‘… તો અમે PM મોદી સાથે છીએ’, માયાવતીએ લખનૌ રેલીથી ખુલ્લા સમર્થનની કરી દીધી જાહેરાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફરી એકવાર બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીના શક્તિ પ્રદર્શનનું સાક્ષી બન્યું. કાંશીરામની પુણ્યતિથિ પર કાંશીરામ મેમોરિયલ પાર્કમાં વિશાળ ભીડ એકઠી થઈ હતી. ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ પડોશી રાજ્યોના BSP સમર્થકોએ પણ ભાગ લીધો હતો. મંચ પરથી માયાવતીએ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તો, માયાવતીએ ફરી એકવાર ભાજપ પ્રત્યે નરમ વલણ બતાવ્યું. આટલું જ નહીં, તેમણે એક નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન પણ આપ્યું.

Mayawati
hindustantimes.com

માયાવતીએ પોતાની રેલીમાં કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનામાં ઘણી મહિલાઓના સિંદૂર ઉજડી ગયા, જે અત્યંત દુઃખદ છે. જો સુરક્ષા વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હોત, તો આ હુમલો અટકાવી શકાતો હતો. આ સાથે જ આપણી વિદેશ નીતિ પણ જનહિતમાં હોવી જોઈએ. કેન્દ્ર સરકારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી સતર્ક રહેવાની જરૂર છે. તાજેતરમાં જ, કેન્દ્ર સરકારે સ્વદેશીને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર થવાની વાત કરી છે. જો આ નિર્ણય પોકળ સાબિત ન થાય, તો અમારી પાર્ટી કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કરશે.

Mayawati1
theprint.in

લખનૌની રેલીમાં માયાવતીએ એમ પણ કહ્યું કે, ‘તેઓ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. વર્ષ 1993 અને વર્ષ 1996ની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું કે જ્યારે-જ્યારે BSPએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે પાર્ટીની બેઠકો અને વોટ શેર ઘટ્યો છે. ગઠબંધનમાં BSPના મત અન્ય પક્ષોમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ તેમની પાર્ટીને ઉચ્ચ જાતિના સમાજના મત મળતા નથી. એટલે 2027ની વિધાનસભા ચૂંટણીમાં BSP એકલા હાથે લડશે.

અખિલેશ યાદવે BSP પ્રમુખ માયાવતીના આરોપોનો જવાબ આપ્યો છે. અખિલેશ યાદવે ભાજપ અને BSP વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. માયાવતીએ ​​કાંશીરામની પુણ્યતિથિ પર SP પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે, અખિલેશ યાદવ એક બાદ એક તેમને જવાબ આપી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-06-2026 દિવસ: ગુરુવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.