સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ સંબંધી સમસ્યા ઉભી થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અગાઉ પણ કોરોનાને કારણે સોનિયાને આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી વાઢ્રા હોસ્પિટલમાં તેમની સાથે ગયા છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને 4 જાન્યુઆરી, બુધવારે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. PTIના જણાવ્યા મુજબ સોનિયા ગાંધી નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ઘણા સમયથી શ્વાસની તકલીફ ચાલી રહી છે. સોનિયા ગાંધીની સાથે તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલ ગયા છે.

સુત્રોએ કહ્યુ હતું કે સોનિયા ગાંધી મંગળવારથી જ અસ્વસ્થ હતા. એ જ કારણોસર પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી મંગળવારે સાંજે ઉત્તર પ્રદેશમાં પ્રવેશનારી ભારત જોડો યાત્રામાં 7 કિ.મી. પગપાળા ચાલીને દિલ્હી પાછા ફર્યા હતા.

ઉત્તર પ્રદેશના બાગપતના મવીકલાંમાં રાત્રી રોકાણ કર્યા પછી કોંગ્રેસની ભારત જોડો યાત્રા ફરી બુધવારે સવારે 6 વાગ્યાથી શરૂ થઇ હતી. જો કે, પ્રિયંકા ગાંધી સવારે રાહુલ ગાંધી સાથે યાત્રામાં સામેલ નહોતા થઇ શક્યા. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે, બપોર પછી પ્રિયંકા ગાંધી સામેલ થવાની શક્યતા છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોવિડ સંબંધી સમસ્યાઓને કારણે જૂન મહિનામાં પણ દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે થોડાક દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ હતી.

24 ડિસેમ્બરના રોજ સોનિયા ગાંધીએ દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો અને રાહુલ ગાંધી સાથે થોડા અંતર સુધી ચાલીને ગયા હતા. આ બીજી વખત હતું જ્યારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે અગાઉ ઓક્ટોબરમાં જ્યારે ભારત જોડો યાત્રા કર્ણાટકમાં હતી ત્યારે યાત્રામાં ભાગ લીધો હતો. સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે થોડીવાર ચાલ્યાહતા.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છેલ્લાં 108 દિવસોમાં 49 જિલ્લા અને 9 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પસાર થઇ ચૂકી છે. રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા તમિલનાડુ, કેરળ,કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યો સામેલ છે. ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પુરી થશે

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.