KBCમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા તે મોહિતા શર્મા એવી જગ્યાએ છે કે તમે કરશો સલામ

કોન બનેગા કરોડપતિમાં જે રીતે મોહિતા શર્મા પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર કરોડપતિ બની હતી તેના માટે બીગ બી એ પણ તેની પ્રશંસા કરી હતી. એક કરોડ જીત્યા પછી તેને 7 કરોડ માટે રમવું હતું, પરંતુ તે પોતાના ઉત્તરને લઈને મૂંઝવણમાં હતી. તેથી તેણે શો વચ્ચે જ છોડી દીધો હતો.

કોન બનેગા કરોડપતિની નવી સીઝનનું દમદાર આગમન થવા જઈ રહ્યું છે. બસ 2 દિવસની વાર છે જે પછી તમારો મનગમતો શો તમારી સામે હશે. KBC 14 શરૂ થઈ રહ્યું છે. આ પહેલા KBC 12 ની બીજી કરોડપતિ બનેલી મોહિતા શર્માના જીવન પર નજર નાંખી લઈએ.

ક્યાં છે IPS મોહિતા શર્મા?

કોન બનેગા કરોડપતિ 12 ની પહેલી કરોડપતિ કોમ્યુનિકેશન ઓફિસર નાઝિયા નસીમ હતી. જેના પછી IPS મોહિતા શર્મા બીજી કરોડપતિ બની અને દરેક બાજુ તેની વાતો થવા લાગી. હિમાચલ પ્રદેશના કાંગડાની રહેવાસી IPS મોહિતા શર્મા માટે આ સફર જરાક પણ સરળ હતું નહીં, પરંતુ અશક્ય પણ ન હતું. પહેલા તે દરેક તે દરેક મુશ્કેલીને પાર કરીને IPS બની. તે પછી કરોડપતિ બનીને સાબિત કરી દીધું કે એક મહિલા પોતાની જીદ પર આવે તો દરેક વસ્તુ કરી શકે છે.

કાંગડાની રહેવાસી મોહિતા શર્માની આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટીંગ છે. મોહિતા શર્મા 2017 બેચની IPS છે, જે પોતાની ડ્યૂટી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં તેની પાસે બે પોલિસ સ્ટેશન છે અને પડકારજનક પરિસ્થિતિવાળી જગ્યા પર તેને શાંતિ-વ્યવસ્થા બનાવી રાખવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. મોહિતા શર્મા પોતાની સર્વિસની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. IPS નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને જાણ થાય છે કે તેને દેશની સેવામાં લાગી રહેવું કેટલું પસંદ છે.

મોહિતા શર્માના અંગત જીવનની વાત કરીએ તો તેણે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા છે. રૂશલ જમ્મુ-કાશ્મીર કેડરથી જ છે, જે ચંદીગઢના રહેવાસી છે. બીગ બી એ કોન બનેગા કરોડપતિમાં મોહિતા શર્માના અત્મવિશ્વાસ અને જ્ઞાન માટે તેની ખૂબ પ્રશંસા કરી હતી.  

Related Posts

Top News

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.