ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ, 392 રસ્તા બંધ – 8357 લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમો ઓવરફ્લો થયા છે. સતત વરસાદથી અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યમાં હાલ 392 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

Rain1
abplive.com

સિઝનનો 106% વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા સોમવારે જાહેર કરાયેલા "ચોમાસું-2025" રિપોર્ટ મુજબ, આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 943 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ કરતાં 106 ટકા છે. 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી., 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે 6થી સાંજે 4 સુધીમાં કચ્છના લખપતમાં 5.12 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, ભચાઉમાં 4.13 ઇંચ અને નખત્રાણામાં 3.58 ઇંચ વરસાદ નોંધાયો છે.

132 ડેમ હાઈ અલર્ટ પર

ગુજરાતના 206 ડેમમાંથી હાલમાં 132 ડેમ હાઈ અલર્ટ પર છે, 19 ડેમ માટે અલર્ટ અને 14 માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. રાજ્યના 101 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 64 ડેમ 70થી 100% ક્ષમતા સુધી ભરાયા છે. નર્મદા ડેમ પણ 91% સુધી ભરાયો છે.

Rain2
abplive.com

8357 લોકોનું સ્થળાંતર

SEOCના આંકડા મુજબ, 1 જૂનથી 8 સપ્ટેમ્બર, 2025 દરમિયાન અતિભારે વરસાદને કારણે રાજ્યભરમાં 8357 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરાંત, આપત્તિજનક પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં 1154 લોકોને બચાવાયા છે.

 

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.