'...તો શું તમે 10 વર્ષ જેલમાં રાખશો',સુનિતા કેજરીવાલે ગુજરાત રોડ શોમાં કહ્યું

On

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ગુરુવારે ગુજરાતના બોટાદમાં એક વિશાળ રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણા અને AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી હાજર રહ્યા હતા.

રોડ શો દરમિયાન કાર્યકર્તાઓને સંબોધતા સુનીતા કેજરીવાલે કહ્યું, 'મારા પતિને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૈતરને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેઓ કહી રહ્યા છે કે, તપાસ ચાલી રહી છે, તો શું તેમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ સરમુખત્યારશાહી છે.'

સુનીતા કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું, 'દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને છેલ્લા 40 દિવસથી બળજબરીથી જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ કહે છે કે, તપાસ ચાલી રહી છે. જો આગળની તપાસ 10 વર્ષ સુધી ચાલુ રહેશે, તો શું તેમને 10 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવશે? અગાઉ કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય ત્યારે જ જેલમાં જતો હતો. હવે તેઓએ નવી સિસ્ટમ બનાવી છે અને જ્યાં સુધી ટ્રાયલ ચાલુ નહીં થાય ત્યાં સુધી તેને જેલમાં રાખશે. આ સાવ ગુંડાગીરી છે. આ એક પ્રકારની સરમુખત્યારશાહી છે. CM કેજરીવાલ જી સાચા દેશભક્ત, પ્રમાણિક અને શિક્ષિત છે.'

સુનીતાએ વધુમાં કહ્યું, 'અરવિંદ દેશભક્ત છે, તે IT કમિશનર હતા. પણ તેમને સમાજસેવા કરવાની હતી. નોકરી છોડી દીધી. મને પૂછ્યું કે, મારે સમાજસેવા કરવી છે. કઈ વાંધો તો નથી ને. તેમણે અનેક વખત ઉપવાસ પણ કર્યા. ડાયાબિટીસનો રોગ છે. તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. આવી સ્થિતિમાં તેમની કિડની લીવરને નુકસાન થશે. દિલ્હીએ તેમને ત્રણ વખત CM બનાવ્યા. તમે (ગુજરાત) 5 ધારાસભ્યો આપ્યા. તેમનો અવાજ તમારા સુધી ન પહોંચે તે માટે તેમને જેલમાં પુરવામાં આવ્યા છે, પરંતુ તે સિંહ છે.'

CM અરવિંદ કેજરીવાલને 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે, તે કૌભાંડનો મુખ્ય ષડયંત્રકાર હતા અને દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધી રીતે સંડોવાયેલા હતા.

CM કેજરીવાલ જેલમાં ગયા પછી તેમની પત્ની સુનીતાએ પાર્ટીના કામની જવાબદારી સંભાળી લીધી છે. BJPનો દાવો છે કે, સુનીતાને દિલ્હીનું CM પદ પણ આપવામાં આવી શકે છે. જો કે, આ આરોપોને ફગાવી દેતા AAP કહે છે કે, દિલ્હીમાં નેતૃત્વમાં કોઈ ફેરફાર થશે નહીં અને CM કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે.

સુનીતા કેજરીવાલના પ્રચાર પછી BJPએ CM અરવિંદ કેજરીવાલ પર પરિવારવાદની રાજનીતિ કરવાનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ AAP પણ સુનિતા કેજરીવાલને સહાનુભૂતિનો ચહેરો બનાવીને CM કેજરીવાલની ધરપકડને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

Related Posts

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.