ગૂડ ન્યૂઝ: આ કેન્સરની વેક્સીન, માત્ર સારવાર જ નહીં કરે, પણ બીમારીને પણ અટકાવશે

આ એક સારા સમાચાર છે, ખાસ કરીને જે લોકો બ્રેઇન કેન્સરથી પિડાઇ રહ્યા છે તેમના માટે અને તેમના પરિવારજનો રાહત આપે તેવી વાત જાણવા મળી છે. વૈજ્ઞાનિકોને બ્રેઇન કેન્સરની વેક્સીન શોધવામાં સફળતા મળી છે.

કેન્સરનો ચોક્કસ ઈલાજ શોધવા માટે વિશ્વભરમાં અભ્યાસ ચાલી રહ્યો છે. આ દિશામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ કેન્સર સામે લડવા માટેની વેક્સીનનીની શોધ કરી છે. ઉંદરો પર તેનું પરીક્ષણ પ્રોત્સાહક રહ્યું છે. આ રસી માત્ર કેન્સરની સારવાર જ નથી કરતી, પરંતુ તેને રોકવામાં પણ અસરકારક છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખી દુનિયામાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. આ એવી બિમારી છે જેની પર વર્ષોથી રિસર્ચ ચાલી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકોને મોટી સફળતા હાથ લાગી છે. વૈજ્ઞાનિકોએ બ્રેઇન કેન્સરની વેક્સીન બનાવી લીધી છે. મતલબ કે વૈજ્ઞાનિકોએમગજના કેન્સર સામે લડવા માટે વેક્સીન શોધી કાઢી છે.

આ વેક્સીન બ્રેઇન કેન્સરને તો સારું કરશે જ, પરંતુ સાથે સાથે આ બિમારીને આવતા પણ રોકી શકશે. અત્યારે આ વેક્સીનનો ઉંદર પર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને શરૂઆતમાં પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. આ વેક્સીને ટ્યૂમર અને કેન્સર સેલ્સને ખતમ કરી નાંખ્યા છે. તેને વધતા રોકવા માટે પણ વેક્સીન અસરકાર સાબિત થઇ છે.

આ પદ્ધતિમાં જીવંત કેન્સર કોષોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને ટયૂમરનો ખાત્મો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.એ એજ કોષોને ટાર્ગેટ કરે છે, જેમાંથી ટ્યૂમર બને છે. કેન્સરના કોષોની વિશેષ પ્રકૃતિ હોય છે. આ તેમને રોગપ્રતિકારક પરમાણુઓ કરતાં કેન્સરને મારવા માટે વધુ સક્ષમ બનાવે છે.  આ ગુણવત્તાનું કારણ એ છે કે તેઓ તેમના શરીરની અંદર લાંબા અંતરની મુસાફરી કરી શકે છે. આ કોષો તે જ ટ્યૂમર (ગાંઠ) સુધી પહોંચે છે જેમાંથી તે જન્મે છે.

CRISPR જેવી જ એક ટેકનિક, જેને CRISP-CAS9 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોસ્ટનની બ્રિઘમ અને વિમેન્સ હોસ્પિટલના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવી છે. તેમને જીવંત કેન્સર કોષોની અંદર પ્રોટીન બદલવામાં સફળતા મળી છે. કેન્સરને દૂર કરવા માટે, આ કોષો પ્રાઇમ ટ્યુમર અને અન્ય કોષોમાં ફેરવાય છે. રોગપ્રતિકારક શક્તિ આ પ્રક્રિયામાં સામેલ છે. આ વાયરસની રસીની જેમ ઉંદરમાં ઇમ્યુનોલોજીકલ મેમરી માટે જવાબદાર બની જાય છે.

આ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેનો આખો આઈડિયા સરળ છે. સરળ શબ્દોમાં કહીએ તો તેઓએ કેન્સરના કોષો લીધા છે. પછી તેમને કેન્સર કિલર અને વેક્સીનમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. આમાં જીન એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના દ્વારા સારવારની ટેકનિક વિકસાવવામાં આવી છે. આમાં, કેન્સરના કોષો ફરીથી ઉત્પન્ન કરવામાં આવે છે.

તે ટ્યૂમરનાકોષોનો નાશ કરે છે. પ્રાથમિક ગાંઠનો નાશ કરવાની સાથે, તે કેન્સરને રોકવા માટે રોગપ્રતિકારક શક્તિને પણ ઉત્તેજિત કરે છે.

મગજના કેન્સરનો સર્વાઈવલ દર તમામ કેન્સરમાં સૌથી ઓછો છે. આમાં 10 ટકાથી ઓછા દર્દીઓ બચી જાય છે. ચોક્કસ આ ડોક્ટરો તેમજ કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.