આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું

(UTKARSH PATEL)

મજાની વાત છેને!

પૂજ્ય મોરારીબાપુ જેમની જીહવામાં માતા સરસ્વતીનો વાસ છે તેમના દ્વારા કહેવામાં આવેલું કથન છે...

"આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું..."

મારી મર્યાદિત સમજશક્તિ મુજબ થોડુક ઉમેરીને કહું તો "આપણે અને આપણું બધાને ગમે કે ના ગમે જો આપણને આપણા પર વિશ્વાસ હોયને તો કોઈની હડાબારી રાખ્યા વિના મોજથી જીવી લેવું."

પરમ પૂજનીય સાધુ સંતો મહંતો મહાત્માઓ અને સજ્જનો નો સંગ અને સત્સંગ કરતા કરતા મારા જીવનમાં અવિરત સદપરિવર્તન આવતું હોય છે એટલે સારા વિચારોનું અર્થઘટન અને સરળ સમજ હું મારા મુજબ મારા માટે તૈયાર કરી લેતો આવ્યો.

પૂજ્ય મોરારીબાપુની આ વાત મુજમાં સોસરવી ઉતરી  ગઈ હતી. આપણે બીજાને શું ગમશે અને શું નહીં ગમે એ વિચારવાની જરૂર ક્યારે પડે? જો આપણને આપણા કર્મો પર શંકા હોય તો જરૂર પડે!!!

ખરું કે??

જો આપણે અંતરથી અને કર્મોથી સાથે સાથે વાણી વર્તન અને વ્યવહારથી જો સાચા અને સારા હોઈએ તો પછી ચિંતા શાની??!!! મોજમાં રહોને.

આપણો જન્મ અને આપણું મૃત્યુ ક્યારે કઈ તિથિમાં થશે એની આપણા જન્મદાતા અને આપણનેય ખબર નથી હોતી તો સમજી જવાનું હોયને કે આપણા હાથમાં કાઈજ નથી. ખોટી હડાબારી શું કામ કરવાની. પરમાત્માનું કામ પરમાત્મા પોતે કરશે અને આપણે આપણું કામ આપડી આવડત સંસ્કાર ઘડતર મુજબ કરીએ રાખવાનું.

કૂતરું ભસવાનું કે કરડવાનું છોડે?

ગધેડું લાત મારવાનું છોડે?

ખોટો ખોટું કરવાનું છોડે?

નથી છોડતાને અને મોજથી જીવે છેને લાજ શરમ વિના!!!!!

જો આપડે રહ્યા ખાનદાની સજ્જનો તો આપડે બીજું કઈ વિચારવાની જરૂર છેજ નહીં કે કોણ આપણા માટે શું વિચારે છે.

અગત્યનું:

જો આપણે સારા તો આપણે સારા છીએ એવા કોઈકના પ્રમાણપત્રની આપણે કોઈજ જરૂર હોતી નથી. જેમ સુવાસ અદ્રશ્ય હોય અને વાયરા સાથે ફેલાય તેમજ આપણા સારા સદ્ગુણો આપો આપ ફેલાતા રહેવાના.

સંસારી અને ગુણિયલ વ્યક્તિઓએ પોતાના માટે કોણ શું બોલે છે એની ક્યારેય ચિંતા કરવી જોઈએ નહીં.

જય સીયારામ 

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.