રહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, 10 વર્ષમાં 7 વખત પતિને જેલ મોકલ્યો, પછી..

પેલી એક કહેવત છે ને કે, ‘રહેવાય પણ નહીં, અને સહેવાય પણ નહીં’, ગુજરાતના આ કપલ માટે કહેવત એકદમ ફિટ બેસે છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક મહિલા ઘરેલુ હિંસાનું ત્રાસીને પોતાના પતિને 10 વર્ષમાં 7 વખત જેલ મોકલી ચૂકી છે, પરંતુ દરેક ધરપકડના થોડા મહિના બાદ તે પોતે જ ગેરન્ટર બનીને પતિને જામીન પર છોડાવી લાવે છે. પાટણના રહેવાસી પ્રેમચંદ માળીના લગ્ન વર્ષ 2001માં મહેસાણાની રહેવાસી સોનૂ માળી સાથે થયા હતા. ત્યારબાદ બંને જ કડીમાં રહેવા લાગ્યા.

શરૂઆતમાં જિંદગી સારી ચાલી રહી હતી, પરંતુ વર્ષ 2014 સુધીમાં બંને વચ્ચે મોટા ભાગે ઝઘડા થવા લાગ્યા. વાત અહીં સુધી પહોંચી ગઈ હતી કે પ્રેમચંદ પત્નીને મારવા લાગ્યો. દુઃખી થઈને વર્ષ 2015માં સોનૂએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કે નોંધાવી લીધો. કોર્ટે પ્રેમચંદને દર મહિને 2 હાંજા રૂપિયા ભરણ-પોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો. દહાડી મજૂર પ્રેમચંદ પત્નીને ભરણ-પોષણ ભથ્થું ન આપી શક્યો તો તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર થઈ ગયું. તેની ધરપકડ કરી લેવામાં આવી અને 5 મહિના સુધી જેલમાં રહ્યો.

જો કે, પ્રેમચંદનું કોઈ બીજું નહીં, તો સોનૂ જ આગળ આવી અને ગેરન્ટર બનીને તેના જામીન કરાવ્યા. કાયદાકીય રૂપે અલગ થવા છતા બંને ફરી સાથે રહેવા લાગ્યા, પરંતુ થોડા દિવસ બાદ ફરી તેમની વચ્ચે વિવાદ થઈ ગયો અને પ્રેમચંદ સોનૂને મારવા લાગ્યો. વર્ષ 2016-18 વચ્ચે સોનૂની ફરિયાદના આધાર પર દર વર્ષે પ્રેમચંદની ધરપકડ કરવામાં આવી. દરેક વખત થોડા દિવસ બાદ સોનૂએ જ જામીન અપાવ્યા. વર્ષ 2019 અને વર્ષ 2020માં પણ પ્રેમચંદ ભરણ-પોષણ ભથ્થું ન આપી શક્યો અને તેના કારણે તેને વધુ 2 વખત જેલ જવું પડ્યું.

આ બંને વખતે પણ સોનૂ જ તેની રક્ષક બની અને જામીન અપાવ્યા. આ વખત એક વખત ફરી પ્રેમચંદ ભથ્થું ન આપી શક્યો અને જેલ જવું પડ્યું. દર વખતની જેમ સોનૂએ 4 જુલાઇના રોજ તેને છોડાવ્યો. 5 જુલાઇના રોજ જ પ્રેમચંદનું પર્સ અને ફોન ખોવાઈ ગયા. તેણે સોનૂને પૂછ્યું તો તેણે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ બંનેમાં બહેસ અને ફરી ઝઘડો થઈ ગયો. ઝપાઝપી થઈ. 20 વર્ષીય દીકરા રવિએ પણ પ્રેમચંદ પર બેટથી હુમલો કર્યો. હવે પ્રેમચંદે પોલીસને ફરિયાદ કરી છે અને કહ્યું કે સોનૂએ તેની આંખમાં મરચાંનો પાઉડર નાખી દીધો. તેણે 7 જુલાઇના રોજ સોનૂ અને દીકરા વિરુદ્ધ FIR નોંધાવી છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.