જિગ્નેશ મેવાણીએ જણાવ્યું- આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કેટલી સીટ મળશે

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી અપક્ષ ચૂંટણી જીતનારા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી જ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં મેવાણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળશે તેના વિશે વાત કરી છે.

એક ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ નેતા અને વડગામ બેઠકના ઉમેદવાર જિગ્નેશ મેવાણીને સવાલ પુછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં કેટલી સંભાવના તમને દેખાઇ રહી છે? AAPનું ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહેશે?  આ સવાલના જવાબમાં કોંગ્રેસના વર્કિંગ પ્રેસડિન્ટ જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો હતો કે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ સીટ મળશે નહીં. મેવાણીએ કહ્યું કે , હું પુરા હોશ સાથે અને તટસ્થ રહીને કહી રહ્યો છું. તમે મારી આ વિડિયો ક્લિપને સાચવીને રાખજો. આ વીડિયો ક્લિપ અને મારા નિવેદનના આધારે તમે મને આ ચૂંટણી પછી પ્રશ્નો પૂછજો. આ સમયે મારા મતે આ વાસ્તવિકતા છે. ગુજરાતમાં સુરત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આમ આદમી પાર્ટીની સ્થિતિ અન્ય પાર્ટીઓ કરતા સારી દેખાય છે. પરંતુ, મને શંકા છે કે તેમને સુરતમાં પણ કોઈ બેઠક મળશે કે કેમ. AAP સુરતમાં ચોક્કસ લડત આપશે, પરંતુ મને નથી લાગતું  કે કોઇ સીટ મેળવવામાં તેમને સફળતા મળી શકે.

જિગ્નેશ મેવાણીને એક સવાલ હાર્દિક પટેલ સાથે જોડાયેલો પણ પુછવામાં આવ્યો હતો. સવાલ એ પુછવામાં આવ્યો હતો કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે મળીને કસમ ખાતા હતા કે ગુજરાતમાંથી ભાજપને ઉખેડીને ફેંકી દઇશું. પરંતુ, 2022ની ચૂંટણીના કેટલાંક મહિનાઓ પહેલાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. આની પાછળ જિગ્નેશ મેવાણીને કયું કારણ નજરે પડી રહ્યું છે?

જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું હતું કે હું જે કહેવા જઇ રહ્યો છું તે વાત કદાચ હાર્દિકને પસંદ નહીં પડે, પરંતુ મારું માનવું છે કે, હાર્દિકની સામે જે 30થી 35 કેસો ચાલે છે, તેમાંથી બે-ત્રણ રાજદ્રોહ જેવા ગંભીર કેસો છે. એ કેસોને લઇને 12થી 15 વર્ષની સજાનો હાર્દિકને ડર હોય અથવા તેને ધમકાવવામાં આવ્યો હોય. હાર્દિકનું ભાજપમાં જોડાવવાનું મને આ કારણ લાગે છે.

મેવાણીને સવાલ પુછવામાં આવ્યો કે શું હાર્દિક પટેલ ફરી કોંગ્રેસમાં આવી શકે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા પણ અને ના પણ. પરંતુ એક વાત નક્કી છે કે જિગ્નેશ મેવાણી ક્યારેય ભાજપ જોઇન નહીં કરે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.