ગુજરાતના આ ગામના તળાવમાં હજારો માછલીઓના મોતથી ખળભળાટ

ઉત્તર ગુજરાતમાં આવેલા એક ગામના તળાવમાં સેંકડો માછલીઓના મોત થવાને કારણે ચકચાર મચી જવા પામી છે. જો કે માછલીઓનું મોત શેને કારણે થયું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ  બે મહિના પહેલા આ જ જિલ્લાના અન્ય એક ગામના તળાવમાં પણ માછલીઓના મોટી સંખ્યામાં મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. આ પહેલાં પણ ગુજરાતના તળાવો પાસે માછલીઓના મોતની ઘટના સામે આવતી રહી છે. કેટલીક વખત પાણીમાં કેમીકલ ભળવાને કારણે માછલીઓના મોત થતા હોવાની વાત સામે આવતી રહી છે.

ઉત્તર ગુજરાતના કડી તાલુકામાં આવેલી પીરોજપુર ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. માછલીઓનાં મોતના સમાચાર સામે આવતા ગામના લોકો તળાવ પાસે એકઠાં થયા હતા અને સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં કડી તાલુકાના બોરીસણા ગામે પણ બે તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

પિરોજપુર ગામના લોકોએ કહ્યુ હતું કે, કડીમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ પડ્યો હતો અને અનેક નાની મોટી ઘટનાઓ બની હતી. ગામના લોકો જ્યારે તળાવ પાસે પહોંચ્યા ત્યારે અસંખ્ય માછલીઓને તરતી જોઇને ગામના લોકો ચોંકી ઉઠ્યા હતા. ગામના સરપંચ મહેન્દ્ર ભાઇ, તલાટી અને આરોગ્ય વિભાગને માછલીઓનાં મોત વિશે જાણકારી આપવામાં આવી છે.

ગામના લોકોએ જાણ કરી ત્યારે તલાટી અને સરપંચ તળાવ પાસે દોડી આવ્યા હતા અને મૃતક માછલીઓને બહાર કાઢીને નજીક ખાડામાં દાટી દેવામાં આવી હતી. જો કે કયા કારણોસર માછલીઓનાં મોત થયા છે, તેની જાણકારી મળી શકી નથી.

પીરોજપુર ગામના સરપંચ મહેન્દ્રભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને વરસાદી પાણીમાં કેમિકલ યુક્ત પાણી અમારા ગામના તળાવમાં આવ્યું હોવાથી માછલીઓનાં મોત થયા હોવાની શંકા છે. તળાવની બાજુમાં જ એક મોટો ખાડો ખોદીન માછલીઓને દાટી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ તળાવ પર આવી પહોંચ્યો હતો અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામના તલાટીએ પત્ર લખીને કડી તાલુકા પંચાયતના ટીડીઓને માહિતગાર કર્યા છે.

આ અગાઉ લગભગ પાંચેક વર્ષ પહેલાં ભરૂચના માતરમાં પણ મોટી સંખ્યામાં માછલીઓનાં મોતની ઘટના સામે આવી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.