મહારાષ્ટ્ર સરકારના સમારોહમાં આવેલા 11 લોકોના લૂ લાગવાથી મોત, CMની વળતર જાહેરાત

નવી મુંબઈના ખારઘરમાં રવિવારે બપોરે થયેલા મહારાષ્ટ્ર ભૂષણ સન્માન સમારોહમાં સખત તડકા અને ભીષણ ગરમીથી બીમાર થયેલા 11 લોકોના મોત થઈ ગયા. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મોતોને ખૂબ જ દુઃખદ બતાવ્યા છે. તેમણે મૃતકોના સ્વજનોને 5-5 લાખ રૂપિયાની સહાયતા રકમ આપવાની જાહેરાત કરી છે. જે લોકોની સારવાર ચાલી રહી છે, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ હતા.

બપોરે થયેલા આ સમારોહમાં અપ્પાસાહબ ધર્માધિકારીના લાખો સમર્થક સામેલ થયા હતા. તેમના બેસવાની વ્યવસ્થા સખત તાપમાં ખુલ્લા આકાશ નીચે કરવામાં આવી હતી, આ કરણે સખત તડકો અને ભીષણ ગરમીના પ્રભાવથી 100 કરતા વધુ લોકો બીમાર થઈ ગયા. તેમાંથી 50 લોકોને નવી મુંબઈની MGM હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. તેમાંથી એક ડઝનથી વધુ લોકોની હાલત અત્યારે પણ ગંભીર બનેલી છે. અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ચૂક્યા છે અને એક ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર બનેલી છે.

એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક દર્દીઓને નવી મુંબઈ અને પનવેલની હૉસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બપોરે સમારોહ સ્થળ પર તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હતું. આટલી ગરમીમાં લોકોને કલાકો સુધી તડકામાં બેસવું પડ્યું. લોકોની તબિયત બગડવાની જાણકારી મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ MGM હૉસ્પિટલની મુલાકાત લીધી અને માન્યુ કે સખત તાપમાં બેસવાના કારણે લોકોની તબિયત બગડી. આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.

આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સમાજસેવી ડૉ. દત્તાત્રેય નારાયણ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ સન્માનથી સન્માનિત કર્યા. રાજ્ય સરકાર તરફથી પ્રદાન કરવામાં આવતું આ સન્માન પહેલી વખત કોઈ એક જ પરિવારના બીજા સભ્યને મળ્યું છે. અપ્પાસાહેબ ધર્માધિકારીના નામથી પ્રસિદ્ધ ડૉ. ધર્માધિકારીના પિતા ડૉ. નારાયણ વિષ્ણુ ધર્માધિકારી દ્વારા સામાજિક ક્ષેત્રે શરૂઆતમાં કરેલા કાર્યોને હવે તેમના પુત્ર આગળ વધારી રહ્યા છે.

તેમના દ્વારા સમાજના ઘણા મોટા વર્ગને સાથે લઈને વૃક્ષારોપણ, નશામુક્તિ અને રક્તદાન સહિત ઘણા ક્ષેત્રમાં કામ કરવામાં આવી રહ્યા છે. તેમના આ જ સેવાકાર્યોનું પરિણામ છે કે મહારાષ્ટ્રના લાખો લોકો તેમની સાથે જોડાયેલા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.