કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓને મળી શકે છે ઝટકો, સરકારી ભાવ નિયંત્રિત દવાઓ થઈ શકે છે મોંઘી

આરોગ્ય ક્ષેત્રને મોંઘવારીનો ભારે ફટકો પડવાનો છે. કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં સરકાર વધારો કરી શકે છે. બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર, સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે દવાઓની કિંમતોમાં 1.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.

કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ ?

બિઝનેસ ટુડે સાથે વાત કરતા, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે દવાના ભાવમાં વધારો ફાર્મા ઉદ્યોગને રાહત આપી શકે છે. ફાર્મા ઉદ્યોગમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત વધી રહી છે.

medicines
moneycontrol.com

બજારમાં નવા ભાવની અસર ક્યારે જોવા મળશે?

સરકાર દ્વારા દવાઓના ભાવ વધાર્યા બાદ તેની અસર બે-ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ રહે છે.

ફાર્મા કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ

ફાર્મા ઉદ્યોગની કંપનીઓ પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસમાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી.

medicines
sangbadpratidin.in

સરકારી નિયમો શું કહે છે?

NPPA 2013 ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નક્કી કરે છે. તમામ ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી છે. દવાઓના ભાવમાં ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો દર્દીઓને થાય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3788 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 29-04-2026 વાર- બુધવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

LPGનો જથ્થો છે, તો પણ સરકાર PNGમાં કનેક્શન લેવાનું કેમ કહે છે? આ રહ્યા તેના કારણો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હજુ સુધી કોઈ નિર્ણય નથી આવ્યો.તેલ અને ગેસની જીવાદોરી ગણાતા હોર્મુઝ...
Business 
LPGનો જથ્થો છે, તો પણ સરકાર PNGમાં કનેક્શન લેવાનું કેમ કહે છે? આ રહ્યા તેના કારણો

શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

આ ઘટના મુંબઈમાં બની છે, જ્યાં બિરયાની અને તરબૂચ ખાધા પછી એક જ પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવી દીધા...
Health 
શું તરબૂચ અને બિરયાની ખાવાથી જીવ જઇ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

UPના IPS અધિકારી અજય પાલ શર્માનો વીડિયો બંગાળની ચૂંટણીમાં કેમ વાયરલ થઈ રહ્યો છે?

IPS અધિકારી અજય પાલ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે. હાલમાં તેમને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે મોકલવામાં...
National 
UPના IPS અધિકારી અજય પાલ શર્માનો વીડિયો બંગાળની ચૂંટણીમાં કેમ વાયરલ થઈ રહ્યો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.