ભાજપમાં રહીને બફાટ કરવું ભારે પડશે, દિગ્ગજોની પણ કપાઇ ટિકિટ

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) 400 સીટોના લક્ષ્ય સાથે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપ લોકસભાની ચૂંટણી માટે પાંચમી લિસ્ટ જાહેર કરી ચૂકી છે, અત્યાર સુધી 302 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે ટિકિટ સિલેક્શનને લઈને ખાસ પેટર્ન રાખી છે, વિવાદિત બોલવાળા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. રમેશ બિધુડી, પ્રજ્ઞા ઠાકુર બાદ કર્ણાટકમાં 6 વખતના સાંસદ રહી ચૂકેલા અનંતકુમાર હેગડેની પણ ટિકિટ કપાઈ છે. તેમણે હાલમાં જ નિવેદન આપ્યું હેટ કે, 400 લોકસભા જીતવાનું લક્ષ્ય સંવિધાન બદલવાનું છે, જેને લઈને વિપક્ષે તીખો પ્રહાર કર્યો હતો.

કર્ણાટકથી 6 વખત સાંસદ અનંતકુમાર હેગડેને ચૂંટણીમાં ટિકિટ ન આપીને ભાજપે સંદેશ આપ્યો છે કે જે નેતા સમજ્યા-વિચાર્યા વિના ટિપ્પણીઓથી નેતૃત્વને શરમમાં મુકશે, એ આગામી અવસરો ગુમાવશે. અનંતકુમારની જગ્યા 6 વખતના ધારાસભ્ય વિશ્વેશ્વર હેગડે કાગેરીએ લઈ લીધી છે, જે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્ય મંત્રીના રૂપમાં કામ કરી ચૂક્યા છે. કર્ણાટકથી ભાજપ સાંસદ અનંતકુમાર હેગડે છેલ્લા 28 વર્ષોમાં 6 વખત કન્નડ લોકસભા સીટ જીત હાંસલ કરી હતી, જેમાં સતત 4 વખત જીત હાંસલ કરી.

જ્યાં સુધી વિવાદાસ્પદ ભાષણોનો સવાલ છે, વારંવાર આખાબોલા હેગડેએ આ મહિનાની શરૂઆતમાં એક રાજનીતિક તુફાન ત્યારે ઊભું કરી દીધું હતું, જ્યારે તેમણે દાવો કર્યો હતો કે, ભાજપનું 400 લોકસભા સીટો જીતવાનું લક્ષ્ય, સંવિધાન બદલવાનું છે. કોંગ્રેસ પર હિન્દુઓ પર અત્યાચારના આરોપ અને સંવિધાન બદલવાની વકીલાત કરતા તેમણે એક સભામાં કહ્યું હતું કે, સંવિધાનને ફરીથી લખવાની જરૂરિયાત છે. જો સંવિધાનમાં સંશોધન કરવું હોય. કોંગ્રેસે અનાવશ્યક વસ્તુઓને બળજબરીપૂર્વક ભરીને સંવિધાનને મૂળ રૂપે વિકૃત કરી દીધું છે, ખાસ કરીને એવા કાયદા લાવીને જેનું ઉદ્દેશ્ય હિન્દુ સમાજને દબાવવાનું હતું, જો આ બધુ બદલવાનું હોય તો આ બહુમત સાથે સંભવ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો આપણે વિચારીએ છીએ કે એ કરી શકાય છે કેમ કે લોકસભામાં કોંગ્રેસ નથી અને વડાપ્રધાન મોદી પાસે લોકસભામાં બે તૃતીયાંશ બહુમત છે તો એ સંભવ નથી. પાર્ટીને રાજ્યસભા અને રાજ્યોમાં પણ બે તૃતીયાંશ બહુમતની જરૂરિયાત છે. હેગડેના બોલ વિપક્ષે હોબાળો મચાવ્યાં બાદ ભાજપે નિવેદનથી કિનારો કરી દીધો છે. ભાજપે પોતાને અલગ કરતા કહ્યું કે, હેગડેની ટિપ્પણીઓ તેમના અંગત વિચાર છે. આ વખત ભાજપના ઉમેદવારોના સિલેક્શનથી એક સ્પષ્ટ પેટર્ન ખબર પડે છે નફરત ફેલાવનારા ભાષણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે નેતાઓને સખત મનાઈ છે. હેગડે અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને દિલ્હીના સાંસદ રમેશ બિધુડી અને પ્રવેશ સાહિબ સિંહ વર્માની પણ ટિકિટ કપાઈ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) કેરળની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ હબનો...
Politics 
ગુજરાત ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને કેરળ જીતશે BJP! જાણો PM મોદીએ કેરળમાં શું કહ્યું

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.