2 પત્નીઓના ઝઘડામાં 15 વર્ષ ચાલી પતિના PFની લડાઈ, સિવિલ કોર્ટે હવે પાસ કર્યો ઓર્ડર, જાણો શું છે મામલો

તમને સાંભળીને હેરાની થશે, પરંતુ એક ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીના PF પર 15 વર્ષ લાંબી કાયદાકીય લડાઈ ચાલી. કોર્ટે હવે કર્મચારીના મોતના 21 વર્ષ બાદ ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પર પોતાનો નિર્ણય આપ્યો છે. ત્યારબાદ કર્મચારીના પરિવારને EPFO ​​તરફથી 10 લાખ રૂપિયાથી વધુની રકમ મળશે. વર્ષ 2004 સાથે જોડાયેલો સંબંધિત આ કેસ લાંબા સમય સુધી અટવાયેલો રહ્યો. 2 પત્નીઓના દાવાને કારણે કેસ ગુજરાત હાઇકોર્ટમાં પણ પહોંચ્યો, પરંતુ ગયા અઠવાડિયે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટે આ અનોખા કેસનો નિકાલ કરી દીધો.

શું છે આખો મામલો?

અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા સુરેશચંદ્રનું મે 2004માં મોત થઇ ગયું હતું. ત્યારે તેણે કોઈ વારસાઈ કરી નહોતી. જાન્યુઆરી 2009માં, સુરેશની પત્ની વર્ષાને EPFO​​ના કમિશનર તરફથી એક પત્ર મળ્યો, જેમાં તેને જાણ કરવામાં આવી હતી કે હિનારાણીએ સુરેશચંદ્રની વિધવાના રૂપમાં તેના PFની રકમનો દાવો કર્યો છે. જ્યારે વર્ષાએ આપત્તિ દર્શાવી તો EPFO​​એ ભાર આપીને કહ્યું કે તે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર પ્રાપ્ત કરે. વર્ષ 2010માં શહેરની એક સિવિલ કોર્ટે તેના નામે પ્રમાણપત્ર જાહેર કરવાનો આદેશ આપ્યો. હીનારાણી અને વિલાસપતિએ વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. તેમાં દાવો કરવામાં આવ્યો કે તેઓ સુરેશચંદ્રના કાયદેસર વારસદાર છે. તેમણે તર્ક આપ્યો કે વર્ષા અને વિક્રાંતે ઉત્તર પ્રદેશમાંમાં પેન્ડિંગ કેસ બાબતે વિગતો છુપાવી હતી. તેણે ખોટી રીતે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર મેળવ્યું હતું.

EPFO
economictimes.indiatimes.com

વર્ષ 2017માં ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર રદ કર્યું અને શહેર સિવિલ કોર્ટને બંને પક્ષોને સાંભળ્યા બાદ આ મુદ્દા પર નવેસરથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. સમય સાથે વિલાસ્પતિ, વર્ષા અને વિક્રાંતના દાવા સામે એકમાત્ર વાંધો ઉઠાવનાર બન્યા રહ્યા. વર્ષ 2022માં કોર્ટને કહેવામાં આવ્યું કે વિલાસપતિનું મોત થઈ ગયું છે. તેનો કોઈ વારસદાર નથી. ત્યારબાદ કોર્ટે વર્ષા અને વિક્રાંતની અરજી સ્વીકારી અને તેમને વ્યાજ સાથે PF રકમ ચૂકવવાનો આદેશ આપ્યો.

PF
herofincorp.com

ખાનગી પેઢીના કર્મચારી સુરેશચંદ્રના મોતના લગભગ 21 વર્ષ બાદ તેની પત્ની વર્ષા શુક્લા અને તેના પુત્ર વિક્રાંતને 15 વર્ષની કાયદાકીય લડાઈ બાદ તેમનું પ્રોવિડન્ટ ફંડ (PF) મળશે. સુરેશચંદ્રની બીજી પત્ની હિનારાણી અને પુત્રી વિલાસપતિએ વર્ષાના PF દાવા પર આપત્તિ દર્શાવી હતી. ગયા અઠવાડિયે શહેરની સિવિલ કોર્ટે વર્ષા અને વિક્રાંતને ઉત્તરાધિકાર પ્રમાણ પત્ર આપ્યું, જેમાં કહેવામાં આવ્યું કે મૃતક કર્મચારીની 10 લાખ રૂપિયાથી વધુની PF રકમ તેમને સોંપી દેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.