તમારી થાળીમાં પીરસવામાં આવતી ખાવાની આ વસ્તુ હાર્ટ બ્લોકેજનું જોખમ વધારી રહી છે! જાણો તેનું કારણ શું છે

તમે શાકભાજી અને ફળો ખુબ વધારે ખાતા હશો, એવું વિચારીને કે તે તેનાથી તમને ખુબ પોષણ મળી રહ્યું છે, તમે એકદમ સ્વસ્થ રહેશો અને તમે ક્યારેય બીમાર નહીં પડો. હવે, જો અમે તમને કહીએ કે આ જ ફળો અને શાકભાજી તમારા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે અને હૃદયરોગનો હુમલો પણ લાવી શકે છે, તો શું તમે અમારી વાત માનશો ખરા? નહીં ને? પણ એ સાચું છે કે તમે જે શાકભાજી અને ફળો ખાઓ છો તેમાં પેસ્ટીસાઇડ નાંખેલા હોય છે. પેસ્ટીસાઇડ એટલે જંતુનાશક દવા જે તમારા હૃદય માટે ખૂબ જ હાનિકારક હોય છે.

Pesticides-Human-Health
nlymyhealth.com

તેથી જ, ડૉક્ટર પાસેથી જાણી લો કે જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે. કઈ શાકભાજી અને કયા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ સૌથી વધુ થાય છે? ફળો અને શાકભાજીમાંથી જંતુનાશક દવા દૂર કરવાની સાચી રીત કઈ છે?

Pesticides-Human-Health1
onlymyhealth.com

જંતુનાશક દવા હૃદયને શું નુકસાન પહોંચાડે છે? તે ડૉ. મનીષ બંસલે અમને જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે, આજકાલ જંતુનાશક દવાનો ઉપયોગ ખુબ વધારે વધી ગયો છે. જંતુનાશક દવા ખેડૂતો માટે ખેતી કરવી સરળ બનાવે છે અને પાકનું રક્ષણ કરે છે. પરંતુ તે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. જ્યારે જંતુનાશક દવા લોહીના સંપર્કમાં આવે છે, ત્યારે તે રક્તવાહિનીઓને અંદરથી નુકસાન પહોંચાડે છે. જંતુનાશક દવા શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે, જે ધમનીઓને નુકસાન પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ તેમાં જમા થવા લાગે છે. કોલેસ્ટ્રોલના કારણે હાર્ટમાં બ્લોકેજ પેદા થાય છે, જેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ વધી જાય છે. હૃદયરોગના હુમલાના ઘણા કારણો હોય છે, તેથી જંતુનાશક દવાને તેનું બીજું કારણ બનવા ન દેવું જોઈએ.

Pesticides-Human-Health2
onlymyhealth.com

પાલક અને બટાકા જેવા લીલા શાકભાજીમાં જંતુનાશક દવાનું પ્રમાણ વધુ હોય છે. સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન, પીચ અને ચેરી જેવા ફળોમાં જંતુનાશક દવાનો ઉપયોગ વધુ થતો હોય છે. આના ઘણા કારણો છે.

પહેલું કારણ: આ ફળો અને શાકભાજી ઝડપથી બગડે છે. બીજું કારણ: તેની સડવાની શક્યતા વધુ હોય છે.

Pesticides-Human-Health3
nari.punjabkesari.in

પરંતુ આનો અર્થ એ નથી કે, અન્ય ફળો અને શાકભાજી પર જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. જંતુનાશક દવાનો ઉપયોગ લગભગ તમામ ખાવાની વસ્તુઓ પર થતો હોય છે.

Pesticides-Human-Health4
nari.punjabkesari.in

ફળો અને શાકભાજીને ફક્ત પાણીથી ધોવા પૂરતા નથી. આના માટે કંઇક અલગ પદ્ધતિઓની જરૂર પડશે. સૌથી અસરકારક રીત એ છે કે, શાકભાજી અને ફળોને બેકિંગ સોડાના દ્રાવણમાં પલાળી રાખો. અડધા લિટર પાણીમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. તેમાં શાકભાજી અને ફળોને 10-15 મિનિટ માટે પલાળી રાખો. પછી તેમને વહેતા પાણીની નીચે ધોઈ લો. જો બેકિંગ સોડા ઉપલબ્ધ ન હોય, તો તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. સરકોનો પણ ઉપયોગ કરી શકાય છે.

Pesticides-Human-Health5
nari.punjabkesari.in

પાણીથી ભરેલા વાસણમાં શાકભાજી અને ફળો ન ધોવો. તેને ધોયા પણ તેમાં જંતુનાશક દવા રહી શકે છે. ફળો અને શાકભાજીને વહેતા પાણીની નીચે ધોવા જોઈએ.

કાકડી અને ગાજર જેવા કેટલાક ફળોની ત્વચા ખૂબ જ કડક હોય છે. જંતુનાશક દવા દૂર કરવા માટે તેમને નરમ બ્રશથી ઘસો. જે ફળો અને શાકભાજીના છોતરા છોલીને ખાઈ શકાય છે, તેમને છાલ વગર ખાવાનું રાખો, જેથી જંતુનાશક દવા શરીરમાં જવાનું જોખમ ઓછું થાય છે.

Pesticides-Human-Health6
nari.punjabkesari.in

નોંધ: અહીં આપેલી માહિતી, સારવાર પદ્ધતિઓ અને પ્રમાણ, ભલામણો સહિત, નિષ્ણાતોના પોતાના અનુભવ પર આધારિત હોય છે. અહીંની કોઈપણ સલાહ લાગુ કરતા પહેલા તમારે હંમેશા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.