સુરતમાં દીકરાએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી, પૈસા પણ સળગી ગયા, પિતાએ ફરિયાદ નોંધાવી

સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં લગભગ 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા ગોવર્ધનવાડ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પોતાના પુત્ર સામે જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની વડીલોપાર્જિન મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા વર્ષોથી ભાડે આપી રાખી છે. આ જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા આપી દેવા પુત્ર સની પટેલ વારંવાર માંગણી કરતો અને આના કારણે ઝઘડા પણ કરતો હતો. સાથે જ ભાડે આપેલી જગ્યા નહીં આપવામાં આવે તો સળગાવી દેવાની ચીમકી પણ આપતો રહેતો હતો.

surat
gujaratijagran.com

શનિવારે વહેલી સવારે સનીએ ઘરમાં ફરીથી ઝઘડો કર્યો અને ઝઘડા બાદ સની બહાર જતો રહ્યો. થોડા સમયા બાદ એ પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ લઈ આવ્યો. તેણે ભાડે આપેલી સંપત્તિની બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કોઈને ખબર ન પડે એવી રીતે સની પોતાની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આગ લાગવાથી આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા.

ત્યારબાદ લોકોએ ફાયર વિભાગ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ એ અગાઉ જ ભાડૂયાત વિશાળ પટેલની દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આગને કારણે દુકાનમાં રાખેલા લેઝર મશીન, રેડિયમ કટિંગ મશીન, 3 કમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન બળીને રાખ થઈ ગયું હતું. સાથે જ મકાનના સ્ટ્રકેચરને પણ નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આગમાં ભાડૂત લગભગ 12 લાખનું અને મકાનના સ્ટ્રક્ચર 6 લાખ મળીને કુલ 18 લાખનું નુકસાન થયું છે. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદીના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.