PUC કઢાવવા લાઇનમાં ઉભા રહીને કંટાળી ગયા હોવ તો આ વાંચી લેજો

ગુજરાતમાં સરકારની જાહેરાત અનુસાર 16 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થવનો છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલમાં કેટલાક સુધારાઓ કરીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડમાં આંશિક રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકારની જાહેરાત પછી રાજ્યના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને PUC સેન્ટરની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક લોકોએ તો રાજ્ય સરકાર પાસેથી PUC મેળવવાના સમયમાં વધારો કરવાની માગ પણ કરી હતી. લોકોની માગના આધારે સરકાર દ્વારા PUC મેળવાના અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

PUC સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોની લાંબી લાઈન હજુ પણ PUC સેન્ટરની બહાર જોવા મળે છે. હવે PUC કઢાવવા ઈચ્છાતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવેથી PUCમેળવવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. વાહન વ્યવહાર કમિશનરના આ નિર્ણયથી લોકોને PUC મેળવામાં ઘણી રાહત મળશે. આવતી કાલથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થવાની ત્યારે લોકોને દંડ ન ભરવો પડે તે માટે લોકો તેમના ખૂટતા તમામ ડોક્યુમેન્ટ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે લોકોને PUC કઢાવવા માટે પડતી મુશ્કેલીને જોઈને વાહન વ્યવહાર કમીશનરે રાજ્યમાં વધુ 1500 જેટલા PUC સેન્ટરો ખોલવા માટેની અરજીઓ મંગાવી છે.

1500 જેટલા નવા PUC સેન્ટરો ખૂલવાથી વાહન ચાલકોને PUC મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે, તેનાથી છુટકારો મળશે અને PUC સરળતાથી મળી રહે છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થયા પછી વાહન ચાલકનું વાહન RTO કે, ટ્રાફિક પોલીસ દ્વારા પૂરાવાઓના અભાવે જમા કરવામાં આવે છે, તો વાહન ચાલક વાહન જમાના 15 દિવસની અંદર પોતાના વાહનના પુરાવાઓ પોલીસને બતાવીને તેનું વાહન કોઈ પણ પ્રકારનો દંડ ભર્યા વગર પણ છોડાવી શકે છે.

Related Posts

Top News

કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

નેપાળના રાજકારણમાં વધુને વધુ લોકપ્રિય બનેલા કાઠમંડુ મેટ્રોપોલિટન મેયર બાલેન શાહ માત્ર એક સફળ રાજકારણી જ નહીં પરંતુ એક જાણીતા...
Business 
કાઠમંડુના મેયર બાલેન શાહ પાસે છે આટલી મિલકત, યુવાનોમાં ખુબ લોકપ્રિય

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 10-9-2025 વાર- બુધવાર મેષ - પેટને લગતી બીમારીઓમાં રાહત મળે, કોર્ટ કચેરીના કામમાં સાચવવું, આજે કોઈની સલાહ વગર કામ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.