તમારી થાળીમાં પીરસવામાં આવતી ખાવાની આ વસ્તુ હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી રહી છે! જાણો તેનું કારણ શું છે

તમે શાકભાજી અને ફળો ખુબ વધારે ખાતા હશો, એવું વિચારીને કે તે તેનાથી તમને ખુબ પોષણ મળી રહ્યું છે, તમે એકદમ સ્વસ્થ રહેશો અને તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે, જો અમે તમને કહીએ કે આ જ ફળો અને શાકભાજી તમારા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે અને હૃદયરોગનો હુમલો પણ લાવી શકે છે, તો શું તમે અમારી વાત માનશો ખરા? નહીં ને? પણ એ સાચું છે કે તમે જે શાકભાજી અને ફળો ખાઓ છો તેમાં પેસ્ટીસાઇડ નાંખેલા હોય છે. પેસ્ટીસાઇડ એટલે જંતુનાશક દવા જે તમારા હૃદય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

Pesticides-Human-Health
nlymyhealth.com

તેથી જ, ડૉક્ટર પાસેથી જાણી લો કે જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે. કઈ શાકભાજી અને કયા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ સૌથી વધુ થાય છે? ફળો અને શાકભાજીમાંથી જંતુનાશક દવા દૂર કરવાની સાચી રીત કઈ છે?

Pesticides-Human-Health1
onlymyhealth.com

જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે? તે ડૉ. મનીષ બંસલે અમને જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે, આજકાલ જંતુનાશક દવાનો ઉપયોગ ખુબ વધારે વધી ગયો છે. જંતુનાશક દવા ખેડૂતો માટે ખેતી કરવી સરળ બનાવે છે અને પાકનું રક્ષણ કરે છે. પરંતુ તે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. જ્યારે જંતુનાશક દવા લોહીના સંપર્કમાં આવે છે, ત્યારે તે રક્તવાહિનીઓને અંદરથી નુકસાન પહોંચાડે છે. જંતુનાશક દવા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે, જે ધમનીઓને નુકસાન પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ તેમાં જમા થવા લાગે છે. કોલેસ્ટ્રોલના કારણે હાર્ટમાં બ્લોકેજ પેદા થાય છે, જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે. હૃદયરોગના હુમલાના ઘણા કારણો હોય છે, તેથી જંતુનાશક દવાને તેનું બીજું કારણ બનવા ન દેવું જોઈએ.

Pesticides-Human-Health2
onlymyhealth.com

પાલક અને બટાકા જેવા લીલા શાકભાજીમાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોય છે. સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન, પીચ અને ચેરી જેવા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધુ થતો હોય છે. આના ઘણા કારણો છે.

પહેલું કારણ: આ ફળો અને શાકભાજી ઝડપથી બગડે છે. બીજું કારણ: તેની સડવાની શક્યતા વધુ હોય છે.

Pesticides-Human-Health3
nari.punjabkesari.in

પરંતુ આનો અર્થ એ નથી કે, અન્ય ફળો અને શાકભાજી પર જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. જંતુનાશક દવાનો ઉપયોગ લગભગ તમામ ખાવાની વસ્તુઓ પર થતો હોય છે.

Pesticides-Human-Health4
nari.punjabkesari.in

ફળો અને શાકભાજીને ફક્ત પાણીથી ધોવા પૂરતા નથી. આના માટે કંઇક અલગ પદ્ધતિઓની જરૂર પડશે. સૌથી અસરકારક રીત એ છે કે, શાકભાજી અને ફળોને બેકિંગ સોડાના દ્રાવણમાં પલાળી રાખો. અડધા લિટર પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેમાં શાકભાજી અને ફળોને 10-15 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમને વહેતા પાણીની નીચે ધોઈ લો. જો બેકિંગ સોડા ઉપલબ્ધ ન હોય, તો તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. સરકોનો પણ ઉપયોગ કરી શકાય છે.

Pesticides-Human-Health5
nari.punjabkesari.in

પાણીથી ભરેલા વાસણમાં શાકભાજી અને ફળો ન ધોવો. તેને ધોયા પણ તેમાં જંતુનાશક દવા રહી શકે છે. ફળો અને શાકભાજીને વહેતા પાણીની નીચે ધોવા જોઈએ.

કાકડી અને ગાજર જેવા કેટલાક ફળોની ત્વચા ખૂબ જ કડક હોય છે. જંતુનાશક દવા દૂર કરવા માટે તેમને નરમ બ્રશથી ઘસો. જે ફળો અને શાકભાજીના છોતરા છોલીને ખાઈ શકાય છે, તેમને છાલ વગર ખાવાનું રાખો, જેથી જંતુનાશક દવા શરીરમાં જવાનું જોખમ ઓછું થાય છે.

Pesticides-Human-Health6
nari.punjabkesari.in

નોંધ: અહીં આપેલી માહિતી, સારવાર પદ્ધતિઓ અને પ્રમાણ, ભલામણો સહિત, નિષ્ણાતોના પોતાના અનુભવ પર આધારિત હોય છે. અહીંની કોઈપણ સલાહ લાગુ કરતા પહેલા તમારે હંમેશા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.