ઉધના સ્ટેશને UP-બિહારના મુસાફરોનો ધસારો,પાટીલની રજૂઆતથી 6 ટ્રેનને મંજૂરી

ઉધના સ્ટેશન પર છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા લોકોની એટલી ભારે ભીડ રહે છે કે ટ્રેનમાં ચઢવાની પણ મુશ્કેલી ઉભી થાય. એક તો હજારોની સંખ્યા અને તેમાં પાછો માલસામાન અને બાળકો. તમે ચિતાર જુઓ તો ખબર પડે કે કેવી રીતે લોકો ટ્રેનમાં જતા હશે. જો કે, હવે સી આર પાટીલની રજૂઆતથી વધારાની 6 ટ્રેનો મળી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત એવું શહેર છે જે દેશભરના રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસેલા છે અને ખાસ કરીને ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વસ્તી છે. સુરતની અંદાજે 60 લાખની વસ્તીમાં 70 ટકા કરતા વધારે પરપ્રાંતીયો વસે છે. હવે સ્વાભાવિક વાત છે કે ઉનાળું વેકેશન અને લગ્નસરાંના સમયમાં હજારો લોકો તેમના વતન જાય તો સ્ટેશન પર એટલી ભીડ થાય કે કંટ્રોલ કરવી મુશ્કેલ થઇ જાય. છેલ્લાં બે-ત્રણ દિવસથી આવું જ બની રહ્યું છે.

ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લાં બે દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે, એક ટ્રેનની કેપિસીટી કરતા 4 ગણાં વધારે લોકો ટ્રેનમાં જઇ રહ્યા છે. સ્ટેશન પર પગ મુકવાની જગ્યા હોતી નથી. ઉધના સ્ટેશન પર લોકોનું એવું કિડિયારું ઉભરાઇ રહ્યું છે કે, અરાજકતા સર્જાઇ રહી છે. શનિવારે તો કેટલાંક લોકો વિરોધ કરવા માટે ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા.

મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેડિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ ટ્રેનની સંખ્યા ઓછી હોવાને કારણે લોકોની હાલાકી ઓછી થતી નહોતી.

મુસાફરોની વ્યથાની વાત જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ પાસે પહોંચી તો તેમણે તાત્કાલિક કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને મુસાફકોને પડી રહેલી ભારે હાલાકીનો ચિતાર આપ્યો હતો. સી આર પાટીલે UP- બિહાર માટે ખાસ 6 વધારાની ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી હતી.

સી. આર. પાટીલને જ્યારે અમે પુછ્યું તો તેમણે કહ્યું કે, ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી 6 ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રીએ મંજૂરી આપી છે, જેને કારણે લોકોને હવે રાહત રહેશે. પાટીલે કહ્યું કે, દરરોજ વધારાની ટ્રેન દોડશે.

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.