અનાજના ડ્રમમાં પોતાના 4 બાળકોને પુરીને મોતને ઘાટ ઉતાર્યા પછી મા પણ લટકી ગઇ

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી  અને પછી પોતે પણ લટકી ગઇ હતી. આ મહિલાને 3 પુત્રી અને એક પુત્ર હતો, જેમના મૃતદેહ અનાજના ડ્રમમાંથી મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સાંજે બાડમેર જિલ્લાના માંડલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે બની હતી. બાનિયાવાસ ગામની રહેવાસી 27 વર્ષની ઉર્મિલાએ તેના ચાર બાળકો  8 વર્ષનીભાવના, 5 વર્ષનો વિક્રમ, 3 વર્ષની વિમલા અને 2 વર્ષનીમનીષાને અનાજના ડ્રમમાં બેસાડી અને ઢાંકણું બંધ કરી દીધું હતું. ઘટના દરમિયાન મહિલાનો પતિ જેઠારામ મજુરી માટે જોધપુરના બાલેસર ગયો હતો.

મહિલાના સંબંધી માંગીલાલે કહ્યું કે,અમે અલગ રહીએ છીએ. દૂર દૂર સુધી ઘરો બનેલા છે. ઉર્મિલાનો પતિ જેઠારામ શનિવારે સવારે કામે ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા ન દેખાતા ઘરની મહિલાઓએ ઘરે પહોંચીને ઉર્મિલાને બુમ પાડી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઇ જવાબ ન મળતા મહિલાઓએ ઘરમાં જઇને જોયું તો ઉર્મિલા ફાંસી પર લટકેલી હતી. જ્યારે બાળકોને શોધ્યા તો અનાજ ભરવાના ડ્રમમાંથી મળી આવ્યા હતા, પરંતુ તેમના મોત થઇ ચૂક્યા હતા.બાળકોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયા હતા.

જેઠારામના બનેવી પ્રદીપના જણાવ્યા અનુસાર ઉર્મિલાએ શનિવારે સવારે તેના પતિને ભોજન કરાવ્યું હતું અને ટિફિન પેકિંગ કરીને આપ્યું હતું. સાંજે પાંચ વાગ્યે ઉર્મિલાએ પતિને ફોન કરીને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી, ઘરે આવો. ગામમાં પહોંચીને જેઠારામને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

ઉર્મિલાના કાકા ડુંગરરામે પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મારી ભત્રીજીને છેલ્લાં 5 વર્ષથી તેના સાસરીયા હેરાન કરતા હતા. ભત્રીજીએ આ વિશે અનેક વખત વાત પણ કરી હતી અને સામાજિક સ્તર પર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કાકાએ ફરિયાદમાં કહ્યું છે કે જમાઇએ જ ભત્રીજી ઉર્મિલા અને બાળકોની હત્યા કરી છે.

સર્કલ સ્ટેશન ઓફિસર કમલેશ ગેહલોતે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. મહિલાના લગ્ન 2014માં થયા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળેપર પહોંચી ત્યારે મહિલાના ગળામાંથી ફાંસો મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ ઘર પાસે આંગણામાં પડેલી હતી. જ્યારે બાળકો અનાજના ડ્રમમાં હતા. પાંચેય મૃત્યુ પામ્યા હતા. પિયર પક્ષે પતિ વિરુદ્ધ હત્યા અને દહેજ માટે ઉત્પીડનનો રિપોર્ટ નોંધાવ્યો છે.

About The Author

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.