અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

અભિજીત દિપકે, જેમને આમ આદમી પાર્ટી શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત કર્ણાટક અને ઝારખંડમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમો મોકલવાની ફરજ પડી હતી, શું તેઓ હવે ગુજરાતને નિશાન બનાવી રહ્યા છે? CJPના સ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજીત દિપકેએ એક પ્રશ્ન ઉઠાવીને આ વાતનો સંકેત આપ્યો છે.

અભિજીત દિપકે કહ્યું કે તેમણે તે રાજ્યોની મુલાકાત લીધી જેના પર લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા, પરંતુ તેમને આશ્ચર્ય છે કે કોઈ તેમને ગુજરાતની મુલાકાત લેવાનું કહી રહ્યું નથી. દિપકેએ કહ્યું, 'તમે પંજાબ કેમ નથી જતા?' અમે ગયા. 'તમે ઝારખંડ કેમ નથી જતા?' અમે ગયા. 'તમે કર્ણાટક કેમ નથી જતા?' અમે ગયા. આશ્ચર્ય એ વાતનું છે કે હજુ સુધી કોઈ અમને ગુજરાત વિશે કેમ પૂછતું નથી.' એવું માનવામાં આવે છે કે દિપકે કદાચ પોતાને અથવા તેમની ટીમને શાળાઓનું ઓડિટ કરવા માટે ગુજરાત મોકલી શકે છે.

29

દિપકે અને તેમની ટીમે આ અગાઉ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોમાં 'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશ શરૂ કરી હતી, જ્યાં BJP સરકારો સત્તામાં છે. આ પછી, જ્યારે સોશિયલ મીડિયા પર પંજાબ અને વિપક્ષી પક્ષો દ્વારા શાસિત અન્ય રાજ્યોની મુલાકાત લેવામાં તેમની નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉભા થયા, ત્યારે તેમણે આ 3 રાજ્યોની કેટલીક શાળાઓની મુલાકાત લીધી. જોકે, CJPના પંજાબ વીડિયો અંગે વધુ સવાલો ઉભા થયા, જેમાં AAP સરકારની એક મોડેલ સ્કૂલની પ્રશંસા અને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

BJP શાસિત રાજ્યોમાં તૂટેલી, ખરાબ થઇ ગયેલી અને જર્જરિત શાળાઓ બતાવવા બદલ CJP પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જ્યારે પંજાબમાં માત્ર 2 વર્ષ પહેલાં બનેલી એક સ્કૂલની પ્રશંસા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ CJPની ટીકા કરી હતી, તેને આમ આદમી પાર્ટી સરકાર માટે જાહેરાત અને PR ગણાવી હતી. અહીં તમને બતાવી દઈએ કે, CJPના સ્થાપક અભિજીત દિપકે અને ઘણા અગ્રણી નેતાઓ અગાઉ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે.

30

દરમિયાન, કોકરોચ જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં 'સ્કૂલ ઠીક કરો' ઝુંબેશને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કર્યું છે. મંગળવારે, CJPના સહ-સંયોજક સૌરભ દાસે નોઈડા સ્કૂલના શૌચાલયની સ્થિતિ બતાવીને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. થોડા સમય પછી, તેમણે સોશિયલ મીડિયા પર પણ દાવો કર્યો કે, ગૌતમ બુદ્ધ નગરની બધી શાળાઓ તેમના ઓડિટ પછી બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, આશુતોષ રંકાએ ઉત્તર પ્રદેશમાં CJPની વધતી ગતિવિધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું, 'CM યોગીજી, જો તમે આ જ કરવા માંગો છો, તો ઉત્તર પ્રદેશની બધી શાળાઓ બંધ કરવી પડશે. કોકરોચ ઉત્તર પ્રદેશમાં પણ પ્રવેશી ચૂક્યા છે.'

About The Author

Related Posts

Top News

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમં જાહેરાત કરી કે, 2029 લોકસભાની ચૂંટણી પહેલા દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ...
Politics 
યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

અભિજીત દિપકે, જેમને આમ આદમી પાર્ટી શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત કર્ણાટક અને ઝારખંડમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)...
Gujarat 
અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

અલહાબાદ હાઇકોર્ટે 31 વર્ષીય આયુષ મલિકને મુક્ત કર્યો છે. આયુષે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ...
National 
ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે, દેશના ઘણા ભાગોમાં, લોકો...
Business 
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.