ભાજપમાં રહીને બફાટ કરવું ભારે પડશે, દિગ્ગજોની પણ કપાઇ ટિકિટ

On

આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) 400 સીટોના લક્ષ્ય સાથે ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપ લોકસભાની ચૂંટણી માટે પાંચમી લિસ્ટ જાહેર કરી ચૂકી છે, અત્યાર સુધી 302 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ભાજપે ટિકિટ સિલેક્શનને લઈને ખાસ પેટર્ન રાખી છે, વિવાદિત બોલવાળા નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. રમેશ બિધુડી, પ્રજ્ઞા ઠાકુર બાદ કર્ણાટકમાં 6 વખતના સાંસદ રહી ચૂકેલા અનંતકુમાર હેગડેની પણ ટિકિટ કપાઈ છે. તેમણે હાલમાં જ નિવેદન આપ્યું હેટ કે, 400 લોકસભા જીતવાનું લક્ષ્ય સંવિધાન બદલવાનું છે, જેને લઈને વિપક્ષે તીખો પ્રહાર કર્યો હતો.

કર્ણાટકથી 6 વખત સાંસદ અનંતકુમાર હેગડેને ચૂંટણીમાં ટિકિટ ન આપીને ભાજપે સંદેશ આપ્યો છે કે જે નેતા સમજ્યા-વિચાર્યા વિના ટિપ્પણીઓથી નેતૃત્વને શરમમાં મુકશે, એ આગામી અવસરો ગુમાવશે. અનંતકુમારની જગ્યા 6 વખતના ધારાસભ્ય વિશ્વેશ્વર હેગડે કાગેરીએ લઈ લીધી છે, જે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્ય મંત્રીના રૂપમાં કામ કરી ચૂક્યા છે. કર્ણાટકથી ભાજપ સાંસદ અનંતકુમાર હેગડે છેલ્લા 28 વર્ષોમાં 6 વખત કન્નડ લોકસભા સીટ જીત હાંસલ કરી હતી, જેમાં સતત 4 વખત જીત હાંસલ કરી.

જ્યાં સુધી વિવાદાસ્પદ ભાષણોનો સવાલ છે, વારંવાર આખાબોલા હેગડેએ આ મહિનાની શરૂઆતમાં એક રાજનીતિક તુફાન ત્યારે ઊભું કરી દીધું હતું, જ્યારે તેમણે દાવો કર્યો હતો કે, ભાજપનું 400 લોકસભા સીટો જીતવાનું લક્ષ્ય, સંવિધાન બદલવાનું છે. કોંગ્રેસ પર હિન્દુઓ પર અત્યાચારના આરોપ અને સંવિધાન બદલવાની વકીલાત કરતા તેમણે એક સભામાં કહ્યું હતું કે, સંવિધાનને ફરીથી લખવાની જરૂરિયાત છે. જો સંવિધાનમાં સંશોધન કરવું હોય. કોંગ્રેસે અનાવશ્યક વસ્તુઓને બળજબરીપૂર્વક ભરીને સંવિધાનને મૂળ રૂપે વિકૃત કરી દીધું છે, ખાસ કરીને એવા કાયદા લાવીને જેનું ઉદ્દેશ્ય હિન્દુ સમાજને દબાવવાનું હતું, જો આ બધુ બદલવાનું હોય તો આ બહુમત સાથે સંભવ નથી.

તેમણે આગળ કહ્યું કે, જો આપણે વિચારીએ છીએ કે એ કરી શકાય છે કેમ કે લોકસભામાં કોંગ્રેસ નથી અને વડાપ્રધાન મોદી પાસે લોકસભામાં બે તૃતીયાંશ બહુમત છે તો એ સંભવ નથી. પાર્ટીને રાજ્યસભા અને રાજ્યોમાં પણ બે તૃતીયાંશ બહુમતની જરૂરિયાત છે. હેગડેના બોલ વિપક્ષે હોબાળો મચાવ્યાં બાદ ભાજપે નિવેદનથી કિનારો કરી દીધો છે. ભાજપે પોતાને અલગ કરતા કહ્યું કે, હેગડેની ટિપ્પણીઓ તેમના અંગત વિચાર છે. આ વખત ભાજપના ઉમેદવારોના સિલેક્શનથી એક સ્પષ્ટ પેટર્ન ખબર પડે છે નફરત ફેલાવનારા ભાષણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે નેતાઓને સખત મનાઈ છે. હેગડે અગાઉ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને દિલ્હીના સાંસદ રમેશ બિધુડી અને પ્રવેશ સાહિબ સિંહ વર્માની પણ ટિકિટ કપાઈ છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.