પરિણીત ભારતીયોએ 'દગાબાજી' વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપે એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતમાં પ્રેમની બદલાતી વ્યાખ્યા સામે આવી છે. રિસર્ચના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, હવે પરિણીત ભારતીયો લગ્નની ઉપરાંત બહારના ડેટિંગ તરફ આકર્ષાઈ રહ્યા છે.

એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ ગ્લીડને તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં ભારતના પરિણીત લોકો વિશે આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે. ભારતમાં, લોકો હવે લગ્નની ઉપરાંત બહાર ડેટિંગ તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, આવું એક અભ્યાસના પરિણામો દર્શાવે છે.

ગ્લીડેને લગ્ન, બેવફાઈ અને સાંસ્કૃતિક માપદંડો પ્રત્યે ભારતના બદલાતા વલણ પર અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં ટીયર 1 અને ટીયર 2 શહેરોના 25 થી 50 વર્ષની વચ્ચેના 1,503 પરિણીત ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અભ્યાસમાં સમાવિષ્ટ 60 ટકાથી વધુ લોકો ડેટિંગની બિન-પરંપરાગત પદ્ધતિઓ અપનાવી રહ્યા હતા, જેમ કે સ્વિંગિંગ (જેમાં પાર્ટનર્સ મનોરંજન માટે અન્ય લોકો સાથે સબંધ બનાવે છે) સંશોધનના પરિણામોએ જણાવ્યું હતું કે, ભારતમાં ઓપન ડેટિંગ સંબંધો અને પરિસ્થિતિનું વલણ વધી રહ્યું છે.

ભારતમાં આવું થાય તે થોડું આશ્ચર્યજનક છે, કારણ કે ભારતીય સમાજમાં લગ્નનું અલગ મહત્વ છે. ભારતમાં લગ્નને જીવનસાથી પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે છે.

અભ્યાસમાં લગ્ન પછી દગાબાજીના વિવિધ સ્વરૂપોની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: પ્લેટોનિક ક્રિયાપ્રતિક્રિયાઓ (46 ટકા)-આ પ્રકારની બેવફાઈમાં લગ્નની બહારની અન્ય વ્યક્તિ સાથે માત્ર શારીરિક સંબંધો જ નહીં, પણ ભાવનાત્મક રીતે જોડાયાનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ લગ્નની ઉપરાંત અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ હોય તો તેને બેવફાઈ ગણવામાં આવશે.

સંશોધન દર્શાવે છે, કે 46 ટકા પુરુષો આવા સંબંધોમાં આગળ વધવા માંગે છે, જેમાંથી સૌથી વધુ કોલકાતા (52 ટકા)ના લોકો જોવા મળે છે.

ડિજિટલ વિશ્વમાં, ઑનલાઇન ફ્લર્ટિંગ બેવફાઈનું એક સામાન્ય સ્વરૂપ બની ગયું છે. રિપોર્ટ દર્શાવે છે કે, 36 ટકા મહિલાઓ અને 35 ટકા પુરુષો વર્ચ્યુઅલ ફ્લર્ટિંગ દ્વારા આકર્ષાય છે. કોચીના મહત્તમ (35 ટકા) લોકોએ તેમાં રસ દાખવ્યો હોવાનું જોવા મળ્યું હતું.

તે હવે સામાન્ય બની ગયું છે અને પોતાના જીવનસાથી સિવાય અન્ય કોઈ વ્યક્તિ વિશે વિચારવું એ કોઈ મોટી વાત નથી. આંકડા દર્શાવે છે કે, 33 ટકા પુરુષો અને 35 ટકા સ્ત્રીઓ ખુલ્લેઆમ આવી કલ્પનાઓ કરતા હોવાનું સ્વીકાર કરે છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.