ઉધના સ્ટેશને UP-બિહારના મુસાફરોનો ધસારો,પાટીલની રજૂઆતથી 6 ટ્રેનને મંજૂરી

ઉધના સ્ટેશન પર છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા લોકોની એટલી ભારે ભીડ રહે છે કે ટ્રેનમાં ચઢવાની પણ મુશ્કેલી ઉભી થાય. એક તો હજારોની સંખ્યા અને તેમાં પાછો માલસામાન અને બાળકો. તમે ચિતાર જુઓ તો ખબર પડે કે કેવી રીતે લોકો ટ્રેનમાં જતા હશે. જો કે, હવે સી આર પાટીલની રજૂઆતથી વધારાની 6 ટ્રેનો મળી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત એવું શહેર છે જે દેશભરના રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસેલા છે અને ખાસ કરીને ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વસ્તી છે. સુરતની અંદાજે 60 લાખની વસ્તીમાં 70 ટકા કરતા વધારે પરપ્રાંતીયો વસે છે. હવે સ્વાભાવિક વાત છે કે ઉનાળું વેકેશન અને લગ્નસરાંના સમયમાં હજારો લોકો તેમના વતન જાય તો સ્ટેશન પર એટલી ભીડ થાય કે કંટ્રોલ કરવી મુશ્કેલ થઇ જાય. છેલ્લાં બે-ત્રણ દિવસથી આવું જ બની રહ્યું છે.

ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લાં બે દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે, એક ટ્રેનની કેપિસીટી કરતા 4 ગણાં વધારે લોકો ટ્રેનમાં જઇ રહ્યા છે. સ્ટેશન પર પગ મુકવાની જગ્યા હોતી નથી. ઉધના સ્ટેશન પર લોકોનું એવું કિડિયારું ઉભરાઇ રહ્યું છે કે, અરાજકતા સર્જાઇ રહી છે. શનિવારે તો કેટલાંક લોકો વિરોધ કરવા માટે ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા.

મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેડિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ ટ્રેનની સંખ્યા ઓછી હોવાને કારણે લોકોની હાલાકી ઓછી થતી નહોતી.

મુસાફરોની વ્યથાની વાત જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ પાસે પહોંચી તો તેમણે તાત્કાલિક કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને મુસાફકોને પડી રહેલી ભારે હાલાકીનો ચિતાર આપ્યો હતો. સી આર પાટીલે UP- બિહાર માટે ખાસ 6 વધારાની ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી હતી.

સી. આર. પાટીલને જ્યારે અમે પુછ્યું તો તેમણે કહ્યું કે, ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી 6 ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રીએ મંજૂરી આપી છે, જેને કારણે લોકોને હવે રાહત રહેશે. પાટીલે કહ્યું કે, દરરોજ વધારાની ટ્રેન દોડશે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.