અમદાવાદમાં ફરી ‘સેવન્થ ડે’વાળી, નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ, પટ્ટા-લાકડી વડે....

અમદાવાદની બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલની ઘટના વિષે તમે જાણતા જ હશો, જ્યાં એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, ત્યારબાદ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. હવે નેશનલ સ્કૂલની બહાર આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય છે. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ વિદ્યાર્થીવોરની ઘટના જોઈ કોઈ નહીં કહે કે આ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓએ વચ્ચે થયેલી મારામારીમાં એક વિદ્યાર્થીને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો હતો.

student
divyabhaskar.co.in

મળતી માહિતી અનુસાર, ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર 10માં ધોરણના વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

divyabhaskar.co.inના અહેવાલ મુજબ, આ હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટના અંગે જાણ થતા ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને ફગાવી દીધી છે. વિદ્યાર્થીઓ વચ્ચે લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે.

 આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાબોલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે. DEO રોહિત ચૌધરીએ શાળાના સંચાલક પાસેથી તાત્કાલિક અહેવાલ માંગ્યો છે.

DEO
divyabhaskar.co.in

આ ઘટના અંગે નેશનલ સ્કૂલ ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, ‘અમારી સ્કૂલથી જ 100 મીટર દૂર આ ઘટના બની છે, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો હતો. જે દરમિયાન બહારથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ અમારી સ્કૂલના વિદ્યાર્થીને માથામાં કડુ માર્યું હતું. અમારા સ્કૂલના વિદ્યાર્થીને ઇજા થતા તેને અમારા ખર્ચે સારવાર આપવામાં આવી છે. સામાન્ય સારવાર આપ્યા બાદ તેને વાલી સાથે પરત ઘરે મોકલી દેવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીને એવું પણ કહ્યું છે કે, જો આવું કંઈ પણ થાય તો તમારે તરત જ સ્કૂલમાં આવવું જોઈએ. આપણું કામ શિક્ષણ લેવાનું છે, ભણવાનું છે, મારામારી કરવાનું નથી.

About The Author

Top News

20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વર્ષ 1997માં ઘટના બની હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ પર માત્ર 20 રૂપિયાની લાંચ...
Gujarat 
20 રૂપિયાના લાંચ કેસમાં 20 વર્ષે નિર્દોષ જાહેર થયા, ઘરે આવ્યા અને રાત્રે પ્રાણ પખેરું ઊડી ગયું

ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા....
Gujarat 
ઉદ્યોગકારોની જવાબદારી માત્ર ગુજરાત પુરતી નથી: આરિફ મોહમંદ ખાન

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દાનું સામાજિક બંધારણ બનાવ્યું હતું, જેમાં એક મુદ્દો...
Gujarat 
સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

નોઈડાના યુવરાજની જેમ જ, દિલ્હીના કમલનું પણ ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું. સોમવારે મોડી રાત્રે કમલ રોહિણી સ્થિત તેની...
National 
દિલ્હીમાં ખાડામાં પડતા કમલે જીવ ગુમાવ્યો, પરિવાર રાત્રે પોલીસ સ્ટેશન ગયો તો પોલીસે સવારે બોલાવ્યા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.