મોડાસામાં એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા, મળ્યા 250 રૂપિયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકસાથે સાત દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામ્યો છે. દુકાનોમાંથી તસ્કરોને કાંઈ જ હાથે ન લાગ્યું પણ તસ્કરો ડીવીઆઈર લઈ ગયા પરંતુ રૂપિયાનો હાથ ફેરો કરવા જતા માત્ર 70 રૂપિયા અને 250 રૂપિયા હાથ લાગ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા સાત દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડાસાના હજીરા-ગણેશપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની બે દુકાન, માર્બલ, સ્પેરપાર્ટ તેમજ ખાનગી ફાઈનાન્સ મળીને સાત જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મોટાભાગની દુકાનોમાં રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેવું લાગ્યું, પણ કેટલીક દુકાનોમાંથી માત્ર 70 રૂપિયા કે 250 રૂપિયા તસ્કરોને મળ્યા હતા. તસ્કરો હવે આધુનિક બની ગયા હોય તેવા પુરાવા મળ્યા. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પીઆઈ એ દુકાનોની મુલાકાત લીધી હતી અને ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા. જોકે તસ્કરો ક્યારે પોલીસના હાથે લાગશે, તે જોવું રહ્યું.

અરવલ્લીના મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જેમાં ચોલા ફાઈનાન્સ, બે ફટાકડાની દુકાનો, તેમજ માર્બલ સહિતની દુકાનોમાં ચોરી ની ઘટનાને અંજામ આપ્યો. અજીબ વાત એ છે કે, દુકાનોમાંથી માત્ર 70 250 અને 100 રૂપિયા મળ્યા હતા. તસ્કરોએ સીસીટીવીથી બચવા ડીવીઆર પણ લઈ ગયા હતા.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.