મોડાસામાં એકસાથે 7 દુકાનોના તાળા તૂટ્યા, મળ્યા 250 રૂપિયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકસાથે સાત દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામ્યો છે. દુકાનોમાંથી તસ્કરોને કાંઈ જ હાથે ન લાગ્યું પણ તસ્કરો ડીવીઆઈર લઈ ગયા પરંતુ રૂપિયાનો હાથ ફેરો કરવા જતા માત્ર 70 રૂપિયા અને 250 રૂપિયા હાથ લાગ્યા હતા.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવતા સાત દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મોડાસાના હજીરા-ગણેશપુર વિસ્તારમાં આવેલા ફટાકડાની બે દુકાન, માર્બલ, સ્પેરપાર્ટ તેમજ ખાનગી ફાઈનાન્સ મળીને સાત જેટલી દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મોટાભાગની દુકાનોમાં રોકડ રકમ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેવું લાગ્યું, પણ કેટલીક દુકાનોમાંથી માત્ર 70 રૂપિયા કે 250 રૂપિયા તસ્કરોને મળ્યા હતા. તસ્કરો હવે આધુનિક બની ગયા હોય તેવા પુરાવા મળ્યા. પોલીસના હાથે ઝડપાઈ ન જાય તે માટે તસ્કરોએ દુકાનમાં લાગેલા સીસીટીવીના ડીવીઆર પણ ઉઠાવીને લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલીસની બે ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મોડાસા ટાઉન પીઆઈ એ દુકાનોની મુલાકાત લીધી હતી અને ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કર્યા હતા. જોકે તસ્કરો ક્યારે પોલીસના હાથે લાગશે, તે જોવું રહ્યું.

અરવલ્લીના મોડાસાના હજીરા વિસ્તારમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો, જેમાં ચોલા ફાઈનાન્સ, બે ફટાકડાની દુકાનો, તેમજ માર્બલ સહિતની દુકાનોમાં ચોરી ની ઘટનાને અંજામ આપ્યો. અજીબ વાત એ છે કે, દુકાનોમાંથી માત્ર 70 250 અને 100 રૂપિયા મળ્યા હતા. તસ્કરોએ સીસીટીવીથી બચવા ડીવીઆર પણ લઈ ગયા હતા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.