પર્યાવરણના ગદ્દારોને સજા ક્યારે મળશે માય લોર્ડ?

વિરલ દેસાઇ: આપણા દેશમાં પર્યાવરણ સંરક્ષણ માટે વિવિધ સ્તરે કાયદાઓ બનાવવામાં આવ્યા છે અને એ કાયદાઓનું પાલન ન કરે એને માટે વિવિધ સજાઓની પણ જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આપણે ત્યાં સામાન્ય લોકોમાં કે ઈવન મીડિયામાં પર્યાવરણ સંબંધિત થતા ગુનાઓ બાબતે ઝાઝી કન્ઝર્ન નથી હોતી. એટલે જ દેશમાં લૂંટ થાય ત્યારે કે મર્ડર થાય કે પછી ડોમેસ્ટિક વાયોલન્સ જેવા ગુનાઓના કિસ્સા બહાર આવે ત્યારે લોકોમાં જે ઉહાપોહ મચે છે એવો ઉહાપોહ પર્યાવરણના ક્ષેત્રમાં કોઈ ગુનો થાય ત્યારે નથી મચતી. પણ તમારી સાથે જો હું આંકડા શેર કરીશ તો તમને ખ્યાલ આવશે કે આપણા સમાજમાં અને દેશમાં માણસો સાથે જેટલા ક્રાઈમ થાય છે એટલા જ ક્રાઈમ પર્યાવરણ સાથે પણ થાય છે. વિધિની વક્રતાએ છે કે પર્યાવરણ સાથે થતા ક્રાઈમમાં સમાજને જાણકારી ઓછી હોય છે, જે કારણે ભારતની વિવિધ કોર્ટ્સમાં આ પ્રકારના કેસોમાં ચૂકાદા આવતા વર્ષો નીકળે જાય છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા દર વર્ષે દેશમાં ઘટતા ગુનાઓ બાબતે વિવિધ આંકડા રજૂ થાય છે. એ આંકડા અનુસાર ગયા વર્ષ સુધીમાં ભારતની વિવિધમાં કોર્ટોમાં પર્યાવરણ સંબંધિત 88,400 કેસીઝ એવા છે, જેમની કાર્યવાહી અત્યંત ધીમી ચાલી રહી છે. વળી, આ આંકડાઓમાં રોજ નવા કેસીઝનો ઉમરો થઈ રહ્યો છે. જો કોર્ટે આ તમામ કેસીઝનો નિકાલ કરવો હશે તો રોજ 242 કેસોમાં ચૂદાદો આપવો આપશે. નહીંતર આવનારા 34 વર્ષો સુધી પર્યાવરણ સંબંધીત કેસીઝ લટકતા રહેશે!

આ આર્ટિકલમાં હું મારો પોઈન્ટ ઑફ વ્યૂ આપું એ પહેલાં મારે હજુ થોડા ફેક્ટ્સ આપવા છે. જેથી તમને ખ્યાલ આવે કે પર્યાવરણ સંબંધિત ગુનાઓ તેમજ કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસીઝના ચૂકાદા વહેલી તકે આવવવા જોઈએ એનું શું મહત્ત્વ છે. ભારતમાં પર્યાવરણ અને જંગલોને હાનિ પહોંચાડવા બદલ દસથી વધુ વિવિધ અત્યંત મહત્ત્વના એક્ટ્સ છે. જેમ કે વન અધિનિયન 1927 તેમજ વન સંરક્ષણ અધિનિયમ 1980, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1927, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986, જમીન ખનન એક્ટ, વાયુ અને જળ પ્રદૂષણ રોકથામ અને નિયંત્રણ અધિનિયમ, ધ્વનિ પ્રદૂષણ અધિનિયમ તેમજ સિગારેટ અને તંબાકુ ઉત્પાદન અધિનિયમ. આ ઉપરાંત વન્યજીવો તેમજ પક્ષીઓની તસ્કરી માટે પણ અલાયદા કાયદાઓ છે.

