આવી ધાડ તમે ક્યારેય નહીં જોઈ હોય, ચોરે અમદાવાદમાં દંપતીને એક-બીજાના માથે હાથ મુકાવી સોગંધ ખવડાવ્યા કે…

ચોરી, લૂંટ, ધાડની અનેક ઘટનાઓ વિષે તમે સાંભળ્યું હશે અને અખબારોમાં વાંચ્યું પણ હશે. કેટલાક એવા કિસ્સા હોય છે, જે લોકોને વિચારતા કરી મૂકે. અગાઉ એવી પણ ઘટના સામે આવી ચૂકી છે કે ચોરી કરવા ગયેલા ચોરોએ મેગી બનાવીને ખાધી હોય અથવા આરામ કરવાના ચક્કરમાં ચોર એજ ઘરમાં ઊંઘી ગયો હોય અને પછી સવારે ઊઠે ત્યારે મેથીપાક મળ્યો હોય અને પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું હોય. એવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ આ વખતે ચોરીની કઈક એવી ઘટના સામે આવી છે, જેની બાબતે તમે સપનામાં પણ વિચારી નહીં શકો.

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. આ દંપતીની હ*ત્યા કરવાની ધમકી આપીને 3 લોકોએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીએ બંધક બનાવીને હીરાજડિત સોનાના ઘરેણાં સહિત કુલ 21.91 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જીવથી મારી નાખીશું. ભોગ બનનાર આરોપી 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

robbery.jpg-2

શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ કરી છે. તેઓ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદરમાં આવેલી ક્રોસમાર્ક ઈનોવેશન નામથી ભાગીદારીમાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. 26 ઓક્ટોમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં ઊંઘી ગયા હતા. ત્યારબાદ રાત્રે 01:30 વાગ્યાની આસપાસ ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગ્યા હતા. બાથરૂમ જઈને ભરતભાઈ પરત આવીને સૂઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.

ભરતભાઈ 10 મિનિટ બાદ પાછા જાગ્યા ગયા ત્યારે તેમની સામે બે અજાણ્યા લોકો ઊભા હતા. બંનેના હાથમાં છરી હતી, જેથી ભરતભાઈએ ચોર-ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તો એકદમ એક વ્યક્તિ છરી લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે ‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’.

આ દરમિયાન પલ્લવીબેન પણ જાગી જતા ત્રીજો વ્યક્તિ છરી લઈને આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’. તેણે પલ્લવીબેનને કહ્યું હતું કે ‘તિજોરી કહા હૈ વો દીખા’. પલ્લવીબેન ગભરાઈ ગયાં, જેથી તેમને બેડરૂમની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી. પલ્લવીબેનની સામે 2 વ્યક્તિએ હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, 8 સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી. લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

robbery

ભરતભાઈએ તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ આવતાંની સાથે જ ઘરમાં લગાવેલા CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યુ હતું કે ત્રણેય તસ્કરો ડાઈનિંગ ટેબલની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. રાત્રે 12:57ના સમયે લૂંટારાઓ મકાનના પાછળની દીવાલ કૂદીને આવ્યા હતા અને ગાર્ડનમાંથી બારીનો કાચ તોડીને પ્રવેશ્યા હતા. 3 કલાક લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ રાતે 2:48 વાગે તેઓ દીવાલ કૂદીને જતા રહ્યા હતા. આ ઘટના બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયા હતા.

ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહો તમે પોલીસને ફોન નહીં કરો  અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.હાલ, સમગ્ર મામલે પોલીસે ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બોડકદેવ પોલીસ CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીના આધારે શંકાસ્પદોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.