીની સાથે રાજસ્થાનના સહ પ્રભારી પણ બનાવ્યા છે. આમ આદમી પાર્ટીમાં આવતા પહેલા ચૈતર વસાવા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં હતા.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.