જે દીકરા-દીકરી માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેમનો સામાજિક બહિષ્કાર કરો: હર્ષ સંઘવી

માતા-પિતા પોતાના બાળકોને પોતાની દેખરેખ હેઠળ ઉછેરે, મોટા કરે, ભણાવે-ગણાવે અને પછી મોટા થઈને પગભર થઈ જાય ત્યાં સુધી તેમનો સહારો બનીને ઊભા રહે છે. તો બાળકોની પણ ફરજ બને કે, માતા-પિતા વૃદ્ધ થઈ જાય છે, જ્યારે તેમના હાથ-પગ ઓછા કામ કરતા થઈ જાય, જ્યારે તેમની આંખે ઓછું દેખાતું થઈ જાય ત્યારે તેમની સારી દેખરેખ કરવી જોઇએ. પરંતુ કેટલાક લોકો પોતાની જવાબદારીઓથી છટકીને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. તો આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમ અંગે બોલતા કહ્યું કે, માતા-પિતા રાત દિવસ મહેનત કરે છે. મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે, દીકરા-દીકરી મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે, તે માટે તેમને ભણાવે છે. સારી નોકરી મળે, સારો વેપાર મળે તે માટે મા ખોડલ અને મા અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે અને આવા દીકરા-દીકરીઓ જ્યારે સફળ થઈ જાય છે, ત્યારે તેમને માતા-પિતા સાથે રહેતા શરમ આવવા લાગે છે. અને એ માતા-પિતાને ક્યાં તો ગામ મૂકી આવે ક્યાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીં બેઠા મારા સૌ સાથીઓને વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર ન પડે.  નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું તમારો આભાર માનું છું. પરંતુ વૃદ્ધાશ્રમોને તાળાં કેવી રીતે લાગે એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

તેમણે વધુમાં કહ્યું કે,  હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે, જે દીકરા-દીકરી તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, એવા દીકરા-દીકરી ગમે એટલા સફળ થઈ જાય, ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયા આપને દાન આપી શકે, પરંતુ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા-દીકરી તેમના માતા-પિતા મૂકશે એવા દીકરા-દીકરોનો એક રૂપિયો એક્સેપ્ટ કરવામાં નહીં આવે.  એને સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જુઓ કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખત નિયમો બનાવવા અને નિર્ણયો લેવા જોઇએ એવું મારે 100 ટકા માનવું છે.  

About The Author

Related Posts

Top News

રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

નેશનલ હેરાલ્ડ અખબારને કોંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકાર તરફથી અન્ય કોઈપણ રાષ્ટ્રીય દૈનિક અખબાર કરતાં વધુ જાહેરાત ભંડોળ મળ્યું હતું...
National 
રાજ્યમાં સર્ક્યુલેશન ન ધરાવતા નેશનલ હેરાલ્ડ અખબારને કર્ણાટક સરકારે સૌથી વધુ જાહેરાતનું ભંડોળ ફાળવ્યું!

શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

મહારાષ્ટ્રના રાજકારણમાં એક ગજબનો ખેલ જોવા મળ્યો. ક્યાંક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન બનાવ્યું, તો ક્યાંક ઓવૈસીએ ભાજપ સાથે...
Politics 
શિંદે સત્તાથી બહાર, અંબરનાથ કોંગ્રેસ મુક્ત; જ્યાં કોંગ્રેસ-ભાજપનું ગઠબંધન બન્યું હતું, ત્યાં નવો ખેલ થઈ ગયો

આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં એક સ્ટોરેજ સેન્ટરમાંથી 7 કરોડ રૂપિયાના ડાંગર ગાયબ થઇ ગયા છે. અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે...
National 
આવું કેવું? 7 કરોડનો ડાંગર ઉંદરો અને ઉધઈ કેવી રીતે ખાઈ ગયા?

ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...

ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને...
Governance 
ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.