સુરતમાં દીકરાએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી, પૈસા પણ સળગી ગયા, પિતાએ ફરિયાદ નોંધાવી

સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં લગભગ 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા ગોવર્ધનવાડ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પોતાના પુત્ર સામે જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની વડીલોપાર્જિન મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા વર્ષોથી ભાડે આપી રાખી છે. આ જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા આપી દેવા પુત્ર સની પટેલ વારંવાર માંગણી કરતો અને આના કારણે ઝઘડા પણ કરતો હતો. સાથે જ ભાડે આપેલી જગ્યા નહીં આપવામાં આવે તો સળગાવી દેવાની ચીમકી પણ આપતો રહેતો હતો.

surat
gujaratijagran.com

શનિવારે વહેલી સવારે સનીએ ઘરમાં ફરીથી ઝઘડો કર્યો અને ઝઘડા બાદ સની બહાર જતો રહ્યો. થોડા સમયા બાદ એ પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ લઈ આવ્યો. તેણે ભાડે આપેલી સંપત્તિની બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કોઈને ખબર ન પડે એવી રીતે સની પોતાની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આગ લાગવાથી આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા.

ત્યારબાદ લોકોએ ફાયર વિભાગ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ એ અગાઉ જ ભાડૂયાત વિશાળ પટેલની દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આગને કારણે દુકાનમાં રાખેલા લેઝર મશીન, રેડિયમ કટિંગ મશીન, 3 કમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન બળીને રાખ થઈ ગયું હતું. સાથે જ મકાનના સ્ટ્રકેચરને પણ નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આગમાં ભાડૂત લગભગ 12 લાખનું અને મકાનના સ્ટ્રક્ચર 6 લાખ મળીને કુલ 18 લાખનું નુકસાન થયું છે. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદીના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા...
Business 
પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ...
Entertainment 
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થાને પણ પડકાર ફેંક્યો છે. પ્રેમ લગ્ન...
National 
પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -09-01-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.