ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા

On

રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી શકે છે. તેનો સામનો કરવા માટે BJPએ વરુણ ગાંધી સાથે વાત કરી છે. વરુણ ગાંધીએ નિર્ણય લેવા માટે સમય માંગ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 માટે, રાયબરેલી અને કૈસરગંજ જ એવી બે બેઠકો છે જ્યાં BJP હજુ સુધી ઉમેદવારો ઉભા કરી શક્યું નથી. સૂત્રોનો દાવો છે કે, BJPના ટોચના નેતૃત્વએ વરુણ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી લડવા અંગે વાત કરી છે. વરુણની ટિકિટ અગાઉ પીલીભીત સીટ પરથી રદ કરવામાં આવી હતી. એવી ચર્ચા છે કે, કોંગ્રેસ આ વખતે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં વરુણે તેની પિતરાઈ બહેન સામે લડવું કે નહીં તે નક્કી કરવા માટે સમય માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે વરુણ ગાંધીએ નક્કી કરવાનું છે કે તેમણે ચૂંટણી લડવી કે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ તેમના વિસ્તારના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. આમાં તેણે લખ્યું હતું કે, તે રાજકારણમાં સામાન્ય માણસનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે, પછી ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. વરુણે લખ્યું, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને વર્ષો સુધી પીલીભીતના મહાન લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. પીલીભીતમાંથી મને મળેલા આદર્શો અને સાદગીનો મારા ઉછેર અને વિકાસમાં માત્ર એક સાંસદ તરીકે જ નહીં પણ એક વ્યક્તિ તરીકે પણ મોટો ફાળો છે. તમારા પ્રતિનિધિ બનવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે અને મેં હંમેશા તમારું સારું થાય તે માટે મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ અવાજ ઉઠાવ્યો છે.'

એવી ચર્ચા ચાલી રહી છે કે, BJPએ રાયબરેલી લોકસભા સીટ પર સર્વે કર્યો હતો, જેમાં વરુણ ગાંધીનું નામ સૌથી આગળના ઉમેદવાર તરીકે સામે આવ્યું હતું. આ જ કારણ છે કે, BJPની ટોચની નેતાગીરીએ વરુણ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે તૈયાર કરવાના પ્રયાસો તેજ કર્યા છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ છે. 2019માં કોંગ્રેસના ખાતામાં માત્ર એક જ સીટ આવી હતી. સોનિયા ગાંધી અહીંથી સતત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાન ક્વોટામાંથી રાજ્યસભામાં ગયા છે.

Related Posts

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.