કોરોનામાં વેક્સીન બનાવનાર સાયરસ પૂનાવાલાને હાર્ટ ઍટેક આવ્યો, ICUમાં દાખલ

દેશના ટોપ -10 ધનિકોમાં સામેલ અને દુનિયાની સૌથી મોટી વેક્સીન ઉત્પાદન કંપનીના માલિક સાયરસ પૂનાવાલાને હાર્ટએટેક આવ્યો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા છે.

વેક્સીન બનાવતી દેશની જાણીતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ પુણેની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી અને કહ્યું કે પૂનાવાલાની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. સાયરસ પૂનાવાલાની કંપની કોરોના વાઈરલ વેક્સીન 'કોવિશિલ્ડ' બનાવે છે.

મળતી માહિતી મુજબ, 82 વર્ષના સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરના રોજ હાર્ટએટેક આવ્યો હતો. આ પછી તેમને પૂનાની તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું, પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પરવેઝ ગ્રાન્ટ, ડૉ. મેકલે અને ડૉ. અભિજીત ખર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે તબિયત સુધારા પર છે.

રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પરવેઝ ગ્રાન્ટે જણાવ્યું હતું કે, સાયરસ પૂનાવાલાને હાર્ટએટેક આવ્યો હતો અને હવે તઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડો.પરવેઝ ગ્રાન્ટે કહ્યું કે પૂનાવાલાને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજી તરફ ડૉ.સી.એન.માખલેએ કહ્યું કે ડૉ.સાયરસ પૂનાવાલાને ICUમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

આમ તો સાયરસ પૂનાવાલાની ઓળખાણ આપવાની જરૂર નથી, ,કારણકે કોરોના મહામારીના સમય દરમિયાન કોવિશીલ્ડ વેક્સીન બનાવવાને કારણે સાયરસ પૂનાવાલા અને તેમની કંપની સીરમ ખુબ ચર્ચામાં રહ્યા હતા. આમ છતા જે લોકો પૂનાવાલાને નથી જાણતા તેમને માહિતી આપી દઇએ.

સાયરસ પૂનાવાલા દેશના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં 10મા ક્રમે હતા. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે. તે કોરોના સહિત અનેક રોગોની વેક્સીન બનાવે છે.

સાયરસ પૂનાવાલા પોતાની લક્ઝરી અને ભવ્ય જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. સિગાર અને ઘોડેસવારીનો શોખીન પૂનાવાલાની પાર્ટીઓમાં બોલિવૂડથી લઈને બિઝનેસ જગત સુધીની તમામ હસ્તીઓ જોવા મળે છે. સાયરસના પુત્ર અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO છે અને તેમના નેતૃત્વમાં કંપની ઝડપથી વિકાસ કરી રહી છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.