ભત્રીજીને સપનું આવ્યું તો 500KM દૂર જઈને શિવલિંગ ચોર્યું! પછી...

મહાશિવરાત્રિના એક દિવસ અગાઉ જ દ્વારકા સ્થિત પ્રાચીન મહાદેવના મંદિરમાંથી શિવલિંગની ચોરી થતા હાહાકાર મચી ગયો હતો. પહેલા કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવી હતી, જેના કારણે પોલીસે સ્કૂબા ડાઇવિંગ ટીમ સાથે સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું. પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે મામલો ચોંકાવનારો નીકળ્યો.

દ્વારકાથી 500 કિલોમીટર દૂર સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા મહેન્દ્ર મકવાણાની ભત્રીજીને એક સપનું આવ્યું હતું. સપનામાં પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરવાથી પરિવારની પ્રગતિનો સંકેત મળ્યા હતા, ત્યારબાદ પરિવારે મંદિરમાંથી શિવલિંગ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આ ષડયંત્રને અંજામ આપવા માટે પરિવારના 7-8 સભ્યો ઘણા દિવસો અગાઉ દ્વારકા પહોંચ્યા હતા અને મંદિરની રેકી કરી હતી. ત્યારબાદ તક મળતા જ તેમણે શિવલિંગની ચોરી કરીને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધી.

03

તપાસ કરી રહેલી પોલીસે ટેક્નિકલ અને માનવ સ્ત્રોતોની મદદથી આરોપીઓની જાણકારી મેળવી અને મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની 3 મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના SP નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસને ઘરમાંથી ચોરીનું શિવલિંગ પણ મળી ગયું છે.

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.