ઉધના સ્ટેશને UP-બિહારના મુસાફરોનો ધસારો,પાટીલની રજૂઆતથી 6 ટ્રેનને મંજૂરી

ઉધના સ્ટેશન પર છેલ્લા બે-ત્રણ દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા લોકોની એટલી ભારે ભીડ રહે છે કે ટ્રેનમાં ચઢવાની પણ મુશ્કેલી ઉભી થાય. એક તો હજારોની સંખ્યા અને તેમાં પાછો માલસામાન અને બાળકો. તમે ચિતાર જુઓ તો ખબર પડે કે કેવી રીતે લોકો ટ્રેનમાં જતા હશે. જો કે, હવે સી આર પાટીલની રજૂઆતથી વધારાની 6 ટ્રેનો મળી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત એવું શહેર છે જે દેશભરના રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસેલા છે અને ખાસ કરીને ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની વસ્તી છે. સુરતની અંદાજે 60 લાખની વસ્તીમાં 70 ટકા કરતા વધારે પરપ્રાંતીયો વસે છે. હવે સ્વાભાવિક વાત છે કે ઉનાળું વેકેશન અને લગ્નસરાંના સમયમાં હજારો લોકો તેમના વતન જાય તો સ્ટેશન પર એટલી ભીડ થાય કે કંટ્રોલ કરવી મુશ્કેલ થઇ જાય. છેલ્લાં બે-ત્રણ દિવસથી આવું જ બની રહ્યું છે.

ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લાં બે દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોનો એવો ધસારો જોવા મળી રહ્યો છે કે, એક ટ્રેનની કેપિસીટી કરતા 4 ગણાં વધારે લોકો ટ્રેનમાં જઇ રહ્યા છે. સ્ટેશન પર પગ મુકવાની જગ્યા હોતી નથી. ઉધના સ્ટેશન પર લોકોનું એવું કિડિયારું ઉભરાઇ રહ્યું છે કે, અરાજકતા સર્જાઇ રહી છે. શનિવારે તો કેટલાંક લોકો વિરોધ કરવા માટે ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા.

મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને મેડિકલ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ ટ્રેનની સંખ્યા ઓછી હોવાને કારણે લોકોની હાલાકી ઓછી થતી નહોતી.

મુસાફરોની વ્યથાની વાત જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલ પાસે પહોંચી તો તેમણે તાત્કાલિક કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને મુસાફકોને પડી રહેલી ભારે હાલાકીનો ચિતાર આપ્યો હતો. સી આર પાટીલે UP- બિહાર માટે ખાસ 6 વધારાની ટ્રેનો શરૂ કરવાની માંગણી કરી હતી.

સી. આર. પાટીલને જ્યારે અમે પુછ્યું તો તેમણે કહ્યું કે, ભીડને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી 6 ટ્રેન શરૂ કરવાની રેલવે મંત્રીએ મંજૂરી આપી છે, જેને કારણે લોકોને હવે રાહત રહેશે. પાટીલે કહ્યું કે, દરરોજ વધારાની ટ્રેન દોડશે.

Top News

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.