સલામ સુરતની આગના હીરોનેઃ કેતન જીવના જોખમે ઉપર ચઢી ગયોને બાળકોના જીવ બચાવ્યા

સુરતના એક બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગમાં એક યુવાને ખરેખર હીરો જેવું કામ કર્યું છે. કેતન જોરવાડિયા નામના યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા. 
 
તક્ષશિલા  આર્કેડમાં આગની ઘટનાને નજરે જોનાર કેતન જોરવાડીયા નામનો યુવાન બીજો લોકોની જેમ ભીડનો હિસ્સો બનીને રહી શક્યો ન હતો. તેને ઉપર ફંસાયેલા વિદ્યાર્થીઓની ચિંતા હતી. તે પળનો પણ વિલંબ કર્યા વગર પાળીના સહારે ચોથા માળે ચઢી ગયો હતો અને ગભરાયેલા બાળકોને પોતાના જીવના જોખમે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કેતને કરેલી કામગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના વખતે ત્યાંથી પસાર થતા હતા તેમણે લોકોને ભેગા કરીને ઉપરથી કુદી રહેલા બાળકોને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતા કેટલાંક બાળકો ઇજા પામ્યા હતા.એક જ એમ્બ્યુલન્સ હોવાને કારણે પાનસેરિયાએ પોતાની ઇનોવાને એમ્બ્યુલન્સમાં ફેરવીને બાળકોને હોસ્પિટલ પહોંચાડયા હતા. 
 

About The Author

Related Posts

Top News

છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આમ તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહેવાનો હોય છે, પરંતુ ક્યારેક ઘણી વખત અમુક વસ્તુ બરાબર...
National 
છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આને મા કેમ કહેવી? પ્રેમ સંબંધને આડે આવતા માતાએ 6 વર્ષના પુત્રનું કાસળ કાઢી નાખ્યું, પહેલા ડોલમાં ડૂબાડ્યો પછી...

પુણેથી એક એવો સમાચાર સામે આવી રહ્યા છે જે માનવતાને શરમાવે છે. એક માતાએ પોતાના પુત્રનો જીવ એટલે લઈ લીધો...
National 
આને મા કેમ કહેવી? પ્રેમ સંબંધને આડે આવતા માતાએ 6 વર્ષના પુત્રનું કાસળ કાઢી નાખ્યું, પહેલા ડોલમાં ડૂબાડ્યો પછી...

જૂનાગઢમાં ભાજપે પતિને બદલે પત્નીને ટિકિટ આપી દીધી, હવે બંને ચૂંટણી નહીં લડે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાકને ટિકિટ ન મળતા નારાજ થયા છે, તો કેટલીક...
Sports 
જૂનાગઢમાં ભાજપે પતિને બદલે પત્નીને ટિકિટ આપી દીધી, હવે બંને ચૂંટણી નહીં લડે

ઋષિકેશમાં બજરંગ સેતુની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, ઉદ્ઘાટન અગાઉ 'તિરાડો' પડી...; વાહનવ્યવહાર બંધ કરાયો

ઉત્તરાખંડના ઋષિકેશ, ટિહરી અને પૌડી જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહેલા બજરંગ સેતુની ગુણવત્તા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા...
National 
ઋષિકેશમાં બજરંગ સેતુની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, ઉદ્ઘાટન અગાઉ 'તિરાડો' પડી...; વાહનવ્યવહાર બંધ કરાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.