ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ, 392 રસ્તા બંધ – 8357 લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમો ઓવરફ્લો થયા છે. સતત વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં હાલ 392 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

Rain1
abplive.com

સિઝનનો 106% વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સોમવારે જાહેર કરાયેલા "ચોમાસું-2025" રિપોર્ટ મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 943 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ કરતાં 106 ટકા છે. 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી., 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે 6થી સાંજે 4 સુધીમાં કચ્છના લખપતમાં 5.12 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ અને નખત્રાણામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે.

132 ડેમ હાઈ અલર્ટ પર

ગુજરાતના 206 ડેમમાંથી હાલમાં 132 ડેમ હાઈ અલર્ટ પર છે, 19 ડેમ માટે અલર્ટ અને 14 માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 101 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 64 ડેમ 70થી 100% ક્ષમતા સુધી ભરાયા છે. નર્મદા ડેમ પણ 91% સુધી ભરાયો છે.

Rain2
abplive.com

8357 લોકોનું સ્થળાંતર

SEOCના આંકડા મુજબ, 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અતિભારે વરસાદને કારણે રાજ્યભરમાં 8357 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત, આપત્તિજનક પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં 1154 લોકોને બચાવાયા છે.

 

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.