જે દીકરા-દીકરી માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેમનો સામાજિક બહિષ્કાર કરો: હર્ષ સંઘવી

માતા-પિતા પોતાના બાળકોને પોતાની દેખરેખ હેઠળ ઉછેરે, મોટા કરે, ભણાવે-ગણાવે અને પછી મોટા થઈને પગભર થઈ જાય ત્યાં સુધી તેમનો સહારો બનીને ઊભા રહે છે. તો બાળકોની પણ ફરજ બને કે, માતા-પિતા વૃદ્ધ થઈ જાય છે, જ્યારે તેમના હાથ-પગ ઓછા કામ કરતા થઈ જાય, જ્યારે તેમની આંખે ઓછું દેખાતું થઈ જાય ત્યારે તેમની સારી દેખરેખ કરવી જોઇએ. પરંતુ કેટલાક લોકો પોતાની જવાબદારીઓથી છટકીને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. તો આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમ અંગે બોલતા કહ્યું કે, માતા-પિતા રાત દિવસ મહેનત કરે છે. મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે, દીકરા-દીકરી મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે, તે માટે તેમને ભણાવે છે. સારી નોકરી મળે, સારો વેપાર મળે તે માટે મા ખોડલ અને મા અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે અને આવા દીકરા-દીકરીઓ જ્યારે સફળ થઈ જાય છે, ત્યારે તેમને માતા-પિતા સાથે રહેતા શરમ આવવા લાગે છે. અને એ માતા-પિતાને ક્યાં તો ગામ મૂકી આવે ક્યાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીં બેઠા મારા સૌ સાથીઓને વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર ન પડે.  નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું તમારો આભાર માનું છું. પરંતુ વૃદ્ધાશ્રમોને તાળાં કેવી રીતે લાગે એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે.

harsh sanghavi
x.com/sanghaviharsh

તેમણે વધુમાં કહ્યું કે,  હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે, જે દીકરા-દીકરી તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, એવા દીકરા-દીકરી ગમે એટલા સફળ થઈ જાય, ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયા આપને દાન આપી શકે, પરંતુ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા-દીકરી તેમના માતા-પિતા મૂકશે એવા દીકરા-દીકરોનો એક રૂપિયો એક્સેપ્ટ કરવામાં નહીં આવે.  એને સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જુઓ કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખત નિયમો બનાવવા અને નિર્ણયો લેવા જોઇએ એવું મારે 100 ટકા માનવું છે.  

About The Author

Related Posts

Top News

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.