'ખેડૂતોએ કાળજી રાખવી પડશે..', અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ

ગુજરાતમાં બરબારનો શિયાળો જામી ચૂક્યો છે, ગાત્રો થીજાવતી ઠંડી સાથે પવનની ગતિ પણ વધી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થયા બાદ ફરીથી હાડ થીજાવતી ઠંડી પડશે. તો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ આવ્યો હતો તે હટી જવાને કારણે હવે ઠંડા પવનો ગુજરાત સુધી આવતા રહેશે. જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના રહેશે અને ધીમે-ધીમે રાત્રિનું તાપમાન ક્યાંક 5 ડિગ્રી થવાની પણ સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ હતું કે, મધ્ય ગુજરાતમાં 14-15 ડિગ્રી અને કચ્છમાં 8-10 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના રહેશે. તારીખ 26-27માં એક પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાની સંભાવના છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની સંભાવના છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની સંભાવના છે. આની અસર કચ્છમાં પણ થશે. જેના કારણે 26, 27,28 સુધીમાં વાદળવાયું આવવાની સંભાવના રહેશે.

ambalal-patel4
navajivan.in

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની નજીકના પ્રદેશોમાં ક્યાંક વાદળવાયું વાતાવરણ તો ક્યાંક છાટાં થઈ શકે છે. જોકે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જતા મજબૂત નથી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ફરીથી ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની સંભાવના રહી શકે છે. 27મી જાન્યુઆરીથી દિવસનું તાપમાન થોડું-થોડું વધવાની સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની સંભાવના રહેશે પરંતુ રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જઈ શકે છે. જેના કારણે કૃષિ પાક પર હિમ પડવાની સંભાવના છે. ગુજરાતના વારંવાર બદલાતા હવામાનને કારણે કૃષિ પાકોમાં રોગ થવાની સંભાવના રહેશે. જેથી ખેડૂતોએ કાળજી રાખવી પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે વાયુના તોફાનો સામાન્ય રીતે 10-15 કિમી પ્રતિ કલાક અને આંચકાના પવન 20 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જોકે, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે. અહીં આંચકાના પવન 30થી 34 પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

ambalal-patel
gujarati.abplive.com

તેમણે કહ્યું કે, 4 ફેબ્રુઆરીએ 8 ફેબ્રુઆરી સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ બનશે. જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે. જેના કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવવાની સંભાવના રહેશે. એક બાદ એક પશ્ચિમી વિક્ષોભ આવતા ઠંડીમાં વધઘટ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિસ્ટમમાં ફેરફાર થવાને કારણે હાલમાં વરસાદી વાતાવરણ ટળ્યું છે. પરંતુ 27 જાન્યુઆરી પછી ફરી એકવાર વાદળછાયા માહોલ વચ્ચે હળવો વરસાદ પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠું પડવાની શક્યતા દેખાઈ રહી છે. આ વરસાદની સાથે જ રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે. હાલમાં રાજ્યમાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ આગામી દિવસોમાં ઠંડા પવનના સુસવાટા વધશે. તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં રાત્રિના સમયે તીવ્ર ઠંડીનો અહેસાસ નાગરિકોને થવા લાગશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-02-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.