અનાજના ડ્રમમાં પોતાના 4 બાળકોને પુરીને મોતને ઘાટ ઉતાર્યા પછી મા પણ લટકી ગઇ

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી  અને પછી પોતે પણ લટકી ગઇ હતી. આ મહિલાને 3 પુત્રી અને એક પુત્ર હતો, જેમના મૃતદેહ અનાજના ડ્રમમાંથી મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સાંજે બાડમેર જિલ્લાના માંડલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે બની હતી. બાનિયાવાસ ગામની રહેવાસી 27 વર્ષની ઉર્મિલાએ તેના ચાર બાળકો  8 વર્ષનીભાવના, 5 વર્ષનો વિક્રમ, 3 વર્ષની વિમલા અને 2 વર્ષનીમનીષાને અનાજના ડ્રમમાં બેસાડી અને ઢાંકણું બંધ કરી દીધું હતું. ઘટના દરમિયાન મહિલાનો પતિ જેઠારામ મજુરી માટે જોધપુરના બાલેસર ગયો હતો.

મહિલાના સંબંધી માંગીલાલે કહ્યું કે,અમે અલગ રહીએ છીએ. દૂર દૂર સુધી ઘરો બનેલા છે. ઉર્મિલાનો પતિ જેઠારામ શનિવારે સવારે કામે ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા ન દેખાતા ઘરની મહિલાઓએ ઘરે પહોંચીને ઉર્મિલાને બુમ પાડી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઇ જવાબ ન મળતા મહિલાઓએ ઘરમાં જઇને જોયું તો ઉર્મિલા ફાંસી પર લટકેલી હતી. જ્યારે બાળકોને શોધ્યા તો અનાજ ભરવાના ડ્રમમાંથી મળી આવ્યા હતા, પરંતુ તેમના મોત થઇ ચૂક્યા હતા.બાળકોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયા હતા.

જેઠારામના બનેવી પ્રદીપના જણાવ્યા અનુસાર ઉર્મિલાએ શનિવારે સવારે તેના પતિને ભોજન કરાવ્યું હતું અને ટિફિન પેકિંગ કરીને આપ્યું હતું. સાંજે પાંચ વાગ્યે ઉર્મિલાએ પતિને ફોન કરીને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી, ઘરે આવો. ગામમાં પહોંચીને જેઠારામને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

ઉર્મિલાના કાકા ડુંગરરામે પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મારી ભત્રીજીને છેલ્લાં 5 વર્ષથી તેના સાસરીયા હેરાન કરતા હતા. ભત્રીજીએ આ વિશે અનેક વખત વાત પણ કરી હતી અને સામાજિક સ્તર પર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કાકાએ ફરિયાદમાં કહ્યું છે કે જમાઇએ જ ભત્રીજી ઉર્મિલા અને બાળકોની હત્યા કરી છે.

સર્કલ સ્ટેશન ઓફિસર કમલેશ ગેહલોતે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. મહિલાના લગ્ન 2014માં થયા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળેપર પહોંચી ત્યારે મહિલાના ગળામાંથી ફાંસો મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ ઘર પાસે આંગણામાં પડેલી હતી. જ્યારે બાળકો અનાજના ડ્રમમાં હતા. પાંચેય મૃત્યુ પામ્યા હતા. પિયર પક્ષે પતિ વિરુદ્ધ હત્યા અને દહેજ માટે ઉત્પીડનનો રિપોર્ટ નોંધાવ્યો છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.