આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું

(UTKARSH PATEL)

મજાની વાત છેને!

પૂજ્ય મોરારીબાપુ જેમની જીહવામાં માતા સરસ્વતીનો વાસ છે તેમના દ્વારા કહેવામાં આવેલું કથન છે...

"આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું..."

મારી મર્યાદિત સમજશક્તિ મુજબ થોડુક ઉમેરીને કહું તો "આપણે અને આપણું બધાને ગમે કે ના ગમે જો આપણને આપણા પર વિશ્વાસ હોયને તો કોઈની હડાબારી રાખ્યા વિના મોજથી જીવી લેવું."

પરમ પૂજનીય સાધુ સંતો મહંતો મહાત્માઓ અને સજ્જનો નો સંગ અને સત્સંગ કરતા કરતા મારા જીવનમાં અવિરત સદપરિવર્તન આવતું હોય છે એટલે સારા વિચારોનું અર્થઘટન અને સરળ સમજ હું મારા મુજબ મારા માટે તૈયાર કરી લેતો આવ્યો.

પૂજ્ય મોરારીબાપુની આ વાત મુજમાં સોસરવી ઉતરી  ગઈ હતી. આપણે બીજાને શું ગમશે અને શું નહીં ગમે એ વિચારવાની જરૂર ક્યારે પડે? જો આપણને આપણા કર્મો પર શંકા હોય તો જરૂર પડે!!!

ખરું કે??

જો આપણે અંતરથી અને કર્મોથી સાથે સાથે વાણી વર્તન અને વ્યવહારથી જો સાચા અને સારા હોઈએ તો પછી ચિંતા શાની??!!! મોજમાં રહોને.

આપણો જન્મ અને આપણું મૃત્યુ ક્યારે કઈ તિથિમાં થશે એની આપણા જન્મદાતા અને આપણનેય ખબર નથી હોતી તો સમજી જવાનું હોયને કે આપણા હાથમાં કાઈજ નથી. ખોટી હડાબારી શું કામ કરવાની. પરમાત્માનું કામ પરમાત્મા પોતે કરશે અને આપણે આપણું કામ આપડી આવડત સંસ્કાર ઘડતર મુજબ કરીએ રાખવાનું.

કૂતરું ભસવાનું કે કરડવાનું છોડે?

ગધેડું લાત મારવાનું છોડે?

ખોટો ખોટું કરવાનું છોડે?

નથી છોડતાને અને મોજથી જીવે છેને લાજ શરમ વિના!!!!!

જો આપડે રહ્યા ખાનદાની સજ્જનો તો આપડે બીજું કઈ વિચારવાની જરૂર છેજ નહીં કે કોણ આપણા માટે શું વિચારે છે.

અગત્યનું:

જો આપણે સારા તો આપણે સારા છીએ એવા કોઈકના પ્રમાણપત્રની આપણે કોઈજ જરૂર હોતી નથી. જેમ સુવાસ અદ્રશ્ય હોય અને વાયરા સાથે ફેલાય તેમજ આપણા સારા સદ્ગુણો આપો આપ ફેલાતા રહેવાના.

સંસારી અને ગુણિયલ વ્યક્તિઓએ પોતાના માટે કોણ શું બોલે છે એની ક્યારેય ચિંતા કરવી જોઈએ નહીં.

જય સીયારામ 

About The Author

Related Posts

Top News

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.