ઓરો યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારોહ શનિવારે

ઓરો યુનિવર્સિટી, સુરત, શનિવાર, 27 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 4:45 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ ખાતે 13મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવા જઈ રહી છે. આ ગૌરવપૂર્ણ સમારોહમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) તથા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) ના સ્થાપક અને ચેરમેન એમેરિટસ ગોવિંદ ધોળકિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

 હસમુખભાઈ પી. રામાના નેતૃત્વ હેઠળ સ્થાપિત અને અરવિંદ તથા માતાજીના તત્વજ્ઞાનથી પ્રેરિત ઔરો યુનિવર્સિટી ઈન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગનું અગ્રણી શૈક્ષણિક સંસ્થાન છે. યુનિવર્સિટીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 (NEP-2020)ને અસરકારક રીતે અમલમાં મૂકી છે.

13મા દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ 313 વિદ્યાર્થીઓ (160 પુરૂષ અને 153 મહિલા) ને પી.એચ.ડી., અનુસ્નાતક, સ્નાતક ડિગ્રી તથા ડિપ્લોમા એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 32 રેન્ક હોલ્ડરોને સન્માનિત કરવામાં આવશે, જેમાં 14 સુવર્ણ પદક અને 18 રજત પદકનો સમાવેશ થાય છે. સાથે જ, બે સંશોધન વિદ્વાનોને પી.એચ.ડી. ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ સમારોહ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી તેમજ તેમના વ્યાવસાયિક જીવનની નવી શરૂઆતનું મહત્વપૂર્ણ મથક છે.

 

About The Author

Related Posts

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.