મોડાસામાં એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા, મળ્યા 250 રૂપિયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકસાથે સાત દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામ્યો છે. દુકાનોમાંથી તસ્કરોને કાંઈ જ હાથે ન લાગ્યું પણ તસ્કરો ડીવીઆઈર લઈ ગયા પરંતુ રૂપિયાનો હાથ ફેરો કરવા જતા માત્ર 70 રૂપિયા અને 250 રૂપિયા હાથ લાગ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા સાત દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડાસાના હજીરા-ગણેશપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની બે દુકાન, માર્બલ, સ્પેરપાર્ટ તેમજ ખાનગી ફાઈનાન્સ મળીને સાત જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મોટાભાગની દુકાનોમાં રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેવું લાગ્યું, પણ કેટલીક દુકાનોમાંથી માત્ર 70 રૂપિયા કે 250 રૂપિયા તસ્કરોને મળ્યા હતા. તસ્કરો હવે આધુનિક બની ગયા હોય તેવા પુરાવા મળ્યા. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પીઆઈ એ દુકાનોની મુલાકાત લીધી હતી અને ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા. જોકે તસ્કરો ક્યારે પોલીસના હાથે લાગશે, તે જોવું રહ્યું.

અરવલ્લીના મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જેમાં ચોલા ફાઈનાન્સ, બે ફટાકડાની દુકાનો, તેમજ માર્બલ સહિતની દુકાનોમાં ચોરી ની ઘટનાને અંજામ આપ્યો. અજીબ વાત એ છે કે, દુકાનોમાંથી માત્ર 70 250 અને 100 રૂપિયા મળ્યા હતા. તસ્કરોએ સીસીટીવીથી બચવા ડીવીઆર પણ લઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.