રૂપાલાનો વિરોધ ચાલુ રાખીને ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન આપ્યું: સી આર પાટીલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગુરુવારે સાંજે અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી અને મીડિયાને કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતની 108 ક્ષત્રિય સમાજની સંસ્થાના પ્રતિનિધિઓ મને મળવા આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે પરષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલું રાખીને અમે ભાજપને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપીશું પાટીલે કહ્યુ કે, ક્ષત્રિય સમાજના લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત છે, તેમને પ્રેમ કરે છે એટલે વિરોધ ચાલું રાખીને ભાજપને સમર્થન કરવા કહ્યું છે.

સી આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમા કહ્યુ કે, રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન આપ્યું હતું તેને કારણે સમાજની લાગણી ઘવાઇ છે એમાં કોઇ બે મત નથી. પરંતુ ક્ષત્રિય સમાજ ક્ષમા આપવા માટે જાણીતો સમાજ છે. ક્ષમા આપવામાં તેમની મોટી ભૂમિકા રહી છે તેવો ઇતિહાસ છે.

સી આર પાટીલ ક્ષત્રિય સમાજ પર પ્રેસ કોન્ફરન્સમા વરસી પડ્યા હતા. તેમણે કહ્યું કે અમે આગેવાનોને વિનંતી કરી છે કે, તમારી ક્ષમા આપવાની તાકાતનો પરચો આપો.

તેમણે આગળ કહ્યું કે, ક્ષત્રિય સમાજે જ સૌથી વધુ લડાઇ લડી છે અને આ એવો સમાજ છે કે જો કોઇ તેમના શરણે આવે તો પોતાની જાતને ખુંવાર કરીને શરણે આવનારને બચાવી લે.

પાટીલે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની 108 ક્ષત્રિય સમાજના આગેવાનોએ સામે આવીને કહ્યું છે કે અમારો વિરોધ રૂપાલા સામે છે પ્રધાનમંત્રી મોદી સામે નથી. અમે ભાજપને સમર્થન કરીશું, પરંતુ રૂપાલા સામેનો વિરોધ ચાલું રહેશે.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે જે નિવેદન આપ્યુ હતું તેને કારણે ભાજપને મોટી ચિંતા ઉભી થયેલી છે, કારણ કે એક મહિનાથી વધુ સમય થવા છતા હજુ ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત થયો નથી. ભાજપના નેતાઓ હર્ષ સંઘવી રત્નાકર, અમિત શાહ અને સી આર પાટીલ અલગ અલગ વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને તેમને સમજાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને ભારે પડી શકે તેમ છે.

જો કે ભાજપ રણનીતિની પાર્ટી છે અને કોઇક ઉપાય ભાજપે શોધી કાઢ્યો હોય તેવું લાગે છે. પહેલાં ભાજપ એવું કહેતું હતું કે રૂપાલાને માફ કરો, પરંતુ હવે એવું લાગે છે કે ભલે રાજકોટમાં રૂપાલા સામે વિરોધ યથાવત રહે, બીજા વિસ્તારોમાં વિરોધની અગન જ્વાળા ન પ્રસરે તેની ભાજપે રણનીતિ અપનાવી હોય શકે છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.