આ બધા કાયદાઓ એટલા માટે બનાવવામાં આવ્યા છે કે વન-પર્યાવરણને નુકસાન કરીને અને પ્રાણીઓની ચોરીને કરીને કરોડો રૂપિયા કમાવાનું એક અત્યંત મોટું નેટવર્ક છે. આ નેટવર્ક મોટામોટા માફિયાઓ ચલાવે છે, જેમને મન વન કે વન્યજીવો કે પછી પર્યાવરણની કોઈ વેલ્યુ નથી હોતી. બલ્કે તેઓ પોતાના અંગત લાભ માટે પર્યાવરણને હાનિ પહોંચાડીને લાખો લોકોના જીવન પર પ્રશ્નો ઊભા કરે છે. આજે આપણે જે ક્લાયમેટ ઈશ્યુઝ જોઈ રહ્યા છીએ એ ઈશ્યુઝમાં પણ આવા ગુનાઓનું યોગદાન અત્યંત વધુ છે. કારણ કે આવા ગુના કંઈ માત્ર ભારતમાં જ નથી બનતા, વિશ્વભરમાં આવા માફિયાઓનો ત્રાસ છે. જેને કારણે જ આજે વિશ્વની અનેક નદીઓ પ્રદૂષિત છે, વિશ્વમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર જમીન ખનન થઈ રહ્યું છે, આડેધડ જંગલો કપાઈ રહ્યા છે અને પ્રાણીઓની તસ્કરીને લીધે અનેક સ્પિસિસનો નાશ થઈ ગયો છે.

વિશ્વમાં અન્ય જગ્યાએ જે બનતું હોય એ, આપણે એમાં કશું કરી શકવાના નથી. પરંતુ ભારતમાં આવા કોઈ પણ ગુના નોંધાય ત્યારે કોર્ટ્સ જો ઝડપી કાર્યવાહી કરે અને દોષીતોને કડકમાં કડક સજા કરે તો સમાજમાં એના ઉદાહરણો બેસે કે કોર્ટ્સ પર્યાવરણ સંરક્ષણને લઈને અત્યંત ગંભીર છે. અધરવાઈઝ હાલમાં જે રીતે કોર્ટ્સમાં પર્યાવરણ સંબંધિત કેસીઝ પેન્ડિંગ છે એ જોતા તો રેતી માફિયાઓ કે ખનન માફિયાઓ કે નદીઓને પ્રદૂષિત કરનારાઓ કે પછી એર પોલ્યુશન કરનારાઓની હિંમત ઉઘડી જશે કે આવા કિસ્સામાં કોર્ટમાં કાર્યવાહી ચાલશે તો કોઈ સજા મળશેને? ત્યાં સુધીમાં તો આપણે કરોડો રૂપિયા કમાઈ શકીશું!

આખરે હાલમાં પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા અપાય એ અત્યંત જરૂરી બાબત છે. પર્યાવરણ સંરક્ષણ એ એવો મુદ્દો છે, જેની સાથે કરોડો લોકોના જીવન જોડાયેલા છે. પાછલા પાંચેક વર્ષોમાં આપને ક્લાયમેટ ચેન્જની અનેક ત્રાસદીઓનો અનુભવ કરી લીધો છે. આપણે એ પણ અનુભવી લીધું છે કે આપણી મોનસૂન પેટર્ન હવે જડમૂળમાંથી બદલાઈ ગઈ છે. તેમજ વર્ષમાં ગરમ દિવસોની સંખ્યા અત્યંત વધી ગઈ છે. એ બધામાં આવા ગ્રીડી ગુનેગારોનું યોગદાન રહેલું જ છે. એમને કડકમાં કડક સજા મળવી જ જોઈએ, જેથી બીજા લોકો એવું કશુંય કરતા ડરે. આખરે આ રીતે પણ જો વનો, નદીઓ, વાયુ કે આપણા વન્યજીવોને સંરક્ષિત કરી શકાતા હોય તો એ દિશામાં આપણે પગલાં ભરવા જ જોઈએ. આપણી સહિયારી સંપત્તિને પ્રદૂષિત કરવાનો કે તેને નષ્ટ કરવાનો અધિકાર કોઈને નથી.

ત્રણવાર રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત વિરલ દેસાઈ દેશના જાણીતા પર્યાવરણવાદી, લેખક અને ઉદ્યોગપતિ છે.

Related Posts

Top News

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા

નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Gujarat 
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.