મસૂરીથી લઇને નૈનીતાલ અને શિમલા સુધી નવા વર્ષની ઉજવણી, પગ મૂકવાની નથી જગ્યા

નવા વર્ષ પહેલા પહાડી વિસ્તારોમાં ભીડ વધી ગઇ છે. લોકો નવા વર્ષ 2023નું સ્વાગત કરવા માટે પહાડી વિસ્તારોમાં મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડના મસૂરીથી લઇને નૈનીતાલ અને હિમાચલના શિમલાથી લઇને મનાલી સુધી પર્યટકોથી ફુલ થઇ ગયા છે. ભીડ વધવાના કારણે આ વિસ્તારોમાં લોકોએ ટ્રાફિકની સમસ્યાથી પણ લોકો હેરાન થઇ રહ્યા છે. હિમાચલના મનાલીથી અમુક ફોટો વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં કારોની લાંબી લાઇન નજરે પડી રહી છે.

આટલી મોટી સંખ્યામાં લોકોના પહાડી વિસ્તારોમાં પહોંચ્યા પહેલા જ ટ્રાફિક વધી ગયું છે, પણ દુકાનદારોના ચહેરા પર મુસ્કાન છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં નવા વર્ષનું જશ્ન મનાવવા માટે દેશભરથી મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે. જેના પર એક સ્થાનિક દુકાનદારે કહ્યું કે, મનાલીમાં 23-24 ડિસેમ્બરથી ભીડ વધી ગઇ હતી જેનાથી કારોબારમાં વધારો થયો છે. નવા વર્ષ પર સારો કારોબાર થતો હતો, પણ આ વખતે વધુ સારો કારોબાર થશે.

પર્યટકો મનાલી તરફ વધારે જાય છે અને મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. પર્યટન વિકાસ નિગમ મેનેજર બી. એસ. ઓક્ટાએ કહ્યું કે, હોટલ પણ પાછલા 4-5 દિવસથી ભરાયેલા છે. જ્યાં સુધી 31મી ડિસેમ્બરનો સવાલ છે, તો ક્લબ હાઉસ વગેરે જગ્યાઓ પર લોકો માટે ખાસ પ્રબંધ કરવામાં આવે છે. આ વખતે પર્યટકોની સંખ્યા વધી છે.

નવા વર્ષનું જશ્ન ઉજવવા માટે મનાલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા જેના કારણે ટ્રાફિક જામ જેવા મળી રહ્યો છે. લોકો ટ્રાફિક જામની વચ્ચે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. મનાલી ફરવા આવેલા એક પર્યટકે કહ્યું કે, અમે સવારથી અહીં છીએ અને અહીંથી આગળ ધીમે ધીમે વધી રહ્યા છીએ. અહીં લોકો ખૂબ જ પરેશાન થઇ રહ્યા છે. અમે અપીલ કરીશું કે, આ જામને જલ્દીથી જ ખોલી શકીએ. અમે અહીં પોતાના મિત્રો સાથે આવ્યા છીએ. જો મનાલી ન પહોંચી શકીએ તો બીજે ક્યાંય જઇશું.

ઉત્તરાખંડના વિસ્તારોમાં પણ લોકો મોટી સંખ્યામાં નવા વર્ષનો જશ્ન ઉજવવા માટે પહોંચી રહ્યા છે. એવામાં પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી છે. પોલીસે પર્યટકોને ખાસ કહ્યું છે કે, જેની પહેલાથી હોટલ બુક છે તેઓ જ મસૂરી, નૈનિતાલ જાઓ. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે કહ્યું કે, અમે દેહરાદૂન, મસૂરી, નૈનીતાલ, હલદ્વાની, રામનગર અને ઋષિકેશને લઇને ખાસ તૈયારીઓ કરી છે. અમે બે ત્રણ ગણી વધારે ડ્યૂટી લગાવી છે.

અમારા બધા અધિકારીઓ સડક પર છે. જો પર્યટકો મસુરી અને નૈનીતાલ જઇ રહ્યા છો તો હોટલ બુક હોય તો જ જજો.

About The Author

Related Posts

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.