સુરતમાં રવિવારે રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન

RSS સાથે જોડાયેલી ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 ડિસેમ્બર, રવિવારે સવારે 6 વાગ્યે VNSGU કન્વેન્શન સેન્ટર પાસેથી રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના મહામંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, 2, 5 કિ.મી. 10. કિમી. અને 21 કિ.મીની હાફ મેરેથોનું આયોજન કરવામાં આવ્યું છે. જે ફંડ ભેગું થશે તે કિશોરી વિકાસના કાર્યમાં વપરાશે.

ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ રાષ્ટ્રીય સેવા ભારતી સાથે સંલગ્ન સુરતમાં કામ કરતી સેવા સંસ્થા છે જે 1988થી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. સમાજના
છેવાડાના વ્યક્તિના ઉત્થાન માટે પ્રયાસરત સમાજની અનેક સેવા સંસ્થાઓની જેમ આ સંસ્થા પણ આ સમાજની વચ્ચે કામ કરે છે જ.

આપણે સૌ જાણીએ છીએ કે સ્લમ ફ્રી મહાનગરોમાં સેવા વસ્તી એટલે કે સ્લમસનું બહારનું સ્વરૂપ તો બદલાઈ ગયું છે પરંતુ તેના વાતાવરણમાં વ્યસનો આર્થિક પરિસ્થિતિ અને શિક્ષણના અભાવના કારણે આ સમાજ બંધુઓ અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે.આવી વસ્તીઓના સર્વાંગીણ ઉન્નતિ માટે વિવિધ પ્રકારના સેવા કાર્યની આજે આવશ્યકતા છે.

આ સંસ્થા આવી વસ્તીઓમાં તેના સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન તથા સંસ્કાર જેવા વિષયો પર કામ કરી રહી છે. સ્વાસ્થ્ય અંતર્ગત આરોગ્ય પરીક્ષણ તથા જરૂરિયાત પ્રમાણેની સારવાર જેમ કે હિમોગ્લોબિન પરીક્ષણ, આંખના મોતિયા બિંદુ ઓપરેશન તથા કુપોષિત માતા બાળકો માટે સુપોષિત આહાર ની વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવે છે. આવી વસ્તીની કિશોરીઓ માટે થઈને આત્મરક્ષા, સુપોષણ, ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરનો સમયોચિત માર્ગદર્શન તથા આત્મનિર્ભર બને એ માટે વિવિધ પ્રકારની સ્કિલ આપવાનું કામ તથા કાઉન્સિલિંગ કરવામાં આવે છે.

શિક્ષણ અંતર્ગત આવી વસ્તીના બાળકો માટે શાળા ઉપરાંત તેમના શિક્ષણમાં સહાય થાય એના માટે નિશુલ્ક પાઠદાન કેન્દ્રોની યોજના કરવામાં આવે છે
આ વસ્તીના યુવાનો તથા બહેનો આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી બને એ માટે જરૂરી સ્કીલ પ્રશિક્ષણ, જેમાં પિંક પ્લમ્બિંગ મહેદી ક્લાસ, સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તે ઉપરાંત બચત ગટ જેવી પ્રવૃતિઓના માધ્યમથી એમની આવક વૃદ્ધિના પ્રયાસો આની અંદર કરવામાં આવે છે.

આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં પણ આ સંસ્થા દ્વારા 500 જેટલા ગામોમાં આયુર્વેદિક કિટ, ડાંગમાં 50 જેટલા ગામોમાં ડોક્ટરની ટીમ દ્વારા બહેનોના સ્વાસ્થ્ય ઉપર તથા મહિલા સશક્તિકરણનું કામ. સોનગઢ તાલુકામાં 30 ગામોને કવર કરતું ફરતું દવાખાનું.

મેરેથોનના માધ્યમથી શું કરવા ઈચ્છે છે: સમાજ ખાસ કરીને યુવાનો આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ થી પરિચિત થાય તથા સેવા ભાવથી જોડાય
સમાજનો આવા વિવિધ કામો માટે સહયોગ પ્રાપ્ત થાય. આ પ્રકારની બસ્તીઓ સાથે સંપન્ન સમાજના લોકો સંપર્કમાં આવે અને સંવેદના સાથે એમની સાથે ખભે ખભા મિલાવી એમના ઉત્થાનમાં સહયોગી બને. કુલ પ્રયાસોના પરિણામે આ વસ્તીઓના સર્વાંગીણ વિકાસમાં સૌનું યોગદાન પ્રાપ્ત થાય.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.