સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં એક સમાચારે હડકંપ મચી ગયો છે. અનબ જેમ્સ નામની ડાયમંડ કંપનીમાં બુધવારે  લગભગ 104 રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ કંપનીના RO પ્લાન્ટના પાણીમાં કોઇકે અનાજ નાંખવાની ઝેરી દવા નાંખી દીધી હતી. ત્યાંથી સેલ્ફોસ નામની દવાની પડીકી પણ મળી હતી.

રત્નકલાકારોને જ્યારે પાણીનો સ્વાદ અલગ લાગ્યો ત્યારે ખબર પડી કે પાણીમાં કોઇકે અનાજમાં નાંખવાની દવા નાંખી છે. સ્ટાફની સુરક્ષા માટે ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટાલમાં લઇ જવામાં આવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ 2 રત્નકલાકારોને ICUમાં દાખલ કરવા પડ્યા છે.

કાપોદ્રા-2ના પોલીસ ઇન્સ્પેક્ટ એમ.એસ. સોલંકીએ કહ્યું કે, બેઝીક ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે કે પાણીમાં અનાજ નાંખવાની દવા કોણે નાંખી હતી?

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.