સુરત: અડધી રાતે પત્ની મોબાઇલ ફોન પર વાત કરતી હતી, પતિ જાગ્યો અને...

સુરતથી એક ચોંકાવનારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમેરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતા એક પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અડધી રાતે પરપુરુષ સાથે વાતો કરતા જોઈ ઝઘડો કરી મારામારી કરી હતી. જોકે પત્ની ભાગવા જતા પતિએ પત્નીને પકડી તેનું ગળુ દબાવી હત્યા કરી હતી. આ મામલે પોલીસે પતિની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં આવેલા અમરોલી-છાપરાભાઠા રોડ પર આવેલા કૃષ્ણા કોમ્પ્લેક્સમાં રહેતા અને રત્નકલાકાર કુલદીપપ્રસાદ બોધી શાકુ તેની પત્ની રીનાદેવી અને ત્રણ સંતાન સાથે રહેતો હતો. બુધવારે રાત્રે જમ્યા બાદ પરિવાર સૂઈ ગયો હતો. દરમિયાન મધરાતે રીના દેવી મોબાઇલ પર વાત કરી રહી હતી. આવાજ થતા કુલદીપ જગી ગયો હતો. પત્ની કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરી રહી હોવાની શંકા રાખી કુલદીપે પત્ની રીનાદેવી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી.

અગાઉ પણ રીનાદેવી કોઈ અજાણ્યા પુરૂષ સાથે વાતો કરતી હોવાની શંકા રાખીને કુલદીપે પત્નીને ઠપકો આપ્યો હતો. જો કે બુધવારે રાતે થયેલો ઝઘડો વધી જતા રીનાદેવી સ્વબચાવ માટે ઘરનો દરવાજો ખોલી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કુલદીપે રીના દેવીને પકડી સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતારી હતી. આ ઘટના અંગે અમરોલી પોલીસને જાણ થતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.