- Loksabha Election 2024
- ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા
ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા

રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી શકે છે. તેનો સામનો કરવા માટે BJPએ વરુણ ગાંધી સાથે વાત કરી છે. વરુણ ગાંધીએ નિર્ણય લેવા માટે સમય માંગ્યો છે.
લોકસભા ચૂંટણી 2024 માટે, રાયબરેલી અને કૈસરગંજ જ એવી બે બેઠકો છે જ્યાં BJP હજુ સુધી ઉમેદવારો ઉભા કરી શક્યું નથી. સૂત્રોનો દાવો છે કે, BJPના ટોચના નેતૃત્વએ વરુણ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી લડવા અંગે વાત કરી છે. વરુણની ટિકિટ અગાઉ પીલીભીત સીટ પરથી રદ કરવામાં આવી હતી. એવી ચર્ચા છે કે, કોંગ્રેસ આ વખતે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં વરુણે તેની પિતરાઈ બહેન સામે લડવું કે નહીં તે નક્કી કરવા માટે સમય માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે વરુણ ગાંધીએ નક્કી કરવાનું છે કે તેમણે ચૂંટણી લડવી કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ તેમના વિસ્તારના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. આમાં તેણે લખ્યું હતું કે, તે રાજકારણમાં સામાન્ય માણસનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે, પછી ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. વરુણે લખ્યું, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને વર્ષો સુધી પીલીભીતના મહાન લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. પીલીભીતમાંથી મને મળેલા આદર્શો અને સાદગીનો મારા ઉછેર અને વિકાસમાં માત્ર એક સાંસદ તરીકે જ નહીં પણ એક વ્યક્તિ તરીકે પણ મોટો ફાળો છે. તમારા પ્રતિનિધિ બનવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે અને મેં હંમેશા તમારું સારું થાય તે માટે મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ અવાજ ઉઠાવ્યો છે.'
એવી ચર્ચા ચાલી રહી છે કે, BJPએ રાયબરેલી લોકસભા સીટ પર સર્વે કર્યો હતો, જેમાં વરુણ ગાંધીનું નામ સૌથી આગળના ઉમેદવાર તરીકે સામે આવ્યું હતું. આ જ કારણ છે કે, BJPની ટોચની નેતાગીરીએ વરુણ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે તૈયાર કરવાના પ્રયાસો તેજ કર્યા છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ છે. 2019માં કોંગ્રેસના ખાતામાં માત્ર એક જ સીટ આવી હતી. સોનિયા ગાંધી અહીંથી સતત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાન ક્વોટામાંથી રાજ્યસભામાં ગયા છે.
Related Posts
Top News
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Opinion
