ચલણ ફાડતા 2 ટ્રાફિક પોલીસકર્મીએ સરકારને સવા 3 કરોડનો આ રીતે ચૂનો લગાવ્યો

પોલીસ વિભાગમાં સારો પગાર મળવા છતા કેટલાંક કર્મચારીઓને ભ્રષ્ટાચાર જાણે કોઠે પડી ગયો છે. હરિયાણામાં ટ્રાફીક નિયમનો ભંગ પેટે જે રકમ ઉઘરાવવામાં આવી હતી તેમાં થી 3 કરોડની રકમ બે પોલીસ કર્મીઓ ચ્યાઉં કરી હયા હતા.

હરિયાણાના પલ્લવમાં ટ્રાફીક પોલીસ સરકારને સવા 3 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે, આ વાત ત્યારે સામે આવી જ્યારે SPએ વાહનોના દંડની રસીદની વિગત મંગાવી હતી. જ્યારે રસીદ તપાસમાં આવી ત્યારે ચલણમાં નોંધેલી રકમ અને બેંકમાં જમા કરવામાં આવેલી રકમમાં મોટું અંતર જણાયું હતું. એ પછી SP લોકેન્દ્ર સિંહે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ કરી તો ખબર પડી કે સવા 3 કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. આ મામલે એક હવલદારની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે ઇ ચલણ વિન્ડો પર તૈનાત પોલીસ કર્મીઓએ કુલ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયા ગજવે ઘાલી દીધા છે. ઉપરાંત જૂન 2020માં જુદી જુદી પોલીસ ચોકીમાં ઇ મશીન દ્રારા ફાડવામાં આવેલી રસીદની કુલ રકમ 138500 રૂપિયાની રકમ બેંકોમાં જમા કરવામાં નહોતી આવી. એ જ રીતે ઓક્ટોબર મહિનામાં 139000 રૂપિયા બેંકમાં જમા નહોતા કરાવ્યા. પોલીસનું માનવું છે કે બોગસ ચલણો બનાવીને રૂપિયા હડપી લીધા હોવાની શંકા છે, કારણે રસીદની રકમ અને બેંકમાં જમા થયેલી રકમનો મેળ ખાતો નથી.

DSPએ કહ્યુ કે આ ઉપરાંત EHC ઓમબીરની તૈનાતીના સમયે ઓગસ્ટ 20221થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં ચલણ વિભાગમાંથી 14 લાખ 76000 રૂપિયા મળ્યા હતા, જેમાંથી બેંકમાં 14500 રૂપિયા ઓછા જમા કરાવાયા હતા.તો ઓક્ટોબર મહિનામાં 1418900 રૂપિયા મળ્યા હતા, પરંતુ બેંકમં 1800 રૂપિયા વઘારે જમા થયા હતા. તપાસમાં ખબર પડી છે કે હવલદાર જનકની તૈનાતી વખતે કુલ 3 કરોડ 22 લાખ 97 હજાર 150 રૂપિયા સરકારી ખાતામાં જમા જ નહોતા કરાવ્યા.

DSP મોરેએ કહ્યું કે હવલદાર જનક અને ઓમબીર બંને પોલીસ કર્મીઓએ નિયમોની જાણકારી હોવા છતા પોતાના પદનો દુરપયોગ કર્યો હતો અને 3 કરોજ જેટલી મોટી રકમ બેંકોમાં જમા કરવાને બદલે પોતાના વ્યકિગત કામમાં વાપરી હતી અને એ રીતે સરકારને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે. બંને પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી જનકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જનકને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન 3 કરોડની રકમ વસુલ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.