સુરતમાં દીકરાએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી, પૈસા પણ સળગી ગયા, પિતાએ ફરિયાદ નોંધાવી

સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં લગભગ 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા ગોવર્ધનવાડ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પોતાના પુત્ર સામે જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની વડીલોપાર્જિન મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા વર્ષોથી ભાડે આપી રાખી છે. આ જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા આપી દેવા પુત્ર સની પટેલ વારંવાર માંગણી કરતો અને આના કારણે ઝઘડા પણ કરતો હતો. સાથે જ ભાડે આપેલી જગ્યા નહીં આપવામાં આવે તો સળગાવી દેવાની ચીમકી પણ આપતો રહેતો હતો.

surat
gujaratijagran.com

શનિવારે વહેલી સવારે સનીએ ઘરમાં ફરીથી ઝઘડો કર્યો અને ઝઘડા બાદ સની બહાર જતો રહ્યો. થોડા સમયા બાદ એ પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ લઈ આવ્યો. તેણે ભાડે આપેલી સંપત્તિની બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કોઈને ખબર ન પડે એવી રીતે સની પોતાની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આગ લાગવાથી આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા.

ત્યારબાદ લોકોએ ફાયર વિભાગ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ એ અગાઉ જ ભાડૂયાત વિશાળ પટેલની દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આગને કારણે દુકાનમાં રાખેલા લેઝર મશીન, રેડિયમ કટિંગ મશીન, 3 કમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન બળીને રાખ થઈ ગયું હતું. સાથે જ મકાનના સ્ટ્રકેચરને પણ નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આગમાં ભાડૂત લગભગ 12 લાખનું અને મકાનના સ્ટ્રક્ચર 6 લાખ મળીને કુલ 18 લાખનું નુકસાન થયું છે. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદીના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.