જે દીકરા-દીકરી માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેમનો સામાજિક બહિષ્કાર કરો: હર્ષ સંઘવી

માતા-પિતા પોતાના બાળકોને પોતાની દેખરેખ હેઠળ ઉછેરે, મોટા કરે, ભણાવે-ગણાવે અને પછી મોટા થઈને પગભર થઈ જાય ત્યાં સુધી તેમનો સહારો બનીને ઊભા રહે છે. તો બાળકોની પણ ફરજ બને કે, માતા-પિતા વૃદ્ધ થઈ જાય છે, જ્યારે તેમના હાથ-પગ ઓછા કામ કરતા થઈ જાય, જ્યારે તેમની આંખે ઓછું દેખાતું થઈ જાય ત્યારે તેમની સારી દેખરેખ કરવી જોઇએ. પરંતુ કેટલાક લોકો પોતાની જવાબદારીઓથી છટકીને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. તો આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમ અંગે બોલતા કહ્યું કે, માતા-પિતા રાત દિવસ મહેનત કરે છે. મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે, દીકરા-દીકરી મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે, તે માટે તેમને ભણાવે છે. સારી નોકરી મળે, સારો વેપાર મળે તે માટે મા ખોડલ અને મા અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે અને આવા દીકરા-દીકરીઓ જ્યારે સફળ થઈ જાય છે, ત્યારે તેમને માતા-પિતા સાથે રહેતા શરમ આવવા લાગે છે. અને એ માતા-પિતાને ક્યાં તો ગામ મૂકી આવે ક્યાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીં બેઠા મારા સૌ સાથીઓને વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર ન પડે.  નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું તમારો આભાર માનું છું. પરંતુ વૃદ્ધાશ્રમોને તાળાં કેવી રીતે લાગે એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

તેમણે વધુમાં કહ્યું કે,  હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે, જે દીકરા-દીકરી તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, એવા દીકરા-દીકરી ગમે એટલા સફળ થઈ જાય, ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયા આપને દાન આપી શકે, પરંતુ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા-દીકરી તેમના માતા-પિતા મૂકશે એવા દીકરા-દીકરોનો એક રૂપિયો એક્સેપ્ટ કરવામાં નહીં આવે.  એને સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જુઓ કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખત નિયમો બનાવવા અને નિર્ણયો લેવા જોઇએ એવું મારે 100 ટકા માનવું છે.  

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.