ઉંઘમાં ચાલવાની બીમારી હતી, સુરતનો યુવાન ત્રીજા માળેથી પટકાયો, મોત

ઉંધમાં ચાલવાની બિમારીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવાન ઉંઘમાં ચાલતા ચાલતા ત્રીજા માળેથી પટકાયો હતો અને તેનું મોત થયું હતું.

જાણવા મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં એક યુવાનને ઉંઘમાં ચાલવાની બિમારી હતી. ઉંઘમાંને ઉંઘમાં તે બારી પાસે પહોંચી ગયો અને ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા થવાને કારણે યુવાનનું મોત થયું હતું.

તમે ઘણી વખત  ઉંઘમાં ચાલવાની આદત વિશે સાંભળ્યું હશે, જેને સ્લીપ વોકીંગ કહેવામાં આવે છે. આ એક બિમારી છે અને તેને મેડિકલ ભાષામાં સોનમબુલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ એવી બિમારી છે કે વ્યકિત ઉંઘમા જ ચાલવા લાગે છે અથવા ઉંઘમાં જ બેસવા  લાગે છે. આ બિમારી વિશે ઘણી  ફિલ્મોમાં પણ તમે જોયું હશે. ઉંઘમાં ચાલવાની આદતને કારણે ગંભીર અકસ્માત થઇ શકે છે. જે આપણે જોયું કે લિંબાયતના યુવક સાથે ઘટના બની.

ઉંઘમાં ચાલવાની આદતમાં ઘણી વખત વ્યકિત એક્સ્ટ્રીમ કંડિશનમાં પહોંચી જાય છે અને હિંસક બની જાય છે. આ બિમારીના લક્ષણો એવા હોય છે કે ઘણી વખત વ્યકિત ઉંઘમાં કપડાં પહેરે છે, ઉંઘમાં જ વાત કરે છે અથવા ખાવાનું ખાય છે. ઉંઘમા જ ઘરની બહાર નિકળી જાય છે.

ઉંઘમાં ચાલવાની સમસ્યા આમ તો સામાન્ય મેડિકલ કંડીશન માનવામાં આવે છે, પરંતુ જો તે સ્લીપ ટેરરમાં બદલાઇ જાય તો તાત્કાલિક ડોકટર્સની સલાહ લેવી જરૂરી છે.

ઉંઘમાં ચાલવાની આદતમાં સૌથી વધારે મદદ પરિવાર જ કરી શકે. જો પરિવારને ખબર હોય કે ઘરના કોઇ સભ્યને ઉંઘમાં ચાલવાની બિમારી છે, તો પરિવારે ખાસ ધ્યાન રાખવું પડે, એ વ્યકિત જે રૂમમાં સુતો હોય તેને લોક મારી દેવાઇ, જેથી તે વ્યકિત બહાર ન જઇ શકે. ઉંઘમાં ચાલીને જે જોખમી જગ્યા હોય તેનું પણ પરિવારે જ ધ્યાન રાખવું પડે. દાં તું. દરવાજો હોય, બારી, ટેરેસ હોય તો તેને લોક રાખવું પડે.

તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે આ બિમારીથી બચવા માટે સુવાનો સમય ફિક્સ રાખવો, ચિંતાથી દુર રહેવુ. યોગા મેડિટેશન કરવું, જીવન શૈલી અસ્તવ્યસ્ત હોય તો તેમાં બદલાવ કરવો અને સવારે વહેલાં ઉઠીને રાત્રે વહેલા સુઇ જવાની આદત કેળવવી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.